Saturday, February 28, 2026

નારણપુરા બાદ હવે નવા વાડજમાં હાઉસિંગ બોર્ડની આ સોસાયટીઓ રિડેવલપમેન્ટ માટે તૈયાર..!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં પૂર્વને બાદ કરતા પશ્ચિમના અનેક વિસ્તારોમાં આવેલ હાઉસીંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે ત્યારે નારણપુરા, સોલા બાદ હવે નવા વાડજમાં પણ વિશ્રામ પાર્ક, નંદનવન એપાર્ટમેન્ટ જેવી મોટી હાઉસિંગ સોસાયટીઓ રીડેવલપમેન્ટ માટે તૈયારી બતાવી હોય તેવું જણાઈ રહ્યું છે.

નવા વાડજ વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોડની વિશ્રામ પાર્કમાં ૨૦૧૯નું ટેન્ડર રદ થાય તેવી શકયતાઓ જાેવાઈ રહી હતી, ત્યારે એક રાહતના સમાચાર આવી રહ્યા છે, સોસાયટીના એસોસિયેશન દ્વારા ડેવલપરે આપેલ પ્લાન મંજુર કરી રીડેવલપમેન્ટ માટે આગળ વધવાની તૈયારી દર્શાવી છે.જેને લઈને તાજેતરમાં સોસાયટીના એસોસિયેશન અને ડેવલપર વચ્ચે મિટીંગ પણ યોજાઈ હતી, જેમાં પરિણામ સ્વરૂપે સકારાત્મક વલણને લઈને આગળ વધવું તેવું સોસાયટી અને ડેવલપર વચ્ચે નક્કી કરાયું હતું.આ સમાચારથી સોસાયટીના રહીશોમાં ખુશીની લાગણી પ્રસરી છેે.

તમને જણાવી દઈએ કે ૨૦૨૦માં ટેન્ડર બાદ એલઓએ આપ્યા બાદ સોસાયટીના હોદ્દેદારો વચ્ચે અનેક મિટીંગ થઈ હોવા છતાં નોટરાઈઝ સંમતિ થઈ નહોતી, હાઉસિંગના સુત્રો મુજબ, ડેવલપર દ્વારા સોસાયટીને અત્યાર સુધી ૧૫ થી વધુ માંગણી મુજબના અલગ અલગ પ્લાન રજુ કર્યા હતા અને અનેક વાર મિટીંગ થઈ હોવા છતાં આગળની પ્રક્રિયા શરૂ ન થતાં ટેન્ડર રદ થાય તેવી શકયતાઓ વર્તાઈ રહી હતી, તેવામાં સોસાયટી હવે રીડેવલપમેન્ટની દિશામાં આગળ વધશે એવી સોસાયટીના રહીશો આશા સેવી રહ્યાં છે.

આ ઉપરાંત વિશ્રામ પાર્કની બાજુમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટનું ટેન્ડર હાઉસિંગ બોર્ડ કરાયા બાદ ડેવલપર અને સોસાયટીને એલઓએ (વર્ક ઓર્ડર) આપવામાં આવેલ છે.જેથી આગામી સમયમાં નંદનવન એપાર્ટમેન્ટમાં પણ રીડેવલપમેન્ટને લઈને આગળની વાતચીતનો દોર શરૂ થશે.અને આ વાતચીતનો દૌર રીડેવલપમેન્ટના અંતિમ પડાવ સુધી પહોંચે અને રીડેવલપમેન્ટ પુરુ થાય એવો સોસાયટીના રહીશો પણ રીડેવલપમેન્ટ થાય તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યાં છે.

આ ઉપરાંત નવા વાડજમાં હાઉસિંગ બોર્ડની અન્ય સોસાયટીઓ જેમ કે શિવમ એપાર્મેન્ટ, સાગર એપાર્ટમેન્ટ, અભિલાષા એપાર્ટમેન્ટ, પ્રકાશદીપ એપાર્ટમેન્ટમાં રહીશોમાં રીડેવલપમેન્ટને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. તમને જણાવી દઈએ કે અગાઉ હરિઓમ એપાર્ટમેન્ટ અને ગગનવિહાર એપાર્ટમેન્ટના ટેન્ડર હાઉસિંગ બોર્ડ દ્વારા કરાયા છે, પરંતુ સહમતિની દિશામાં હજુ કોઈ સુ:ખદ નિવેડો આવ્યો નથી.

તમને જણાવી દઈએ કે આ અગાઉ કોઈ મુમેન્ટ ન હોવાને કારણે નવા વાડજમાં આવેલ ઉત્સવ એપાર્ટમેન્ટનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું, ઉત્સવ એપાર્ટમેન્ટને રિડેવલપમેન્ટમાં જાેડાવવું હશે તો દરેક પ્રક્રિયા ફરીથી કરીને રિટેન્ડર કરાવવું પડશે.હવે હાઉસિંગ બોર્ડ સમય મર્યાદામાં સોસાયટીઓ અને ડેવલપર કામ પુરુ નહિ કરે હાઉસિંગ બોર્ડ ટેન્ડર રદ કરતા અચકાશે નહિ..

હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડની ૪૨ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે ૧૭ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે અને ડિમોલીશનની કામગીરી શરૂ થશે.૧૩ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની નિયત પ્રક્રિયા પૂર્ણ થતાં જ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે ૧૧ સોસાયટીઓમાં ટેન્ડર બાદની પ્રક્રિયાઓ ચાલું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...