Wednesday, March 4, 2026

ગોતાબ્રિજ પાસે અજાણ્યા વાહનચાલકે વૃધ્ધ દંપતીને ટક્કર મારતા વૃધ્ધનું મોત

spot_img
Share

અમદાવાદ : ગોતાબ્રિજ ચાર રસ્તા પાસે અજાણ્યા વાહનચાલકે બાઇક પર સવાર વૃધ્ધ દંપતીને ટક્કર મારતા વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે એસજી હાઇવે ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 2 નવેમ્બરે નવા વાડજમાં રહેતા 65 વર્ષીય પ્રફુલકુમાર પરમાર પોતાની પત્ની ઉષાબેન સાથે બાઇક લઇને ઘુમામાં આવેલ પુરષોત્તમ લાલજી મહારાજના આશ્રમમાં ગયા હતા. ત્યાંથી તેઓ પરત ઘરે આવતા હતા ત્યારે ગોતાબ્રિજ ચાર રસ્તા પાસે ક્રોસ કરતી વખતે પુરઝડપે આવી રહેલ અજાણ્યા વાહનચાલકે બાઇકને ટક્કર મારી હતી. જેથી વૃધ્ધ દંપતી જમીન પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયુ હતુ.

અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો ત્યારે આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત દંપતીને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યુ હતુ. જ્યાં સારવાર દરમ્યાન 5 નવેમ્બરે પ્રફુલભાઇનું મોત નિપજ્યુ હતુ. આ અંગે તેમના પુત્ર કરણે અજાણ્યા વાહનચાલક સામે એસજી હાઇવે-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...