Wednesday, January 14, 2026

ગીફટ મનીનું ભૂત ફરી ધુણ્યું ! નારણપુરાની કેટલીક હાઉસીંગ સોસાયટીઓમાં ગીફટ મનીની અપાયા હોવાની ચર્ચા…!!

spot_img
Share

અમદાવાદ : નારણપુરા, સોલા અને નવા વાડજમાં અનેક હાઉસીંગ વસાહતોમાં સરકારની રિડેવલપમેન્ટ પોલીસી હેઠળ રિડેવલપમેન્ટ ચાલી રહ્યું છે.હાઉસિંગ કોલોનીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં સૌથી અગત્યનો પ્રશ્ન મોટુ બાંધકામ અને ગીફટ મની છે.ગીફટ મનીને કયાંક ફર્નીચરના તરીકે, તો કયાંય રોકડ તો કયાંક સોનાની લગડી તરીકે ગીફટ મનીની ડિમાન્ડ થઈ રહી છે.

એક ચર્ચા મુજબ, હાઉસિંગ રિડેવલમેન્ટમાં બિલ્ડર દ્વારા ગીફટ મનીનો મુદ્દો હાલ ચર્ચામાં છે, કારણ કે તાજેતરમાં હાઉસીંગની કેટલીક સોસાયટીઓમાં ગીફટ મની કે ગીફટ આપવામાં આવી હોવાની હાઉસીંગના આગેવાનો અને રહીશોમાં ચર્ચા થઈ રહી છે. જેમાં તાજેતરમાં નારણપુરામાં કેટલીક સોસાયટીઓમાં ગીફટ મની તરીકે ૫ લાખ આપવામાં આવી હોવાની ચર્ચાએ વેગ પકડયો છે. આ અગાઉ નારણપુરામાં જ શાસ્ત્રીનગરમાં એમ બ્લોકમાં ડેવલપર દ્વારા ગીફટ મની તરીકે ૧૦ ગ્રામ સોનાની લગડી આપવામાં આવી હોવાની ચર્ચા હતી.થોડાક સમય અગાઉ પણ વસ્ત્રાપુરના આનંદવિહાર એપાર્ટમેન્ટ, નારણપુરાના એકતા ફેસ્ટિવલ, નવા વાડજના કીરણપાર્કમાં ગીફટ મની આપ્યા હોવાની ચર્ચા થઈ હતી.

હવે તમને જણાવી દઈએ હાઉસીંગની રિડેવલમેન્ટ પોલીસીમાં કયાંય ગીફટ મનીનો ઉલ્લેખ નથી, સાથે સાથે એવો પણ કોઈ ઉલ્લેખ નથી કરાયો કે જેમાં કહેવામાં આવ્યું છે કે ગીફટ મની ન આપવી, જાે હોય તો સ્પષ્ટ ઉલ્લેખ કર્યાે હોય કે ગીફટ મની પર પ્રતિબંધ છે.આમ પોલીસી વખતે ગીફટ મની મુદ્દે ડેવલપર અને હાઉસિંગના રહીશો પર છોડી દેવામાં આવ્યું હોવાનું જાણકારો માની રહ્યાં છે.જયાં રહીશો અને ડેવલપર વચ્ચે સહમતી સધાય તો આપી શકાય અને ન સધાય તો ઈન્કાર પણ કરી શકાય એમ છે.

હવે જો ખાનગી સોસાયટીઓના રિડેવલપમેન્ટની વાત કરવામાં આવે તો મોટાભાગની ખાનગી સોસાયટીઓમાં મોટુ બાંધકામ સહિત ગીફટ મની કે ફર્નીચર લેખે ૩થી ૫ લાખ આપ્યા હોવાની વાતો સામે આવી છે,આ ઉપરાંત ખાનગી સોસાયટીઓમાં ગીફટ મની સાથે એસી, ફ્રીજ કે ફર્નીચર પણ કયાંક અપાયા હોવાની વાતો બહાર આવી છે.

આમ સરકારની રિડેવલપમેન્ટ પોલીસીની વાત માનીએ તો સરકાર કે હાઉસીંગ બોર્ડ ગીફટ મનીને લઈને કયાંય વચ્ચે આવતું નથી. આ મુદ્દો હાઉસીંગના રહીશો અને બિલ્ડર પર છોડી દીધો હોવાનું મનાઈ રહ્યું છે.અને અત્યાર સુધી રિડેવલપમેન્ટમાં ગયેલ હાઉસિંગની સોસાયટીઓમાં કેટલીક સોસાયટીઓમાં ગીફટ મની અપાયા છે, તો કયાંક નથી અપાયા.

આમ તાજેતરમાં નારણપુરામાં કેટલીક સોસાયટીમાં, નારણપુરામાં નીધી એપાર્ટમેન્ટમાં ગીફટ મની તરીકે ૫ લાખ અને શાસ્ત્રીનગરમાં એમ બ્લોકમાં બિલ્ડર દ્વારા ગીફટ મની તરીકે ૧૦ ગ્રામ સોનાની લગડી આપવામાં આવતા હાઉસીંગના રહીશો ઉત્સાહમાં આવી ગયા છે.અને આવનાર સમયમાં તેઓને રિડેવલપમેન્ટ દરમ્યાન ગીફટ મની મળશે એવી આશા સેવી રહ્યા છે.

હાઉસિંગના અગ્રણી વિનોદભાઈ ચૌહાણનું મંતવ્ય
ગીફટ મની એ ભીખ નથી, હક છે, ઘરના સંસ્મરણો અને ફર્નીચરના નુકશાન તરીકે ગણવું જાેઈએ

અમદાવાદ :”નાગરિક સેવા સંગઠન”ના અગ્રણી વિનોદભાઈ ચૌહાણના મંતવ્ય મુજબ,જે એસોસિએશનના હોદ્દેદારોએ સોસાયટીઓના રહીશોના હીતની ચિંતા કરી છે એવી દરેક મોટાભાગની સોસાયટીઓમા રીડેવલપમેન્ટમાં ગીફ્ટ મનીની ચુકવણી ડેવલપરે કરેલી જ છે. ગીફ્ટ મની શબ્દ વિશે તેઓએ વધુમાં જણાવ્યુ કે,ગીફ્ટ મની એટલે આપણે બિલ્ડર પાસે ભીખ માંગતા હોય એવુ લાગે છે, પરંતુ જે ઘરમા બાળપણ વીતીને જવાન થયુ હોય, માબાપના ઘડપણની યાદો છુપાયેલી હોય એવા સંસ્મરણોને રુપીયાઓથી કયારેય તોલી ના શકાય માટે બિલ્ડર પાસેથી ગીફ્ટ મની ના રુપે નહી, પરંતુ ઘરના ફર્નિચરની તથા અન્ય નુકશાનીના વળતર પેટે અવશ્ય નુકશાની લેવી જ જાેઈએ.તેઓએ દરેક એસોસિએશનને વિનંતી કરી છે કે,તમારી સોસાયટીઓની કરોડોની જમીન બિલ્ડર મામુલી રકમ પ્રીમિયમ પેટે ભરીને લે છે માટે બધાએ સામુહીક વળતરની માંગણી કરવી જ જાેઈએ.બિલ્ડર એ વેપારી છે એ કયારેય લાભનો મોકો જતો નહી કરે એ વાત ચોક્કસ છે….

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...