Friday, November 28, 2025

ગુજરાત હાઉસિંગ બોર્ડે રિડેવલપમેન્ટને વેગવંતુ બનાવવા મજબૂત ભુમિકા ભજવવાની જરૂર..!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હાઉસિંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે, અનેક સોસાયટીઓમાં નોટરાઈઝડ સંમતિ અને ત્રિપક્ષીય કરાર થઈ રહ્યા છે તો અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટના ટેન્ડર્સ ઘણા આવી રહ્યા છે, તો અનેક સોસાયટીઓ રિડેવલપેન્ટમાં જાેડાવવા રસ ધરાવી રહી છે, ખૂબ સારી વાત છે એ રિડેવલપેન્ટની દિશામાં પ્રગતિ થઈ રહી છે.પરંતુ બીજી બાજુ કેટલાંક આગેવાનોના મત મુજબ સમગ્ર પ્રક્રિયા જટિલ છે, હજુય સરળ કરવાની જરૂર છે તો જ રિડેવલપમેન્ટ હજુ પણ વધારે ઝડપી થશે.

એક ચર્ચા મુજબ, સરકારની રિડેવલપમેન્ટની પોલીસીને લઈને હાઉસિંગ બોર્ડની ભૂમિકા એકદંરે સારી છે, રિડેવલપમેન્ટમાં જાેડાયેલ સોસાયટીઓના જાણકારના મત મુજબ, ફક્ત ટેન્ડર પાડવાથી હાઉસિંગ બોર્ડની કામગીરી પુરી થઈ જતી નથી, ટેન્ડર બાદ પણ સોસાયટીઓના રહીશો અને ડેવલપર વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં વાટાઘાટો થાય, રહીશોનું હિત સચવાય, રહીશોને અન્યાય ન થાય, રહીશોને વધુમાં વધુ સારુ મળે એનો ખ્યાલ રાખવો એ પણ હાઉસિંગ બોર્ડનું કાર્ય જ ગણી શકાય…

એક આગેવાનની ફરિયાદ મુજબ, ટેન્ડર પહેલાની રિડેવલપમેન્ટની પ્રક્રિયા પહેલા કરતા સરળ બનાવી છે, પરંતુ હજુ પણ વધુ સરળ બનાવવી જરૂર છે, ટેન્ડર બાદ પણ સોસાયટીઓના રહીશોને હાઉસિંગ બોર્ડના જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓનો સહકાર મળતો નથી, એવી લોકો ફરિયાદ કરી રહ્યા છે. ટેન્ડર બાદ ડેવલપર અને રહીશો વચ્ચે મિટીંગનું આયોજન થાય ત્યારે હાઉસિંગ બોર્ડના કર્મચારીઓ કે અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ સમગ્ર રિડેવલપમેન્ટની પ્રક્રિયાની વાટાઘાટો પર સારો પ્રભાવ દર્શાવી શકે છે, નાની મોટી સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ આવી શકે છે, ફક્ત પ્રેરક ઉપસ્થિતિને કારણે ડેવલપર અને રહીશો વચ્ચે સારી રીતે સંવાદ થઈ શકે છે, જેનું પરિણામ સોસાયટીના રહીશોમાં વિશ્વાસનું વાતાવરણ બની શકે એમ છે.

એક આગેવાનના જણાવ્યા મુજબ, ડેવલપરની નિમણુંક બાદ જાે ડેવલપર જે તે સ્થાનિક સોસાયટીમાં પોતાની ઓફિસ ખોલી દે અને રહીશોના તમામ પ્રશ્નો કે મુઝવણોનું સમાધાન થવાની શકયતાઓ વધી જશે અને આ ઓફિસમાં હાઉસિંગ બોર્ડના કર્મચારીઓ અને અધિકારીઓ નિયમિત મુલાકાત કરે તો સોસાયટીમાં ચાલતી સમગ્ર રિડેવલપમેન્ટની પ્રક્રિયાને વેગ મળશે.

એટલે જ હાઉસિંગ બોર્ડે ફક્ત ટેન્ડર પાડવાથી કાંઈ નહીં થાય ! સાથે સાથે સોસાયટીઓમાં સકારાત્મક વાતાવરણ બને એ માટે હાઉસિંગ બોર્ડે હજુ પણ વધુ મજબૂત ભૂમિકા ભજવવાની જરૂર છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...