Sunday, January 25, 2026

ધોળા દિવસે અમદાવાદના આ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો બનાવ, સોના-ચાંદીના દાગીનાની લૂંટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વખત લૂંટની ઘટના સામે આવી છે. બોપલ વિસ્તારમાં કનકપુરા જ્વેલર્સમાં સોના-ચાંદીનાના દાગીના ભરેલી થેલીની લૂંટ ચલાવી ચાર શખ્સ ફરાર થઇ ગયા હતા.જેને લઈને લોકો વિચારમાં મુકાઈ ગયા છે.ઘટનાને લઈને હાલ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં કનકપુરા જ્વેલર્સમાં આ લૂંટની ઘટના સામે આવી છે. જેમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.ચાર લૂંટારા જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. ત્રણ લુંટારા દુકાનમાં લૂંટ માટે પ્રવેશ્યા હતા જ્યારે એક લૂંટારો દુકાનની બહાર પહેરો ભરી રહ્યો હતો. લૂંટારા સોના-ચાંદીના દાગીના ભરેલી થેલી લઇને ફરાર થઇ ગયા હતા.બનાવની જાણ થતા જ બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને CCTV કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

જે જ્વેલર્સની દુકાનમાં આ લૂંટની ઘટના બની છે તે જ્વેલર્સનું નામ કનકપુરા જ્વેલર્સ હોવાનું હોવાનું સામે આવ્યું છે.શહેરના પોશ વિસ્તારમાં ધોળા દિવસે બનેલી આ લૂંટની ઘટનાને હાલ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. ઘટનાને લઈને પોલીસ પણ દોડતી થઈ ગઈ છે અને આરોપીઓને શોધી રહી છે. સમગ્ર મામલે પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, આ લૂંટની ઘટનામાં 4 આરોપી હોવાનું સામે આવ્યું છે. 4 લોકોએ ભેગા મળીને આ લૂંટને અંજામ આપ્યો જેમાં આરોપીઓએ મોટા પ્રમાણમાં સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી અને લૂંટને અંજામ આપીને આરોપી ફરાર થઈ ગયા.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...