Wednesday, January 21, 2026

અમદાવાદમાં આ જાણીતી હોટલમાં ગ્રાહકે ઓર્ડર કર્યો અને પીરસાયું નોન-વેજ, જુઓ વીડિયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં હોટલમાં ખાવા જતા પહેલા ચેતી જજો, એમાંય જો વેજિટેરિયન અને નોન-વેજિટેરિયન એમ બંને જમવાનું પીરસતી હોટલમાં જમવા જતા હો તો વિચાર કરજો, બોડકદેવમાં આવેલી બેલાસેન હોટલમાં ગ્રાહકને નોનવેજ પીરસી દેવામાં આવ્યું છે. જેમા ગ્રાહકને વેજિટેરિયનના બદલે નોનવેજ પીરસી દેવાતા ગ્રાહકે હોબાળો કર્યો હતો. તેમાં ગ્રાહકે મંગાવેલી પનીરની શબ્જીમાથી ચિકન નીકળ્યું હતું. તેથી ગ્રાહકે હોટલ મેનેજરને જાણ કરતા સ્ટાફના લોકોએ દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 31મી ડિસેમ્બરે એક ગ્રુપના મિત્રો એકઠા થઇ એસજી હાઇવે પર બોડકદેવ, પકવાન ચાર રસ્તા નજીક આવેલી બેલાસેન બિસ્ટ્રો હોટલમાં જમવા માટે ગયા હતા. એમાં તેમણે અલગ અલગ પનીરની સબજી મગાવી હતી. 4 મિત્રો જૈન અને 1 મિત્ર સ્વામિનારાયણ ધર્મનું પાલન કરતા હતા. જમવાની જ્યારે શરૂઆત કરી ત્યારે સ્વામિનારાયણ ધર્મ પાળતા યુવકે તો જમવાનું પણ ચાલુ કરી દીધું હતું. પનીરને તોડીને ખાવાનો પ્રયત્ન કર્યો તો ચિકન જેવું લાગ્યું હતું, જેથી તેણે ડિશમાં કાઢીને જોતાં ચિકન નીકળ્યું હતું.

જોકે હોટલના સ્ત્તાવાળાઓ દ્વારા ઓનલાઇન વેજ ફુડને બદલે નોનવેજ ફૂડ આપી દેવાતા સનસનાટી મચી ગઇ હતી. આ બેદરકારી ઉઘાડી પાડયા બાદ સબંધિત ગ્રાહકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો.જ્યારે સમગ્ર મામલે હોટલના મેનેજર અને તેના શેફને રજૂઆત કરી તો તેઓ દ્વારા માફી માગવાની જગ્યાએ તેમની સામે દાદાગીરી કરવા લાગ્યા હતા. મેનેજરને તેમના રસોડામાં અલગ રસોડું છે કે કેમ એ બતાવો એવું કહેતાં દાદાગીરી કરવા લાગ્યા હતા. આ બાબતે રકઝક કરી હતી.

જેના પગલે ગ્રાહકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી ત્યારે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા, જોકે ત્યાં કોઈ અધિકારી હાજર નહોતા, તેથી આ મામલે હવે તેઓ દ્વારા ફરિયાદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...