Tuesday, December 2, 2025

ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા, દર્શન માટે માસ્ક ફરજિયાત પહેરવું પડશે, જાણો ત્રણ દિવસનું શિડ્યુલ

spot_img
Share

અમદાવાદ : રથયાત્રાની પોલીસ પરમિશન આપવામાં આવી છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ રથયાત્રાના માહોલ જામ્યો છે. જેથી ભક્તોમાં ઉત્સાહ છે. આ વર્ષે પરંપરા રૂટ પરથી જ રથયાત્રા નીકળશે તેવુ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છે. પરંતુ દર્શન માટે રથયાત્રાના દિવસે માસ્ક પહેરવું ફરજિયાત કરાયુ છે. સાથે જ રથયાત્રાનો 1.5 કરોડનો વીમો ઉતારવામા આવ્યો છે.

145 મી રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા રહેશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 2000 જેટલા સાધુસંતો રથયાત્રામાં ભાગ લેવા આવશે.કોરોનાના કેસો વધ્યા હોવાથી લોકો માસ્ક પહેરી અને દર્શન કરવા આવે. મંદિરમાં પણ ત્રણ દિવસ ઉત્સવોમાં લોકો આવે ત્યારે માસ્ક પહેરીને આવે.

29 જૂનન શિડ્યુલ

સવારે 8.00 કલાકે ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બળદેવનો ગર્ભ ગૃહમાં પ્રવેશ તથા નેત્રોત્સવ પૂજા વિધિ થશે. વૈદિક મંત્રોચ્ચારથી ભગવાનના આંખે પાટા બાંધવામા આવશે.
સવારે 9.30 કલાકે ધ્વજારોહણ વિધિ, જેમાં સીઆર પાટીલની હાજરી રહેશે
સવારે 11.00 કલાકે સંતોનુ સન્માન થશે, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે.

રથયાત્રાના આગામી દિવસ 30 જૂનનુ શિડ્યુલ

સવારે 10.30 કલાકે સોનાવેષના દર્શન અને ગજરાજ પૂજન
બપોરે 3.00 કલાકે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ
સાંજે 4.00 કલાકે શહેર શાંતિ સમિતિની મુલાકાત
સાંજે 6.00 કલાકે મુખ્યમંત્રી દ્વારા પૂજા અને આરતી

રથયાત્રાના દિવસનુ શિડ્યુલ

સવારે 4.00 કલાકે મંગળા આરતી, જેમાં ગૃહરાજ્ય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિ
સવારે 4.30 કલાકે ખીચડીનો વિશેષ ભોગ ભગવાનને ધરાવાશે
સવારે 5.00 કલાકે ભગવાનને અતિપ્રિય આદિવાસી નૃત્ય, રાસ ગરબા અને ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવાની વિધિ કરાશે
સવારે 5.45 કલાકે રથમાં ભગવાનનો પ્રવેશ
સવારે 7.00 કલાકે રથયાત્રાનો પ્રારંભ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...