Tuesday, March 17, 2026

અમદાવાદથી મુંબઈ યાત્રા માત્ર 3 કલાકમાં પુરી થશે ! આ 12 સ્ટેશનો પર ઉભી રહેશે બુલેટ ટ્રેન, ક્યારે પૂરું થશે કામ?

spot_img
Share

અમદાવાદ : દેશના પ્રથમ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન ટૂંક સમયમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે ઝડપભેર દોડતી થઈ જશે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે શરૂ થયેલા આ પ્રોજેક્ટનું કામ ગુજરાતમાં લગભગ પૂર્ણ થઈ ગયું છે. તો ચાલો જાણીએ બુલેટ ટ્રેનનું કામ ક્યાં સુધી પહોંચી ગયું છે અને ક્યારે પૂરું થશે?

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેનનો રૂટ 508 કિલોમીટરનો છે. તેને બનાવવા માટે 1.1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. નેશનલ હાઇ સ્પીડ ક્લે કોર્પોરેશન (NHSRCL) એ આ પ્રોજેક્ટની જવાબદારી લીધી છે. 14 સપ્ટેમ્બર, 2017 ના રોજ જાપાન અને ભારતના વડાપ્રધાન દ્વારા આ પ્રોજેક્ટનો પાયો નાખવામાં આવ્યો હતો.

મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી બુલેટ ટ્રેન 12 સ્ટેશનો પર ઉભી રહેશે. આ યાદીમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા,વાપી, બાયસર, વિરાર, થાણે અને મુંબઈના નામ સામેલ છે. હાલમાં અમદાવાદથી મુંબઈ જવામાં 7-8 કલાકનો સમય લાગે છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ યાત્રા માત્ર 3 કલાકમાં પુરી કરી શકાશે.

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. 11 જાન્યુઆરી, 2025 સુધીમાં 253 કિ.મી વાયાડક્ટ, 290 કિમી ગર્ડર કાસ્ટિંગ અને 358 કિ.મી પિઅરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. 13 નદીઓ પર 5 સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ BKC અને થાણે વચ્ચે 21 કિલોમીટરની ટનલ બનાવવામાં આવી રહી છે. તેમાં 7 પર્વતીય ટનલનો પણ સમાવેશ થાય છે, જેમાંથી 1 ટનલ બનાવવામાં આવી છે.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, બુલેટ ટ્રેનનું કામ 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. જોકે, તેના ઉદ્ઘાટનની સત્તાવાર તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પ્રોજેક્ટ પૂર્ણ કરવાની અંતિમ તારીખ ડિસેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...