Monday, September 15, 2025

અમદાવાદમાં પોલીસના શ્વાનની મદદથી પોલીસે 16 લાખની ચોરીનો કેસ ચપટીમાં ઉકેલી નાખ્યો, જાણો સમગ્ર મામલો

Share

Share

અમદાવાદ: અન્ય પ્રાણીઓ કરતા શ્વાનને માણસોના સૌથો નજીકના મિત્ર માનવામાં આવે છે, દરેક ગામ અને શહેરમાં શ્વાન અને માણસોની મિત્રતાના કિસ્સાઓ હશે જ. ગંધ પારખવાની શક્તિને કારણે શ્વાન ગુના ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, શ્વાન ઘણા અશક્ય લાગતા કેસોને સરળતાથી ઉકેલવામાં મદદ કરી શકે છે. જેના કારણે લગભગ દરેક દેશમાં પોલીસ દળ સાથે શ્વાન રાખવામાં આવે છે. તાજેતરમાં અમદાવાદમાં એક શ્વાને એક ચોરીના ગુનાને ઉકેલવા પોલીસને મદદ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં દર્શીલ ઠક્કરના ઘરે આરોપી અર્જુન ચુનારાએ ચોરી કરી રૂપિયા 13.96 લાખની ચોરી કરી હતી. જેમાં દાગીના સામેલ હતા. આરોપી ચોરી દરમ્યાન સીસીટીવીમાં કેદ થયો હતો. ફરિયાદીએ તરત જ પોલીસને ફોન કર્યો, પોલીસે સમય ગુમાવ્યા વગર તાત્કાલિક કાર્યવાહી શરુ કરી.

અધિકારીઓએ CCTC ફૂટેજ તપાસ્યા, જેમાં એક શખ્સ કમ્પાઉન્ડ વોલ કૂદતા દેખાયો. જોકે વીડિયો અસ્પષ્ટ હતો, જેને કારણે તસ્કરની ઓળખ અશક્ય હતી. મર્યાદિત પુરાવા સાથે, મણિનગર પોલીસે ફક્ત બોડી લેંગ્વેજના આધારે પાંચ શંકાસ્પદોને ધરપકડ કરી, જોકે તમામે આ ચોરીમાં સંડોવણીનો ઇનકાર કર્યો.

પોલીસ અધિકારીએ શ્વાન યુનિટનો સંપર્ક કર્યો. પોલીસ અધિકારી (ડોબરમેન બ્રીડની ઓરિયો) ઓરિયો સાથે અડધા કલાકમાં ઘટના સ્થળે પહોંચ્યા, આ સાથે જ તપાસમાં વળાંક આવ્યો. ઓરિયોએ રોકડ અને કિંમતી વસ્તુઓ જ્યાં રાખવામાં આવી હતી એ ડ્રોઅર સુંઘ્યું.ઓરીયોએ ગંધ સુંઘી લીધી, ત્યાર બાદ ઓરીયોને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી જ્યાં શંકાસ્પદોને રાખવામાં આવ્યા હતાં.

પોલીસ સ્ટેશનમાં પાંચેય શંકાસ્પદોને ઓરિયો સામે લાવવામાં આવ્યા, પહેલા તમામ શંકાસ્પદો શાંત દેખાતા હતા. પહેલા ઓરિયોએ રૂમમાં આમથી તેમ આંટા માર્યા પછી અચાનક એક શંકાસ્પદ પાસે અટકી ગઈ અને શંકાસ્પદની છાતી પર કૂદી પડી. ગભરાયેલા શંકાસ્પદે ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધું.

આરોપીની કબુલાત મુજબ પોલીસે તેના ઘરની તપાસ કરી અને ચોરી થયેલી તમામ વસ્તુઓ મળી આવી. ઓરિયોની કુશળતાને કારણે આ કેસ કલાકોમાં ઉકેલાઈ ગયો. ઓરિયોની મદદ વગર આ કેસ ઉકેલવામાં પોલીસને ખુબ મુશ્કેલી પડી હોત અને સમય અને રિસોર્સીસનો પણ વેડફાટ થયો હોય. હવે ઓરીયોને શાબાશી મળી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...