Friday, April 17, 2026

ગીફટ મનીનું ભૂત ફરી ધુણ્યું ! નારણપુરાની કેટલીક હાઉસીંગ સોસાયટીઓમાં ગીફટ મનીની અપાયા હોવાની ચર્ચા…!!

spot_img
Share

અમદાવાદ : નારણપુરા, સોલા અને નવા વાડજમાં અનેક હાઉસીંગ વસાહતોમાં સરકારની રિડેવલપમેન્ટ પોલીસી હેઠળ રિડેવલપમેન્ટ ચાલી રહ્યું છે.હાઉસિંગ કોલોનીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં સૌથી અગત્યનો પ્રશ્ન મોટુ બાંધકામ અને ગીફટ મની છે.ગીફટ મનીને કયાંક ફર્નીચરના તરીકે, તો કયાંય રોકડ તો કયાંક સોનાની લગડી તરીકે ગીફટ મનીની ડિમાન્ડ થઈ રહી છે.

એક ચર્ચા મુજબ, હાઉસિંગ રિડેવલમેન્ટમાં બિલ્ડર દ્વારા ગીફટ મનીનો મુદ્દો હાલ ચર્ચામાં છે, કારણ કે તાજેતરમાં હાઉસીંગની કેટલીક સોસાયટીઓમાં ગીફટ મની કે ગીફટ આપવામાં આવી હોવાની હાઉસીંગના આગેવાનો અને રહીશોમાં ચર્ચા થઈ રહી છે. જેમાં તાજેતરમાં નારણપુરામાં કેટલીક સોસાયટીઓમાં ગીફટ મની તરીકે ૫ લાખ આપવામાં આવી હોવાની ચર્ચાએ વેગ પકડયો છે. આ અગાઉ નારણપુરામાં જ શાસ્ત્રીનગરમાં એમ બ્લોકમાં ડેવલપર દ્વારા ગીફટ મની તરીકે ૧૦ ગ્રામ સોનાની લગડી આપવામાં આવી હોવાની ચર્ચા હતી.થોડાક સમય અગાઉ પણ વસ્ત્રાપુરના આનંદવિહાર એપાર્ટમેન્ટ, નારણપુરાના એકતા ફેસ્ટિવલ, નવા વાડજના કીરણપાર્કમાં ગીફટ મની આપ્યા હોવાની ચર્ચા થઈ હતી.

હવે તમને જણાવી દઈએ હાઉસીંગની રિડેવલમેન્ટ પોલીસીમાં કયાંય ગીફટ મનીનો ઉલ્લેખ નથી, સાથે સાથે એવો પણ કોઈ ઉલ્લેખ નથી કરાયો કે જેમાં કહેવામાં આવ્યું છે કે ગીફટ મની ન આપવી, જાે હોય તો સ્પષ્ટ ઉલ્લેખ કર્યાે હોય કે ગીફટ મની પર પ્રતિબંધ છે.આમ પોલીસી વખતે ગીફટ મની મુદ્દે ડેવલપર અને હાઉસિંગના રહીશો પર છોડી દેવામાં આવ્યું હોવાનું જાણકારો માની રહ્યાં છે.જયાં રહીશો અને ડેવલપર વચ્ચે સહમતી સધાય તો આપી શકાય અને ન સધાય તો ઈન્કાર પણ કરી શકાય એમ છે.

હવે જો ખાનગી સોસાયટીઓના રિડેવલપમેન્ટની વાત કરવામાં આવે તો મોટાભાગની ખાનગી સોસાયટીઓમાં મોટુ બાંધકામ સહિત ગીફટ મની કે ફર્નીચર લેખે ૩થી ૫ લાખ આપ્યા હોવાની વાતો સામે આવી છે,આ ઉપરાંત ખાનગી સોસાયટીઓમાં ગીફટ મની સાથે એસી, ફ્રીજ કે ફર્નીચર પણ કયાંક અપાયા હોવાની વાતો બહાર આવી છે.

આમ સરકારની રિડેવલપમેન્ટ પોલીસીની વાત માનીએ તો સરકાર કે હાઉસીંગ બોર્ડ ગીફટ મનીને લઈને કયાંય વચ્ચે આવતું નથી. આ મુદ્દો હાઉસીંગના રહીશો અને બિલ્ડર પર છોડી દીધો હોવાનું મનાઈ રહ્યું છે.અને અત્યાર સુધી રિડેવલપમેન્ટમાં ગયેલ હાઉસિંગની સોસાયટીઓમાં કેટલીક સોસાયટીઓમાં ગીફટ મની અપાયા છે, તો કયાંક નથી અપાયા.

આમ તાજેતરમાં નારણપુરામાં કેટલીક સોસાયટીમાં, નારણપુરામાં નીધી એપાર્ટમેન્ટમાં ગીફટ મની તરીકે ૫ લાખ અને શાસ્ત્રીનગરમાં એમ બ્લોકમાં બિલ્ડર દ્વારા ગીફટ મની તરીકે ૧૦ ગ્રામ સોનાની લગડી આપવામાં આવતા હાઉસીંગના રહીશો ઉત્સાહમાં આવી ગયા છે.અને આવનાર સમયમાં તેઓને રિડેવલપમેન્ટ દરમ્યાન ગીફટ મની મળશે એવી આશા સેવી રહ્યા છે.

હાઉસિંગના અગ્રણી વિનોદભાઈ ચૌહાણનું મંતવ્ય
ગીફટ મની એ ભીખ નથી, હક છે, ઘરના સંસ્મરણો અને ફર્નીચરના નુકશાન તરીકે ગણવું જાેઈએ

અમદાવાદ :”નાગરિક સેવા સંગઠન”ના અગ્રણી વિનોદભાઈ ચૌહાણના મંતવ્ય મુજબ,જે એસોસિએશનના હોદ્દેદારોએ સોસાયટીઓના રહીશોના હીતની ચિંતા કરી છે એવી દરેક મોટાભાગની સોસાયટીઓમા રીડેવલપમેન્ટમાં ગીફ્ટ મનીની ચુકવણી ડેવલપરે કરેલી જ છે. ગીફ્ટ મની શબ્દ વિશે તેઓએ વધુમાં જણાવ્યુ કે,ગીફ્ટ મની એટલે આપણે બિલ્ડર પાસે ભીખ માંગતા હોય એવુ લાગે છે, પરંતુ જે ઘરમા બાળપણ વીતીને જવાન થયુ હોય, માબાપના ઘડપણની યાદો છુપાયેલી હોય એવા સંસ્મરણોને રુપીયાઓથી કયારેય તોલી ના શકાય માટે બિલ્ડર પાસેથી ગીફ્ટ મની ના રુપે નહી, પરંતુ ઘરના ફર્નિચરની તથા અન્ય નુકશાનીના વળતર પેટે અવશ્ય નુકશાની લેવી જ જાેઈએ.તેઓએ દરેક એસોસિએશનને વિનંતી કરી છે કે,તમારી સોસાયટીઓની કરોડોની જમીન બિલ્ડર મામુલી રકમ પ્રીમિયમ પેટે ભરીને લે છે માટે બધાએ સામુહીક વળતરની માંગણી કરવી જ જાેઈએ.બિલ્ડર એ વેપારી છે એ કયારેય લાભનો મોકો જતો નહી કરે એ વાત ચોક્કસ છે….

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...