Sunday, January 18, 2026

ગોતાબ્રિજ પાસે અજાણ્યા વાહનચાલકે વૃધ્ધ દંપતીને ટક્કર મારતા વૃધ્ધનું મોત

spot_img
Share

અમદાવાદ : ગોતાબ્રિજ ચાર રસ્તા પાસે અજાણ્યા વાહનચાલકે બાઇક પર સવાર વૃધ્ધ દંપતીને ટક્કર મારતા વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે એસજી હાઇવે ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 2 નવેમ્બરે નવા વાડજમાં રહેતા 65 વર્ષીય પ્રફુલકુમાર પરમાર પોતાની પત્ની ઉષાબેન સાથે બાઇક લઇને ઘુમામાં આવેલ પુરષોત્તમ લાલજી મહારાજના આશ્રમમાં ગયા હતા. ત્યાંથી તેઓ પરત ઘરે આવતા હતા ત્યારે ગોતાબ્રિજ ચાર રસ્તા પાસે ક્રોસ કરતી વખતે પુરઝડપે આવી રહેલ અજાણ્યા વાહનચાલકે બાઇકને ટક્કર મારી હતી. જેથી વૃધ્ધ દંપતી જમીન પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયુ હતુ.

અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો ત્યારે આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત દંપતીને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યુ હતુ. જ્યાં સારવાર દરમ્યાન 5 નવેમ્બરે પ્રફુલભાઇનું મોત નિપજ્યુ હતુ. આ અંગે તેમના પુત્ર કરણે અજાણ્યા વાહનચાલક સામે એસજી હાઇવે-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...