Monday, March 16, 2026

ઘાટલોડીયાની ત્રિપદા સ્કૂલ બંધ કરવાની જાહેરાત થતાં વાલીઓનો હોબાળો

spot_img
Share

અમદાવાદ: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. હજુ તો નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે ત્યાં જ સ્કૂલ બંધ કરવાની વાત સામે આવતા વાલીઓ મૂંઝાયા હતા. અને શાળાએ વાલીઓ પૂછપરછ કરવા જતાં સંચાલકે દરવાજા પર પોલીસ ગોઠવી દેતા વાલીઓ રોષે ભરાયા હતા અને NSUI એ સ્કૂલ પર પહોંચીને ઉગ્ર વિરોધ કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ઘાટલોડિયામાં સ્થિત ત્રિપદા સ્કૂલમાં 1 થી 8 ધોરણ ગુજરાતી માધ્યમમાં ચલાવવામાં આવતું હતું. જે બંધ કરીને સ્કૂલે ઈંગ્લીશ માધ્યમમાં સ્કૂલ શરૂ કરી છે. ગુજરાતી માધ્યમ અચાનક જ બંધ કરી અચાનક જ વાલીઓને જાણ કરવામાં આવી હતી. જે વાલીએ અત્યાર સુધી ફી ભરીને બાળકોને ભણાવ્યા તે વાલી પોતાના બાળકને અન્ય જગ્યાએ ચાલુ વર્ષે કોણ એડમિશન આપશે તેને લઈને વાલીઓ રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો.

અમદાવાદ શહેરના DEO હિતેન્દ્રસિંહ પઢેરિયાએ કહ્યું હતું કે, ત્રિપદા સ્કૂલ અંગે અમને કોઇ રજૂઆત મળી નથી. અમને અતુલ પ્રાથમિક શાળા તરફથી રજુઆત મળી છે. જે મામલે અમારી ટીમ તપાસ કરી રહી છે. RTE ના બાળકોને એક વર્ગમાં ભણાવવામાં આવે છે તે પણ અમારા ધ્યાન પર આવ્યું છે. જે અંગે પણ કરવા તપાસ સમિતિની રચના કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...