Saturday, November 8, 2025

સ્કૂલ-વાહનોની હડતાલનો સુખદ અંત, વાહનની પરમિટ માટે 45 દિવસનો સમય ફાળવાયો, RTO સાથેની બેઠક બાદ નિર્ણય

spot_img
Share

અમદાવાદ: સ્કૂલ વેન અને રિક્ષાની હડતાલને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આખરે અમદાવાદના સ્કૂલવાન અને સ્કૂલ રીક્ષા ચાલકોની હડતાલ સમેટાઈ છે. બે દિવસથી ચાલતી હડતાળનો સુખદ અંત આવ્યો છે. સ્કૂલ વેન ચાલકોની વાહન પરમીટ અને ફિટનેસ સર્ટિફિકેટની માંગને લઇ 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અમદાવાદ RTO એ વાત સ્પષ્ટ કરે છે કે નિયમોમાં કોઈ પણ પ્રકારની બાનછોડ નહીં થાય. 45 દિવસના આ સમય દરમિયાન જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી જે તે પરમિટ વગરના વાહન ચાલકની રહેશે.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સુભાષબ્રીજ RTO કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિયેશનની બેઠક મળી હતી અને બેઠકમાં સ્કૂલ વર્ધી એસોસિયેશનના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. એસોસિયેશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માંગી હતી. RTO અને વર્ધી એસોસિયેશન વચ્ચે ચર્ચા થઈ હતી ત્યારે ચર્ચાના અંતે હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આખરે સ્કૂલ વાનચાલકોને 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે.બેઠકનો સુખદ અંત આવ્યો, RTO જે.જે પટેલ સાથેની બેઠક બાદ હડતાલ સમેટવામાં આવી છે.

હાલ માત્ર 800 થી 1000 જેટલા વાહનોને જ સ્કૂલ વાહનની પરમિટ છે. જ્યારે શહેરમાં 15 હજાર જેટલા સ્કૂલ વાહનો છે. ત્યારે આ તમામ વાહનોની પરમિટ માટે ત્રણ મહિનાનો સમય માંગવામાં આવ્યો હતો જે મામલે બેઠકમાં ચર્ચા થઈ હતી અને આખરે સ્કૂલ વાનચાલકોને 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

RTO સાથે બેઠક બાદ સ્કૂલ વર્ધી એસોસિએશન પ્રમુખ ધર્મેન્દ્ર ભ્રમભટ્ટનું નિવેદન છે કે, બેઠક બાદ હડતાલ સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી અમે બાળકોને લેવા જવાનું શરૂ કરીશું. વાહનોને કાયદેસર કરવાની કામગીરી બે મહિનામાં પૂર્ણ કરીશું. ઝડપ અને મીટર, સીએનજી ટેન્ક બાબતની અમારી માંગ જારી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...