Friday, March 13, 2026

અમદાવાદમાં આ જાણીતી હોટલમાં ગ્રાહકે ઓર્ડર કર્યો અને પીરસાયું નોન-વેજ, જુઓ વીડિયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં હોટલમાં ખાવા જતા પહેલા ચેતી જજો, એમાંય જો વેજિટેરિયન અને નોન-વેજિટેરિયન એમ બંને જમવાનું પીરસતી હોટલમાં જમવા જતા હો તો વિચાર કરજો, બોડકદેવમાં આવેલી બેલાસેન હોટલમાં ગ્રાહકને નોનવેજ પીરસી દેવામાં આવ્યું છે. જેમા ગ્રાહકને વેજિટેરિયનના બદલે નોનવેજ પીરસી દેવાતા ગ્રાહકે હોબાળો કર્યો હતો. તેમાં ગ્રાહકે મંગાવેલી પનીરની શબ્જીમાથી ચિકન નીકળ્યું હતું. તેથી ગ્રાહકે હોટલ મેનેજરને જાણ કરતા સ્ટાફના લોકોએ દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 31મી ડિસેમ્બરે એક ગ્રુપના મિત્રો એકઠા થઇ એસજી હાઇવે પર બોડકદેવ, પકવાન ચાર રસ્તા નજીક આવેલી બેલાસેન બિસ્ટ્રો હોટલમાં જમવા માટે ગયા હતા. એમાં તેમણે અલગ અલગ પનીરની સબજી મગાવી હતી. 4 મિત્રો જૈન અને 1 મિત્ર સ્વામિનારાયણ ધર્મનું પાલન કરતા હતા. જમવાની જ્યારે શરૂઆત કરી ત્યારે સ્વામિનારાયણ ધર્મ પાળતા યુવકે તો જમવાનું પણ ચાલુ કરી દીધું હતું. પનીરને તોડીને ખાવાનો પ્રયત્ન કર્યો તો ચિકન જેવું લાગ્યું હતું, જેથી તેણે ડિશમાં કાઢીને જોતાં ચિકન નીકળ્યું હતું.

જોકે હોટલના સ્ત્તાવાળાઓ દ્વારા ઓનલાઇન વેજ ફુડને બદલે નોનવેજ ફૂડ આપી દેવાતા સનસનાટી મચી ગઇ હતી. આ બેદરકારી ઉઘાડી પાડયા બાદ સબંધિત ગ્રાહકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો.જ્યારે સમગ્ર મામલે હોટલના મેનેજર અને તેના શેફને રજૂઆત કરી તો તેઓ દ્વારા માફી માગવાની જગ્યાએ તેમની સામે દાદાગીરી કરવા લાગ્યા હતા. મેનેજરને તેમના રસોડામાં અલગ રસોડું છે કે કેમ એ બતાવો એવું કહેતાં દાદાગીરી કરવા લાગ્યા હતા. આ બાબતે રકઝક કરી હતી.

જેના પગલે ગ્રાહકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી ત્યારે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા, જોકે ત્યાં કોઈ અધિકારી હાજર નહોતા, તેથી આ મામલે હવે તેઓ દ્વારા ફરિયાદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...