Thursday, March 12, 2026

અમદાવાદના આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટનો થાંભલો એક્ટિવાચાલક પર પડ્યો, યુવકને ગંભીર ઇજાઓ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીએ એક વ્યક્તિનો જીવ લઈ લીધો હોત. શહેરના પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસેથી એક યુવક એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ તેના પર સ્ટ્રીટ લાઈટનો થાંભલો પડ્યો હતો જેના કારણે યુવક નીચે પટકાયો હતો. થાંભલો થોડોક માથાને અડી અને સાઈડમાં પડ્યો હતો, જેના કારણે માથાના ભાગે સોજો આવી ગયો તો જ્યારે ખભામાં ફેક્ચર અને પગમાં ઇજા થઈ હતી. યુવકને 108 મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસેથી એક યુવક નોકરીથી પરત ફરી રહ્યો હતો, ત્યારે પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે સિગ્નલ બંધ હતું જેવું સિગ્નલ ચાલુ થયું અને પરિમલ અંદર પાસ તરફ જતો હતો. ત્યારે કાલુપુર બેંકની સામે જ અચાનક જ પવનના કારણે સ્ટ્રીટ લાઈટનો થાંભલો યુવક ઉપર પડ્યો હતો. માથાના ભાગે ટચ થઈ અને નીચે પડતા યુવક રોડ પર પડ્યો હતો અને અર્ધ બેભાન જેવો થઈ ગયો હતો.તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને 108 મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.યુવકને માથાના ભાગે સોજો, ખભે ફેક્ચર અને પગમાં ઈજા થઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે આ ઘટના બની છે.

પ્રિમોનસુન કામગીરી અંતર્ગત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અલગ અલગ કામગીરી કરતી હોય છે, પરંતુ જે સ્ટ્રીટ લાઇટના થાંભલાઓને તપાસવામાં આવતા નથી. પવનના કારણે આ થાંભલા પડી જાય કે કેમ વાયરો ખુલ્લા છે કે નહીં તે વગેરે ચકાસણી કરવાની જવાબદારી હોય છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગ દ્વારા કોઈ ચેકિંગ કરવામાં આવતું નથી. શહેરમાં અનેક થાંભલાઓ પણ બંધ હોય છે. જેની ચેકિંગ કરવાની જવાબદારી પણ લાઈટ વિભાગની હોય છે પરંતુ અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસી રહે છે. જેના કારણે નાગરિકોને તકલીફનો સામનો કરવો પડે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...