Friday, November 28, 2025

નારણપુરા બાદ હવે નવા વાડજમાં હાઉસિંગ બોર્ડની આ સોસાયટીઓ રિડેવલપમેન્ટ માટે તૈયાર..!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં પૂર્વને બાદ કરતા પશ્ચિમના અનેક વિસ્તારોમાં આવેલ હાઉસીંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે ત્યારે નારણપુરા, સોલા બાદ હવે નવા વાડજમાં પણ વિશ્રામ પાર્ક, નંદનવન એપાર્ટમેન્ટ જેવી મોટી હાઉસિંગ સોસાયટીઓ રીડેવલપમેન્ટ માટે તૈયારી બતાવી હોય તેવું જણાઈ રહ્યું છે.

નવા વાડજ વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોડની વિશ્રામ પાર્કમાં ૨૦૧૯નું ટેન્ડર રદ થાય તેવી શકયતાઓ જાેવાઈ રહી હતી, ત્યારે એક રાહતના સમાચાર આવી રહ્યા છે, સોસાયટીના એસોસિયેશન દ્વારા ડેવલપરે આપેલ પ્લાન મંજુર કરી રીડેવલપમેન્ટ માટે આગળ વધવાની તૈયારી દર્શાવી છે.જેને લઈને તાજેતરમાં સોસાયટીના એસોસિયેશન અને ડેવલપર વચ્ચે મિટીંગ પણ યોજાઈ હતી, જેમાં પરિણામ સ્વરૂપે સકારાત્મક વલણને લઈને આગળ વધવું તેવું સોસાયટી અને ડેવલપર વચ્ચે નક્કી કરાયું હતું.આ સમાચારથી સોસાયટીના રહીશોમાં ખુશીની લાગણી પ્રસરી છેે.

તમને જણાવી દઈએ કે ૨૦૨૦માં ટેન્ડર બાદ એલઓએ આપ્યા બાદ સોસાયટીના હોદ્દેદારો વચ્ચે અનેક મિટીંગ થઈ હોવા છતાં નોટરાઈઝ સંમતિ થઈ નહોતી, હાઉસિંગના સુત્રો મુજબ, ડેવલપર દ્વારા સોસાયટીને અત્યાર સુધી ૧૫ થી વધુ માંગણી મુજબના અલગ અલગ પ્લાન રજુ કર્યા હતા અને અનેક વાર મિટીંગ થઈ હોવા છતાં આગળની પ્રક્રિયા શરૂ ન થતાં ટેન્ડર રદ થાય તેવી શકયતાઓ વર્તાઈ રહી હતી, તેવામાં સોસાયટી હવે રીડેવલપમેન્ટની દિશામાં આગળ વધશે એવી સોસાયટીના રહીશો આશા સેવી રહ્યાં છે.

આ ઉપરાંત વિશ્રામ પાર્કની બાજુમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટનું ટેન્ડર હાઉસિંગ બોર્ડ કરાયા બાદ ડેવલપર અને સોસાયટીને એલઓએ (વર્ક ઓર્ડર) આપવામાં આવેલ છે.જેથી આગામી સમયમાં નંદનવન એપાર્ટમેન્ટમાં પણ રીડેવલપમેન્ટને લઈને આગળની વાતચીતનો દોર શરૂ થશે.અને આ વાતચીતનો દૌર રીડેવલપમેન્ટના અંતિમ પડાવ સુધી પહોંચે અને રીડેવલપમેન્ટ પુરુ થાય એવો સોસાયટીના રહીશો પણ રીડેવલપમેન્ટ થાય તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યાં છે.

આ ઉપરાંત નવા વાડજમાં હાઉસિંગ બોર્ડની અન્ય સોસાયટીઓ જેમ કે શિવમ એપાર્મેન્ટ, સાગર એપાર્ટમેન્ટ, અભિલાષા એપાર્ટમેન્ટ, પ્રકાશદીપ એપાર્ટમેન્ટમાં રહીશોમાં રીડેવલપમેન્ટને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. તમને જણાવી દઈએ કે અગાઉ હરિઓમ એપાર્ટમેન્ટ અને ગગનવિહાર એપાર્ટમેન્ટના ટેન્ડર હાઉસિંગ બોર્ડ દ્વારા કરાયા છે, પરંતુ સહમતિની દિશામાં હજુ કોઈ સુ:ખદ નિવેડો આવ્યો નથી.

તમને જણાવી દઈએ કે આ અગાઉ કોઈ મુમેન્ટ ન હોવાને કારણે નવા વાડજમાં આવેલ ઉત્સવ એપાર્ટમેન્ટનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું, ઉત્સવ એપાર્ટમેન્ટને રિડેવલપમેન્ટમાં જાેડાવવું હશે તો દરેક પ્રક્રિયા ફરીથી કરીને રિટેન્ડર કરાવવું પડશે.હવે હાઉસિંગ બોર્ડ સમય મર્યાદામાં સોસાયટીઓ અને ડેવલપર કામ પુરુ નહિ કરે હાઉસિંગ બોર્ડ ટેન્ડર રદ કરતા અચકાશે નહિ..

હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડની ૪૨ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે ૧૭ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે અને ડિમોલીશનની કામગીરી શરૂ થશે.૧૩ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની નિયત પ્રક્રિયા પૂર્ણ થતાં જ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે ૧૧ સોસાયટીઓમાં ટેન્ડર બાદની પ્રક્રિયાઓ ચાલું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...