Tuesday, January 13, 2026

જૂની સોસાયટીના રિડેવલપમેન્ટના ઝગડામાં RERAમાં ફરિયાદ કરતા પહેલા આ જાણી લેજો, બદલાયો કાયદો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આજે પણ અનેક જૂના મકાનો અને ફ્લેટ છે, જેના રિડેવલપમેન્ટ માટે વાતચીત ચાલી રહી છે. ત્યારે રિડેવપલમેન્ટ માટે અનેક બિલ્ડર મકાન માલિકો સાથે છેતરપીંડી કરતા હોય છે. આ માટે તેઓ મકાન માલિકોને અનેક સ્કીમ આપે છે. જો મકાન રિડેવલપમેન્ટ માટે આપતા પહેલા જૂના સભ્યો હવે વિચારવાની જરૂર છે. કારણ કે, બિલ્ડર સાથેનો વિવાદ RERAમાં નહિ, પરંતુ સિવિલ કોર્ટમાં ઉકેલાશે. આ અંગે નવા અપડેટ આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ (RERA) એક ચુકાદો આપ્યો છે. જે મુજબ, રિડેવલપમેન્ટ માટે બિલ્ડરની જમીન આપનાર જૂના સભ્યો બિલ્ડરના નવા પાર્ટનર જ ગણાય. જૂના સભ્યોએ રિડેવલપમેન્ટના કામમાં બિલ્ડરના સહપ્રાયોજક ગણાય. તેથી તેમના અને બિલ્ડર વચ્ચે કોઈ વિવાદ થાય તો રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) પાસે ન્યાય માંગવા ન જઈ શકાય, પરંતુ સિવિલ સ્યૂટ ફાઈલ કરવો પડે. તેમની ફરિયાદનો RERA કોઈ ચુકાદો ન આપી શકે. RERA કોર્ટ નવા ખરીદનાર અને બિલ્ડર વચ્ચેના ઝગડા ઉકેલે છે.

અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રાજપુર-હીરપુર તુષા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી આવેલી છે. જેના રિડેવલપમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવાયું હતું. રિડેવલપમેન્ટ કામમાં જૂના મેમ્બર અને બિલ્ડર વચ્ચે વિવાદ થયો હતો. જેના બાદ સમગ્ર મામલો RERA પાસે પહોચ્યો હતો. 24 થી 30 મહિનામાં ફ્લેટ આપવાનું કહીને બિલ્ડર ફરી ગયો હતો. નવા કરાર મુજબ, સોસાયટીવાળીઓને 130 વારનો ફ્લેટ આપવાનો કરાર થયો હતો.

પરંતુ આ પ્રોજેક્ટમાં જૂના સભ્યોની સહી સહમતી લેવાઈ ન હતી. તેથી જૂના સદસ્ય રિડેવલપમેન્ટ રોકવા માટે સિવિલ કોર્ટ ગયા હતા. સિવિલ કોર્ટમાં સમાધાન થયું હતું. જેમાં 24 થી 30 માસમાં મકાન માલિકોને કબજો સોંપવાનું નક્કી કરાયું હતું. કરાર છતાં સોસાયટીના સભ્યોને ગિફ્ટ મનીના 10 લાખ રૂપિયા ચૂકવાયા ન હતા. સાથે જ બિલ્ડરની અનેક ક્ષતિ સામે આવી હતી. કબજો સોંપાવામાં વિલંબ થતા ગાળાનું વ્યાજ ચૂકવાયું ન હતું. તેમ જ એમિનિટીઝ આપવા કરાર કર્યા પછી એ પણ અપાઈ નહતી.

જૂના બાંધકામને તોડીને નવા બાંધકામ કરી આપવાના અથવા તો જૂના બાંધકામ ઉપરાંતના યુનિટો બાંધીને તેને વેચવાની શરતે કરાર કરવામાં આવે છે. તુષા કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના નવા તૈયાર થયેલા મકાનમાં મોટાભાગના સભ્ય જૂના જ સભ્ય છે. તેમાં ફ્લેટ વેચાણ આપેલા નથી. આ -સોસાયટીના રિડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં જૂના સભ્ય સહપ્રયોજકની કેટેગરીમાં આવે છે. આમ પ્રમોટર અને પ્રાયોજક વચ્ચેનો વિવાદ હોવાનું જણાય છે.

અર્ધન્યાયિક સત્તા ગણાતી RERA-રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીના મેમ્બર એમ.એ. ગાંધીએ 12 જૂને આપેલા ચૂકાદામાં જણાવ્યું કે, રિયલ એસ્ટેટે રેગ્યુલેટરી એક્ટનો ઉદ્દેશ રિયલ એસ્ટેટ ક્ષેત્રે થતાં વેચાણના વ્યવહારને લક્ષ્યમાં રાખવામાં આવેલો છે. જ્યારે પુનર્વસવાટ-રિહેબિલેશનનો સમાવેશ થતો નથી. તુષા એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ રિડેવલમેન્ટ-પુનઃનિર્માણનો નહિ, રહેબિલેશન-પુનર્વસનનો પ્રોજેક્ટ છે. તેથી ફરિયાદી પણ પ્રોજેક્ટની જમીનનો માલિ હોવાને કારણે પ્રોજેક્ટનો સહપ્રયોજક છે. સહપ્રયોજક અને પ્રયોજક વચ્ચેના વિવાદનો નીવેડો લાવવાની કોઈ જ સત્તા RERA કોર્ટ પાસે છે જ નહિ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....