Sunday, March 15, 2026

અમદાવાદ રિવરફ્રન્ટ પરથી હવે એરટેક્સી ઉડશે, જાણો શું છે ખાસિયત

spot_img
Share

અમદાવાદ : શહેરના રિવરફ્રન્ટ પરથી એર ટેકસી ઉડશે. આ માટે ઈલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ કરી શકે તેવું બેટરી આધારિત એરક્રાફ્ટ ઉડાવવા માટે ટ્રાયલ સાઇટ તરીકે અમદાવાદ અને માંડવી (કચ્છ)ની પસંદગી કરવામાં આવી છે. ડીજીસીએની ટીમે ગુજરાતની મુલાકાત પણ લીધી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત માટે આનંદના સમાચાર એ છે કે, આ એર ટેક્સી ઉડાવવા માટે ટ્રાયલ સાઇટ તરીકે અમદાવાદ અને માંડવી(કચ્છ)ની પસંદગી કરાઇ છે. કેન્દ્રીય એવિએશન વિભાગે દેશમાં ચાર ટ્રાયલ સાઇટની પસંદગી કરી છે જેમાં આંધ્રપ્રદેશના પણ બે સ્થળોનો સમાવેશ થાય છે. ભારતમાં એર ટેક્સી ઉડાડવા માટે ગુજરાતમાંથી પ્રથમ પ્રયોગ હાથ ધરાશે.

ઓછું ઈંધણ બળે અને પર્યાવરણને પણ અનુકૂળ હોય તેવા એરક્રાફ્ટ ઉડે તેવી કેન્દ્રીય સિવિલ એવિએશનની ઈચ્છા છે. એડવાન્સ એર મોબિલીટીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે હવે બેટરી આધારિત વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ કરી શકે તેવા નાનાકડાં એરક્રાફ્ટ ઉડાવવાનું આયોજન થઈ રહ્યું છે. તેને ઈ વોટલ કહેવામાં આવી છે. હેલિકોપ્ટરની જેમ આ નાનકડું એરક્રાફટ ઉડી અને ઉતરી શકે છે. તેને રન વે ની જરૂર પડતી નથી.

ઈલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ એરક્રાફ્ટની વિશેષતા એ છે કે તે પર્યાવરણને અનુકૂળ છે. બેટરી આધારિત હોવાથી ઘોંઘાટ કરતું નથી. રન વે ની જરૂર પડતી નથી. હેલિકોપ્ટરની જેમ જ ઉડી શકે છે. તેમાં બે થી છ વ્યક્તિ હવાઈ મુસાફરી કરી શકે છે. સેન્સર આધારિત સોફ્ટવેરથી સજ્જ હોવાના કારણે હેલિકોપ્ટરથી વધુ સલામત છે. જોકે પહાડી વિસ્તારમાં તેને ઉડાડવું જોખમી સાબિત થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...