Friday, January 16, 2026

અમદાવાદના આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટનો થાંભલો એક્ટિવાચાલક પર પડ્યો, યુવકને ગંભીર ઇજાઓ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીએ એક વ્યક્તિનો જીવ લઈ લીધો હોત. શહેરના પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસેથી એક યુવક એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ તેના પર સ્ટ્રીટ લાઈટનો થાંભલો પડ્યો હતો જેના કારણે યુવક નીચે પટકાયો હતો. થાંભલો થોડોક માથાને અડી અને સાઈડમાં પડ્યો હતો, જેના કારણે માથાના ભાગે સોજો આવી ગયો તો જ્યારે ખભામાં ફેક્ચર અને પગમાં ઇજા થઈ હતી. યુવકને 108 મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસેથી એક યુવક નોકરીથી પરત ફરી રહ્યો હતો, ત્યારે પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે સિગ્નલ બંધ હતું જેવું સિગ્નલ ચાલુ થયું અને પરિમલ અંદર પાસ તરફ જતો હતો. ત્યારે કાલુપુર બેંકની સામે જ અચાનક જ પવનના કારણે સ્ટ્રીટ લાઈટનો થાંભલો યુવક ઉપર પડ્યો હતો. માથાના ભાગે ટચ થઈ અને નીચે પડતા યુવક રોડ પર પડ્યો હતો અને અર્ધ બેભાન જેવો થઈ ગયો હતો.તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને 108 મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.યુવકને માથાના ભાગે સોજો, ખભે ફેક્ચર અને પગમાં ઈજા થઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે આ ઘટના બની છે.

પ્રિમોનસુન કામગીરી અંતર્ગત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અલગ અલગ કામગીરી કરતી હોય છે, પરંતુ જે સ્ટ્રીટ લાઇટના થાંભલાઓને તપાસવામાં આવતા નથી. પવનના કારણે આ થાંભલા પડી જાય કે કેમ વાયરો ખુલ્લા છે કે નહીં તે વગેરે ચકાસણી કરવાની જવાબદારી હોય છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગ દ્વારા કોઈ ચેકિંગ કરવામાં આવતું નથી. શહેરમાં અનેક થાંભલાઓ પણ બંધ હોય છે. જેની ચેકિંગ કરવાની જવાબદારી પણ લાઈટ વિભાગની હોય છે પરંતુ અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસી રહે છે. જેના કારણે નાગરિકોને તકલીફનો સામનો કરવો પડે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...