Wednesday, March 4, 2026

અમદાવાદની આ 5 હોટલમાંથી લેવાયેલા પનીર, બટરના નમૂના હલકી ગુણવત્તાના પુરવાર થયા

spot_img
Share

અમદાવાદ : શહેરની કેટલીક હોટલ,રેસ્ટોરન્ટ તથા અન્ય એકમમાંમાં હલકી ગુણવત્તાનું પનીર, બટર અને મલાઇ સહિતની ચીજો પીરસાતી હોવાની ફરિયાદો ઉઠે છે. AMCના ફૂડ વિભાગે પણ 28 માર્ચથી 2 એપ્રિલ સુધીના સપ્તાહમાં લીધેલા ખાદ્યપદાર્થના નમૂનાની લેબ તપાસમાં જાણવા મળ્યું હતું કે, 5 હોટેલના પનીર, બટર અને મલાઈ હલકી ગુણવત્તાના હતા. શહેરની અનેક હોટેલ-રેસ્ટોરાંમાં ઉતરતી કક્ષાના ખાદ્યપદાર્થોનો ઉપયોગ થઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત એપ્રિલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા શહેરની વિવિધ હોટલ,રેસ્ટોરન્ટ તથા અન્ય એકમમાંથી લેવામા આવેલા ખાદ્યચીજોના શંકાસ્પદ સેમ્પલ પૈકી કુલ નવ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામા આવ્યા છે.ઉપરાંત 14 થી 20 એપ્રિલના સમયમાં કુલ 68 શંકાસ્પદ સેમ્પલ લેવામા આવ્યા છે.આ સમયમાં કુલ 140 એકમને નોટિસ આપવામા આવી હતી.ખાદ્યતેલની તપાસ માટે 142 ટી.પી.સી.ટેસ્ટ કરાયા હતા.રુપિયા 46 હજાર વહીવટી ચાર્જ ફુડ વિભાગ તરફથી અલગ અલગ એકમ પાસેથી વસૂલ કરાયો હતોે.

આ એકમના નમૂના સબસ્ટાન્ડર્ડ

નામ                                        સેમ્પલ

વિજય ફલોર ફેકટરી,દરિયાપુર          ભુંગળા
રસરાજ થાળ, સોલા                      બટર
ફુડ ઈન રેસ્ટોરન્ટ,લાલદરવાજા          પનીર
પ્રાઈમ સાગર હોટલ,કાલુપુર             પનીર
ફુડ ઈન રેસ્ટોરન્ટ, લાલદરવાજા         મલાઈ
દીપ રેસ્ટોરન્ટ,સરસપુર                  વેજ મન્ચુરીયન ડ્રાય
લીલીવાડી કાઠીયાવાડી ટેસ્ટ,નિકોલ    પનીર ચીઝ બટર મસાલા
ધ પોટેસ્ટ રેસ્ટોરન્ટ, નિકોલ              ટોમેટો સોસ
શ્રી રામ ટ્રેડર્સ, વિરાટનગર               ફ્રાયમ્સ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...