Friday, April 17, 2026

ગુજરાત હાઉસિંગ બોર્ડે રિડેવલપમેન્ટને વેગવંતુ બનાવવા મજબૂત ભુમિકા ભજવવાની જરૂર..!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હાઉસિંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે, અનેક સોસાયટીઓમાં નોટરાઈઝડ સંમતિ અને ત્રિપક્ષીય કરાર થઈ રહ્યા છે તો અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટના ટેન્ડર્સ ઘણા આવી રહ્યા છે, તો અનેક સોસાયટીઓ રિડેવલપેન્ટમાં જાેડાવવા રસ ધરાવી રહી છે, ખૂબ સારી વાત છે એ રિડેવલપેન્ટની દિશામાં પ્રગતિ થઈ રહી છે.પરંતુ બીજી બાજુ કેટલાંક આગેવાનોના મત મુજબ સમગ્ર પ્રક્રિયા જટિલ છે, હજુય સરળ કરવાની જરૂર છે તો જ રિડેવલપમેન્ટ હજુ પણ વધારે ઝડપી થશે.

એક ચર્ચા મુજબ, સરકારની રિડેવલપમેન્ટની પોલીસીને લઈને હાઉસિંગ બોર્ડની ભૂમિકા એકદંરે સારી છે, રિડેવલપમેન્ટમાં જાેડાયેલ સોસાયટીઓના જાણકારના મત મુજબ, ફક્ત ટેન્ડર પાડવાથી હાઉસિંગ બોર્ડની કામગીરી પુરી થઈ જતી નથી, ટેન્ડર બાદ પણ સોસાયટીઓના રહીશો અને ડેવલપર વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં વાટાઘાટો થાય, રહીશોનું હિત સચવાય, રહીશોને અન્યાય ન થાય, રહીશોને વધુમાં વધુ સારુ મળે એનો ખ્યાલ રાખવો એ પણ હાઉસિંગ બોર્ડનું કાર્ય જ ગણી શકાય…

એક આગેવાનની ફરિયાદ મુજબ, ટેન્ડર પહેલાની રિડેવલપમેન્ટની પ્રક્રિયા પહેલા કરતા સરળ બનાવી છે, પરંતુ હજુ પણ વધુ સરળ બનાવવી જરૂર છે, ટેન્ડર બાદ પણ સોસાયટીઓના રહીશોને હાઉસિંગ બોર્ડના જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓનો સહકાર મળતો નથી, એવી લોકો ફરિયાદ કરી રહ્યા છે. ટેન્ડર બાદ ડેવલપર અને રહીશો વચ્ચે મિટીંગનું આયોજન થાય ત્યારે હાઉસિંગ બોર્ડના કર્મચારીઓ કે અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ સમગ્ર રિડેવલપમેન્ટની પ્રક્રિયાની વાટાઘાટો પર સારો પ્રભાવ દર્શાવી શકે છે, નાની મોટી સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ આવી શકે છે, ફક્ત પ્રેરક ઉપસ્થિતિને કારણે ડેવલપર અને રહીશો વચ્ચે સારી રીતે સંવાદ થઈ શકે છે, જેનું પરિણામ સોસાયટીના રહીશોમાં વિશ્વાસનું વાતાવરણ બની શકે એમ છે.

એક આગેવાનના જણાવ્યા મુજબ, ડેવલપરની નિમણુંક બાદ જાે ડેવલપર જે તે સ્થાનિક સોસાયટીમાં પોતાની ઓફિસ ખોલી દે અને રહીશોના તમામ પ્રશ્નો કે મુઝવણોનું સમાધાન થવાની શકયતાઓ વધી જશે અને આ ઓફિસમાં હાઉસિંગ બોર્ડના કર્મચારીઓ અને અધિકારીઓ નિયમિત મુલાકાત કરે તો સોસાયટીમાં ચાલતી સમગ્ર રિડેવલપમેન્ટની પ્રક્રિયાને વેગ મળશે.

એટલે જ હાઉસિંગ બોર્ડે ફક્ત ટેન્ડર પાડવાથી કાંઈ નહીં થાય ! સાથે સાથે સોસાયટીઓમાં સકારાત્મક વાતાવરણ બને એ માટે હાઉસિંગ બોર્ડે હજુ પણ વધુ મજબૂત ભૂમિકા ભજવવાની જરૂર છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...