Wednesday, January 14, 2026

ગુજરાત હાઉસિંગ બોર્ડે રિડેવલપમેન્ટને વેગવંતુ બનાવવા મજબૂત ભુમિકા ભજવવાની જરૂર..!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હાઉસિંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે, અનેક સોસાયટીઓમાં નોટરાઈઝડ સંમતિ અને ત્રિપક્ષીય કરાર થઈ રહ્યા છે તો અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટના ટેન્ડર્સ ઘણા આવી રહ્યા છે, તો અનેક સોસાયટીઓ રિડેવલપેન્ટમાં જાેડાવવા રસ ધરાવી રહી છે, ખૂબ સારી વાત છે એ રિડેવલપેન્ટની દિશામાં પ્રગતિ થઈ રહી છે.પરંતુ બીજી બાજુ કેટલાંક આગેવાનોના મત મુજબ સમગ્ર પ્રક્રિયા જટિલ છે, હજુય સરળ કરવાની જરૂર છે તો જ રિડેવલપમેન્ટ હજુ પણ વધારે ઝડપી થશે.

એક ચર્ચા મુજબ, સરકારની રિડેવલપમેન્ટની પોલીસીને લઈને હાઉસિંગ બોર્ડની ભૂમિકા એકદંરે સારી છે, રિડેવલપમેન્ટમાં જાેડાયેલ સોસાયટીઓના જાણકારના મત મુજબ, ફક્ત ટેન્ડર પાડવાથી હાઉસિંગ બોર્ડની કામગીરી પુરી થઈ જતી નથી, ટેન્ડર બાદ પણ સોસાયટીઓના રહીશો અને ડેવલપર વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં વાટાઘાટો થાય, રહીશોનું હિત સચવાય, રહીશોને અન્યાય ન થાય, રહીશોને વધુમાં વધુ સારુ મળે એનો ખ્યાલ રાખવો એ પણ હાઉસિંગ બોર્ડનું કાર્ય જ ગણી શકાય…

એક આગેવાનની ફરિયાદ મુજબ, ટેન્ડર પહેલાની રિડેવલપમેન્ટની પ્રક્રિયા પહેલા કરતા સરળ બનાવી છે, પરંતુ હજુ પણ વધુ સરળ બનાવવી જરૂર છે, ટેન્ડર બાદ પણ સોસાયટીઓના રહીશોને હાઉસિંગ બોર્ડના જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓનો સહકાર મળતો નથી, એવી લોકો ફરિયાદ કરી રહ્યા છે. ટેન્ડર બાદ ડેવલપર અને રહીશો વચ્ચે મિટીંગનું આયોજન થાય ત્યારે હાઉસિંગ બોર્ડના કર્મચારીઓ કે અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ સમગ્ર રિડેવલપમેન્ટની પ્રક્રિયાની વાટાઘાટો પર સારો પ્રભાવ દર્શાવી શકે છે, નાની મોટી સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ આવી શકે છે, ફક્ત પ્રેરક ઉપસ્થિતિને કારણે ડેવલપર અને રહીશો વચ્ચે સારી રીતે સંવાદ થઈ શકે છે, જેનું પરિણામ સોસાયટીના રહીશોમાં વિશ્વાસનું વાતાવરણ બની શકે એમ છે.

એક આગેવાનના જણાવ્યા મુજબ, ડેવલપરની નિમણુંક બાદ જાે ડેવલપર જે તે સ્થાનિક સોસાયટીમાં પોતાની ઓફિસ ખોલી દે અને રહીશોના તમામ પ્રશ્નો કે મુઝવણોનું સમાધાન થવાની શકયતાઓ વધી જશે અને આ ઓફિસમાં હાઉસિંગ બોર્ડના કર્મચારીઓ અને અધિકારીઓ નિયમિત મુલાકાત કરે તો સોસાયટીમાં ચાલતી સમગ્ર રિડેવલપમેન્ટની પ્રક્રિયાને વેગ મળશે.

એટલે જ હાઉસિંગ બોર્ડે ફક્ત ટેન્ડર પાડવાથી કાંઈ નહીં થાય ! સાથે સાથે સોસાયટીઓમાં સકારાત્મક વાતાવરણ બને એ માટે હાઉસિંગ બોર્ડે હજુ પણ વધુ મજબૂત ભૂમિકા ભજવવાની જરૂર છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...