Monday, January 19, 2026

અમદાવાદ કમિશ્નરના જાહેરનામામાં સુધારો, કારમાં લાકડી કે સ્ટીક રાખવી હવે ગુનો નથી!

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે ગંભીર અવલોકન કરતાં અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા હથિયારો રાખવા પર પ્રતિબંધ મૂકતા જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં દંડા, લાકડી, સોટી અથવા તો લાઠીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં પણ હથિયારબંધીના જાહેરનામામાં દંડા, લાકડી, સોટી અથવા તો લાઠી જેવા હથિયારોનો સમાવેશ કર્યા વિના જ જાહેરનામામાં સુધારો કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત હાઈકોર્ટમાં ગત 12મી જૂનના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે, કોઈપણ વ્યક્તિની કારમાંથી બેઝબોલ રમવાની સ્ટીક મળે એટલે એ વ્યક્તિ ગુનેગાર કેવી રીતે થઈ જાય? અને પોલીસ દ્વારા તેની સામે ગુનો શા માટે દાખલ કરવામાં આવે છે? કોર્ટના આ અવલોકન બાદ પોલીસ કમિશ્નર દ્વારા હથિયારબંધીનું સુધારેલ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અગાઉના જાહેરનામામાં દંડા, તલવાર, ભાલા, સોટી, બંદૂક, ખંજર તથા સામાન્ય રીતે રામપુરી બનાવટવાળા કોઈપણ ચપ્પુ, જે અઢી ઈંચથી વધારે લાંબુ, છેડેથી અણીવાળુ પાનુ હોય તેવા ચપ્પા સાથે રાખી ફરવાની તેમજ લાકડી અથવા લાઠી, શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે એવી બીજી કોઈ ચીજો લઈ જવાની મનાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. હવે પોલીસ કમિશ્નરે કોર્ટના અવલોકનને ધ્યાને રાખીને કેટલોક સુધારો કર્યો છે.

અમદાવાદ પોલીસ કમિશ્નરના આ જાહેરનામાંથી એવા લોકોને રાહત મળશે જેમની વિરુદ્ધ આ મામલે અગાઉ ગુનો નોંધાયો હતો. એટલે કે વિદ્યાર્થીઓ સહિત જે નિર્દોષ લોકો પર GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ થયો હતો અને આ ગુનો પાસપોર્ટ સહિતની અનેક કાર્યવાહીમાં નડતા હતા એ હવે નહીં થાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...