Monday, November 10, 2025

બર્થ ડે સર્ટિફિકેટમાં સુધારા માટે હવે એફિડેવિટની જરૂર નહી: સરકારના નવા પરિપત્રથી જનતાને મોટી રાહત

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા હોય તો નામમાં સુધારણાની છે. રાજય સરકાર દ્વારા જન્મના પ્રમાણપત્રને લઇને ચાલતી અસસમંજસ બાબતે કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે. બાળકોના જન્મ પ્રમાણપત્ર વખતે તેમનું નામ અલગ હોય અને આધારકાર્ડમાં નામ અલગ હોય તેવા સંજોગોમાં આધારકાર્ડ પ્રમાણેનું જન્મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્યારે કોઇપણ પ્રકારનું સોંગદનામું કરાવવાની જરૂર નથી.આરોગ્ય કમિશનરે નવો પરિપત્ર કર્યો છે. જેમાં નકલ પણ ફ્રીમાં આપવાની રહેશે. આ કારણે ઘણા લોકોને રાહત મળી જશે. લોકો બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે ધક્કા ખાતા હોય છે. સરકારના નવા પરિપત્રથી તેમને ફાયદો થશે.

આધારકાર્ડ પ્રમાણે સુધારા જન્મ પ્રમાણપત્ર સિવાય કેટલાક કિસ્સામાં એવી પણ અરજીઓ આવે છે કે, મૂળ નામ અલગ હોય અને તેમને જન્મ પ્રમાણપત્ર અલગ નવા નામથી લેવાની માગ કરી હોય. આવા કિસ્સામાં મૂળ નામ કરતા તદન અલગ નામ જેમ કે, રમેશભાઇનું કિશોરભાઇ કરી શકાય નહીં પણ રમેશભાઈનું રમેશલાલ કરી શકાય છે, એટલે કે સંપૂર્ણ ભાવાર્થ બદલાતો હોય તેવું નવું નામ રજિસ્ટરમાં દાખલ કરી શકાય નહીં.

પરિપત્ર કરીને સ્પષ્ટતા કરી છે તેમણે એવી પણ સૂચના આપી છે કે, આધારકાર્ડ પ્રમાણે સુધારો કરેલું જન્મનું પ્રમાણપત્ર આપતી વખતે કોઈ ફી પણ વસૂવાની રહેશે નહીં એટલે કે નવું બર્થ સર્ટિ ફ્રીમાં આપવાનું રહેશે. આરોગ્ય કમિશનરે રજિસ્ટાર અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓને તાકીદ કરી છે.

અત્યાર સુધી જન્મના દાખલામાં ’રમેશ’ના બદલે ’મહેશ’ નામ થઈ શકતું હતું. પણ હવેથી નિયમો બદલાઈ ગયા છે. અર્થાત્ મૂળ નામનો ભાવાર્થ બદલી શકાશે નહીં માત્ર મૂળ નામની પાછળ ’ભાઈ’ના બદલે ’લાલ’ કે ’કુમાર’ માં ફેરફાર કરી શકાશે. સુધારો સૂચવતો આ પરિપત્ર વર્ષો પહેલાં કરાઈ દેવાયો હતો. જન્મ-મરણ નોંધણી અધિનિયમ, 1969 મુજબ કોઈ પણ વ્યકિત પોતાનું નામ બદલી અને નવું નામ રજિસ્ટરમાં દાખલ કરવાની અરજી કરે તો તે સ્વીકારી શકાય નહીં. નામનો ભાવાર્થ બદલાતો ન હોય તો જ સુધારો થઈ શકે. આવો નિયમ હતો જ પણ વર્ષ 2009ના ઓગસ્ટ મહિનામાં રાજ્ય સરકારે તેમાં સુધારો કરતો પરિપત્ર કર્યો.

’પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિ અનુસાર જન્મ નોંધણી સમયે બાળકનું નામ જન્મ નોંધમાં હોય તેના બદલે શાળા પ્રવેશ વખતે જુદુ હોય અને ત્યારપછીના તમામ સરકારી અથવા અધિકૃત રેકોર્ડમાં બાળક કે વ્યકિતનું નામ તે જ દર્શાવેલ હોય તો આવા સંજોગોમાં સોંગદનામું અને જે તે પુરાવા તપાસીને તેમાં સુધારો કરી દેવો.આ પરિપત્ર કર્યા બાદ અરજદારો દ્વારા નામ સુધારણા માટે જે તે રજિસ્ટ્રાર કચેરીએ જરૂરી પુરાવા સાથે પહોંચી જતા હતા પણ તેને લઈને અનેક વિવાદો થતા હતા.

જન્મ વખતે બાળકનું નામ કંઈક અલગ રાખે અને પછી સ્કૂલમાં બાળકને મૂકે ત્યારે મનસૂફી પ્રમાણે નામ બદલી નાખે. જ્યારે પાસપોર્ટ કઢાવવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ પ્રકારે સુધારા કરાતા હતા પણ ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે ફરી એક વખત કાયદામાં જરૂરી સુધારો સૂચવતો પરિપત્ર કર્યો અને મૂળ નામમાં સુધારો નહીં કરવા રાજ્યના તમામ જન્મ-મરણ નોંધણી રજિસ્ટ્રારને આદેશ આપ્યો હતો ત્યારથી આ નિયમ ચાલે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...