Tuesday, October 14, 2025

નારણપુરા બાદ હવે નવા વાડજમાં હાઉસિંગ બોર્ડની આ સોસાયટીઓ રિડેવલપમેન્ટ માટે તૈયાર..!!

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં પૂર્વને બાદ કરતા પશ્ચિમના અનેક વિસ્તારોમાં આવેલ હાઉસીંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે ત્યારે નારણપુરા, સોલા બાદ હવે નવા વાડજમાં પણ વિશ્રામ પાર્ક, નંદનવન એપાર્ટમેન્ટ જેવી મોટી હાઉસિંગ સોસાયટીઓ રીડેવલપમેન્ટ માટે તૈયારી બતાવી હોય તેવું જણાઈ રહ્યું છે.

નવા વાડજ વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોડની વિશ્રામ પાર્કમાં ૨૦૧૯નું ટેન્ડર રદ થાય તેવી શકયતાઓ જાેવાઈ રહી હતી, ત્યારે એક રાહતના સમાચાર આવી રહ્યા છે, સોસાયટીના એસોસિયેશન દ્વારા ડેવલપરે આપેલ પ્લાન મંજુર કરી રીડેવલપમેન્ટ માટે આગળ વધવાની તૈયારી દર્શાવી છે.જેને લઈને તાજેતરમાં સોસાયટીના એસોસિયેશન અને ડેવલપર વચ્ચે મિટીંગ પણ યોજાઈ હતી, જેમાં પરિણામ સ્વરૂપે સકારાત્મક વલણને લઈને આગળ વધવું તેવું સોસાયટી અને ડેવલપર વચ્ચે નક્કી કરાયું હતું.આ સમાચારથી સોસાયટીના રહીશોમાં ખુશીની લાગણી પ્રસરી છેે.

તમને જણાવી દઈએ કે ૨૦૨૦માં ટેન્ડર બાદ એલઓએ આપ્યા બાદ સોસાયટીના હોદ્દેદારો વચ્ચે અનેક મિટીંગ થઈ હોવા છતાં નોટરાઈઝ સંમતિ થઈ નહોતી, હાઉસિંગના સુત્રો મુજબ, ડેવલપર દ્વારા સોસાયટીને અત્યાર સુધી ૧૫ થી વધુ માંગણી મુજબના અલગ અલગ પ્લાન રજુ કર્યા હતા અને અનેક વાર મિટીંગ થઈ હોવા છતાં આગળની પ્રક્રિયા શરૂ ન થતાં ટેન્ડર રદ થાય તેવી શકયતાઓ વર્તાઈ રહી હતી, તેવામાં સોસાયટી હવે રીડેવલપમેન્ટની દિશામાં આગળ વધશે એવી સોસાયટીના રહીશો આશા સેવી રહ્યાં છે.

આ ઉપરાંત વિશ્રામ પાર્કની બાજુમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટનું ટેન્ડર હાઉસિંગ બોર્ડ કરાયા બાદ ડેવલપર અને સોસાયટીને એલઓએ (વર્ક ઓર્ડર) આપવામાં આવેલ છે.જેથી આગામી સમયમાં નંદનવન એપાર્ટમેન્ટમાં પણ રીડેવલપમેન્ટને લઈને આગળની વાતચીતનો દોર શરૂ થશે.અને આ વાતચીતનો દૌર રીડેવલપમેન્ટના અંતિમ પડાવ સુધી પહોંચે અને રીડેવલપમેન્ટ પુરુ થાય એવો સોસાયટીના રહીશો પણ રીડેવલપમેન્ટ થાય તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યાં છે.

આ ઉપરાંત નવા વાડજમાં હાઉસિંગ બોર્ડની અન્ય સોસાયટીઓ જેમ કે શિવમ એપાર્મેન્ટ, સાગર એપાર્ટમેન્ટ, અભિલાષા એપાર્ટમેન્ટ, પ્રકાશદીપ એપાર્ટમેન્ટમાં રહીશોમાં રીડેવલપમેન્ટને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. તમને જણાવી દઈએ કે અગાઉ હરિઓમ એપાર્ટમેન્ટ અને ગગનવિહાર એપાર્ટમેન્ટના ટેન્ડર હાઉસિંગ બોર્ડ દ્વારા કરાયા છે, પરંતુ સહમતિની દિશામાં હજુ કોઈ સુ:ખદ નિવેડો આવ્યો નથી.

તમને જણાવી દઈએ કે આ અગાઉ કોઈ મુમેન્ટ ન હોવાને કારણે નવા વાડજમાં આવેલ ઉત્સવ એપાર્ટમેન્ટનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું, ઉત્સવ એપાર્ટમેન્ટને રિડેવલપમેન્ટમાં જાેડાવવું હશે તો દરેક પ્રક્રિયા ફરીથી કરીને રિટેન્ડર કરાવવું પડશે.હવે હાઉસિંગ બોર્ડ સમય મર્યાદામાં સોસાયટીઓ અને ડેવલપર કામ પુરુ નહિ કરે હાઉસિંગ બોર્ડ ટેન્ડર રદ કરતા અચકાશે નહિ..

હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડની ૪૨ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે ૧૭ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે અને ડિમોલીશનની કામગીરી શરૂ થશે.૧૩ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની નિયત પ્રક્રિયા પૂર્ણ થતાં જ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે ૧૧ સોસાયટીઓમાં ટેન્ડર બાદની પ્રક્રિયાઓ ચાલું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...