Wednesday, January 14, 2026

હાઉસિંગ બોર્ડનો મોટો નિર્ણય, રિડેવલપમેન્ટ સ્કીમમાં દસ્તાવેજ બાકી હશે તો પણ ગેરકાયદેસર બાંધકામ ફી માફ થશે

spot_img
Share

અમદાવાદ : રાજ્યના હાઉસિંગ બોર્ડના જુના આવાસોના રિ-ડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ જન હિતકારી નિર્ણયો લેવામાં આવે છે. અગાઉ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતા અનધિકૃત બાંધકામ માટે ટ્રાન્સફર ફી, વહીવટી ફી અને ઉપયોગ શુલ્કની રકમમાં મકાનમાલિકોને રાહત આપવામાં આવતી હતી.હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનમાલિક અથવા રહેઠાણ માલિકની તરફેણમાં લેવાયેલા નિર્ણયથી રિડેવલપમેન્ટ પ્રક્રિયા ઝડપી બનશે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, હાલ શહેરમાં 250થી વધુ સોસાયટીમાં રિડેવલપમેન્ટ કામ ચાલે છે. ત્યારે રિડેવલપમેન્ટ સ્કીમમાં દસ્તાવેજ બાકી હોય તો પણ ગેરકાયદેસર બાંધકામ ફી માફ થશે.રિડેવલપમેન્ટ સ્કીમમાં સોસાયટીના 75 ટકાથી વધુ લોકોની સંમતિ મેળવી લીધી હશે, તેવી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની સંમતિ આપનાર મકાન માલિકના દસ્તાવેજ બાકી હશે તો ગેરકાયદે બાંધકામની ફી વસુલવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી બોર્ડની સોસાયટીઓના સભાસદો મકાનના દસ્તાવેજ કરવા જાય કે રિડેવલપમેન્ટમાં મંજૂરી આપે ત્યારે મકાનની કેટેગરી અને વિસ્તાર પ્રમાણે ૭૫ હજાર સુધીની રકમ ગેરકાયદે બાંધકામના દંડ તરીકે વસૂલાતી હતી. જે હવે નહીં વસુલાય.

ગુજરાત હાઉસિંગ બોર્ડે કરેલા પરિપત્રમાં જાણવા મળ્યું છે કે, રિડેવલપમેન્ટ પ્રક્રિયા અંતર્ગત જે સોસાયટીઓમાં લેટર ઓફ એક્ષેપ્ટન્સ (LOA) આપ્યા બાદ 75 ટકા સંમતિ મેળવી લીધી હોય જે સોસાયટી રિડેવલપમેન્ટમાં મંજૂર થઇ હોય તેવી સોસાયટીઓમાં જૂના બાંધકામને તોડી પાડવામાં આવી છે. જેથી આવી સોસાયટીઓમાં રહેતા લાભાર્થી કે કબજેદારો દ્વારા દસ્તાવેજ બાકી હોય અને રિડેવલપમેન્ટમાં સંમતિ આપી હશે તો તેવા લોકો પાસેથી અનઅધિકૃત બાંધકામ કે દબાણની વપરાશ ફીની રકમ વસૂલવામાં આવશે નહીં.

હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડની 42 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે 17 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે અને ડિમોલીશનની કામગીરી શરૂ થશે. 13 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની નિયત પ્રક્રિયા પૂર્ણ થતાં જ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે ૧૧ સોસાયટીઓમાં ટેન્ડર મંગાવવામાં આવ્યા છે જે ખોલવાના બાકી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...