Tuesday, October 14, 2025

ગુજરાત હાઉસિંગ બોર્ડે રિડેવલપમેન્ટને વેગવંતુ બનાવવા મજબૂત ભુમિકા ભજવવાની જરૂર..!!

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હાઉસિંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે, અનેક સોસાયટીઓમાં નોટરાઈઝડ સંમતિ અને ત્રિપક્ષીય કરાર થઈ રહ્યા છે તો અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટના ટેન્ડર્સ ઘણા આવી રહ્યા છે, તો અનેક સોસાયટીઓ રિડેવલપેન્ટમાં જાેડાવવા રસ ધરાવી રહી છે, ખૂબ સારી વાત છે એ રિડેવલપેન્ટની દિશામાં પ્રગતિ થઈ રહી છે.પરંતુ બીજી બાજુ કેટલાંક આગેવાનોના મત મુજબ સમગ્ર પ્રક્રિયા જટિલ છે, હજુય સરળ કરવાની જરૂર છે તો જ રિડેવલપમેન્ટ હજુ પણ વધારે ઝડપી થશે.

એક ચર્ચા મુજબ, સરકારની રિડેવલપમેન્ટની પોલીસીને લઈને હાઉસિંગ બોર્ડની ભૂમિકા એકદંરે સારી છે, રિડેવલપમેન્ટમાં જાેડાયેલ સોસાયટીઓના જાણકારના મત મુજબ, ફક્ત ટેન્ડર પાડવાથી હાઉસિંગ બોર્ડની કામગીરી પુરી થઈ જતી નથી, ટેન્ડર બાદ પણ સોસાયટીઓના રહીશો અને ડેવલપર વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં વાટાઘાટો થાય, રહીશોનું હિત સચવાય, રહીશોને અન્યાય ન થાય, રહીશોને વધુમાં વધુ સારુ મળે એનો ખ્યાલ રાખવો એ પણ હાઉસિંગ બોર્ડનું કાર્ય જ ગણી શકાય…

એક આગેવાનની ફરિયાદ મુજબ, ટેન્ડર પહેલાની રિડેવલપમેન્ટની પ્રક્રિયા પહેલા કરતા સરળ બનાવી છે, પરંતુ હજુ પણ વધુ સરળ બનાવવી જરૂર છે, ટેન્ડર બાદ પણ સોસાયટીઓના રહીશોને હાઉસિંગ બોર્ડના જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓનો સહકાર મળતો નથી, એવી લોકો ફરિયાદ કરી રહ્યા છે. ટેન્ડર બાદ ડેવલપર અને રહીશો વચ્ચે મિટીંગનું આયોજન થાય ત્યારે હાઉસિંગ બોર્ડના કર્મચારીઓ કે અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ સમગ્ર રિડેવલપમેન્ટની પ્રક્રિયાની વાટાઘાટો પર સારો પ્રભાવ દર્શાવી શકે છે, નાની મોટી સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ આવી શકે છે, ફક્ત પ્રેરક ઉપસ્થિતિને કારણે ડેવલપર અને રહીશો વચ્ચે સારી રીતે સંવાદ થઈ શકે છે, જેનું પરિણામ સોસાયટીના રહીશોમાં વિશ્વાસનું વાતાવરણ બની શકે એમ છે.

એક આગેવાનના જણાવ્યા મુજબ, ડેવલપરની નિમણુંક બાદ જાે ડેવલપર જે તે સ્થાનિક સોસાયટીમાં પોતાની ઓફિસ ખોલી દે અને રહીશોના તમામ પ્રશ્નો કે મુઝવણોનું સમાધાન થવાની શકયતાઓ વધી જશે અને આ ઓફિસમાં હાઉસિંગ બોર્ડના કર્મચારીઓ અને અધિકારીઓ નિયમિત મુલાકાત કરે તો સોસાયટીમાં ચાલતી સમગ્ર રિડેવલપમેન્ટની પ્રક્રિયાને વેગ મળશે.

એટલે જ હાઉસિંગ બોર્ડે ફક્ત ટેન્ડર પાડવાથી કાંઈ નહીં થાય ! સાથે સાથે સોસાયટીઓમાં સકારાત્મક વાતાવરણ બને એ માટે હાઉસિંગ બોર્ડે હજુ પણ વધુ મજબૂત ભૂમિકા ભજવવાની જરૂર છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...