Friday, November 28, 2025

હાઉસિંગ બોર્ડનો મોટો નિર્ણય, રિડેવલપમેન્ટ સ્કીમમાં દસ્તાવેજ બાકી હશે તો પણ ગેરકાયદેસર બાંધકામ ફી માફ થશે

spot_img
Share

અમદાવાદ : રાજ્યના હાઉસિંગ બોર્ડના જુના આવાસોના રિ-ડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ જન હિતકારી નિર્ણયો લેવામાં આવે છે. અગાઉ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતા અનધિકૃત બાંધકામ માટે ટ્રાન્સફર ફી, વહીવટી ફી અને ઉપયોગ શુલ્કની રકમમાં મકાનમાલિકોને રાહત આપવામાં આવતી હતી.હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનમાલિક અથવા રહેઠાણ માલિકની તરફેણમાં લેવાયેલા નિર્ણયથી રિડેવલપમેન્ટ પ્રક્રિયા ઝડપી બનશે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, હાલ શહેરમાં 250થી વધુ સોસાયટીમાં રિડેવલપમેન્ટ કામ ચાલે છે. ત્યારે રિડેવલપમેન્ટ સ્કીમમાં દસ્તાવેજ બાકી હોય તો પણ ગેરકાયદેસર બાંધકામ ફી માફ થશે.રિડેવલપમેન્ટ સ્કીમમાં સોસાયટીના 75 ટકાથી વધુ લોકોની સંમતિ મેળવી લીધી હશે, તેવી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની સંમતિ આપનાર મકાન માલિકના દસ્તાવેજ બાકી હશે તો ગેરકાયદે બાંધકામની ફી વસુલવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી બોર્ડની સોસાયટીઓના સભાસદો મકાનના દસ્તાવેજ કરવા જાય કે રિડેવલપમેન્ટમાં મંજૂરી આપે ત્યારે મકાનની કેટેગરી અને વિસ્તાર પ્રમાણે ૭૫ હજાર સુધીની રકમ ગેરકાયદે બાંધકામના દંડ તરીકે વસૂલાતી હતી. જે હવે નહીં વસુલાય.

ગુજરાત હાઉસિંગ બોર્ડે કરેલા પરિપત્રમાં જાણવા મળ્યું છે કે, રિડેવલપમેન્ટ પ્રક્રિયા અંતર્ગત જે સોસાયટીઓમાં લેટર ઓફ એક્ષેપ્ટન્સ (LOA) આપ્યા બાદ 75 ટકા સંમતિ મેળવી લીધી હોય જે સોસાયટી રિડેવલપમેન્ટમાં મંજૂર થઇ હોય તેવી સોસાયટીઓમાં જૂના બાંધકામને તોડી પાડવામાં આવી છે. જેથી આવી સોસાયટીઓમાં રહેતા લાભાર્થી કે કબજેદારો દ્વારા દસ્તાવેજ બાકી હોય અને રિડેવલપમેન્ટમાં સંમતિ આપી હશે તો તેવા લોકો પાસેથી અનઅધિકૃત બાંધકામ કે દબાણની વપરાશ ફીની રકમ વસૂલવામાં આવશે નહીં.

હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડની 42 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે 17 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે અને ડિમોલીશનની કામગીરી શરૂ થશે. 13 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની નિયત પ્રક્રિયા પૂર્ણ થતાં જ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે ૧૧ સોસાયટીઓમાં ટેન્ડર મંગાવવામાં આવ્યા છે જે ખોલવાના બાકી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...