20.4 C
Gujarat
Monday, February 3, 2025

મહાકુંભને લઈ GSRTCએ વધુ 5 વૉલ્વો બસ શરૂ કરી, જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ

Share

અમદાવાદઃ ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. 4 ફેબ્રુઆરીથી 5 નવી બસો શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટથી 1થી વધુ, સુરતથી 2 બસો શરૂ કરવામાં આવશે. આ બસોનું ઓનલાઇન બુકિંગ આજે (2 ફેબ્રુઆરી) સાંજે 5 વાગ્યાથી એસ.ટી નિગમની વેબસાઇટ પરથી કરી શકાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે મુખ્ય પ્રધાનના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. તા-04/02/2025 થી નવીન ૫ બસો (અમદાવાદથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ) શરુ કરવામાં આવશે.

સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) મુકામે કરવામાં આવશે. અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામાં આવશે. શરુ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.

પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ.7800, સુરતથી 8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 નિયત કરવામાં આવ્યું છે. આ નવી બસ નુંઓનલાઇન બુકિંગ આજ તા: 02/02/2025 ના રોજ સાંજે 5 કલાક થી એસ.ટી નિગમની વેબસાઈટ https://gsrtc.in/site/પરથી થઇ શકશે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ ગુજરાત સરકારે પ્રયાગરાજ જવા વૉલ્વો બસ સેવા શરૂ કરી હતી. જેનું ગણતરીની મિનિટોમાં તમામ દિવસનું બુકિંગ થઈ જતાં લોકોએ વધુ બસ દોડાવવાની માંગ કરી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles