Wednesday, April 29, 2026

અમદાવાદમાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં IPS સફીન હસનનો મંત્ર : સફળતા માટે વટ, વતન અને વ્યસનનો ત્યાગ જરૂરી

spot_img
Share

અમદાવાદ : સુરેન્દ્રનગર જીલ્લા વણકર સમાજ, અમદાવાદ શહેર દ્વારા ધોરણ 10 અને 12 પછી માટે કારકિર્દી માર્ગદર્શન પ્રોગ્રામ નું આયોજન તા.27-04-2025 રવિવાર સવારે 9.00 થી 12.00 કલાકે વીર ભગતસિંહ કોમ્યુનિટી હોલ, ગોમતીપુર, અમદાવાદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમંમાં સર્વપ્રથમ ડો. બાબાસાહેબ આંબેડકરની છબી ને દીપ પ્રાગટ્ય કરીને ફૂલહાર પહેરાવીને શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સર્વ સમાજના વિશાળ સંખ્યામાં વિધાર્થીઑ હાજરી આપેલ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમના અતિથિ વિશેષ, ઉતશાહી, ડાયનેમિક અને વિદ્યાર્થીઓના તેમજ તમામના ચાહિતા એવા મોટીવેશનલ સ્પીકર સફીન હસન (IPS) જેમના પધારવાથી હોલમાં બેઠેલા વિધાર્થીઓમાં ઉર્જા અને ઉત્સાહ આવી ગયો. તેમણે પ્રવચનની શરૂઆત માંજ બાળકોને હળવીશૈલીમાં કસરત કરાવી તેમનો થાક ઉતારી દીધો હતો અને વિધાર્થીમાં એક તાજગીપણું લાવી દીધું હતું. તેમણે પ્રવચન દરમ્યાન તેમના જીવનમાં જે સંઘર્ષ કરેલ હતો તે વિષે વાત કરી તેમજ જીવનમાં આગળ વધવા માટે ત્રણ વ નો સિદ્ઘાંત આપેલ હતો જેમ વટ, વતન અને વ્યસન નો ત્યાગ કરવો પડે. તેમને વિધાર્થી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપેલા તેમજ IPS/IAS માટે કેવી રીતે તૈયારી કરવી તેની માહિતી આપી હતી.

આ કાયર્ક્રમમાં અમદાવાદ એજ્યુકેસન સોસાયટીના પ્રેસિડેન્ટ અને કેળવણીકાર સતીશ શાહ દ્વારા વિધાર્થીઓને ધોરણ 10 અને 12 પછી કયા કોર્સિસ કરવા તેમજ તેમાં શું તકો રહેલી છે તેમજ બાળકોએ પરસેન્ટેજના આધારે સાયન્સ, કોમર્સ કે આર્ટસ ન પસંદ કરતાં પોતાને શેમાં રુચિ છે તે અંગે વિસ્તારવાર માહિતી આપેલ હતી.

સતીશ પટેલ, પૂર્વ ડાઇરેક્ટર SPIPA તેમજ રોડ સેફટી કમિશનર, ગુજરાત રાજ્ય દ્વારા વિધાર્થીને સરકારી નોકરી મેળવવા કેવી રીતે તૈયારી કરવી, કેટલો સમય અભ્યાસ માટે આપવો તેમજ પોતે જીવનમાં આ પદ ઉપર પહોંચવા માટે કેવા ચડાવ ઉતાર નો સામનો કરેલ હતો તેની માહિતી આપેલ હતી સાથે તેમણે UPSC અને GPSC કેવી રીતે તૈયારી કરવી તેની વિગતવાર માહિતી આપેલ હતી અને વિધાર્થી ઉત્સાહ વધારેલ.

શહેરના જાણીતા ચાર્ટર્ડ એકોઉન્ટન્ટ એવા કરીમ લાખાણી દ્વારા કોમર્સના અભ્યાસ કરવામાં કઈ કઈ ફેકલ્ટિમાં જઈ શકાય તેમજ ચાર્ટર્ડ એકોઉન્ટન્ટનું સમાજમાં કેટલું મહત્વ છે અને તેના અભ્યાસ માટે શું તૈયારી કરવી તેનું વિગતવાર માહિતી વિધાર્થીઓને આપેલ હતી.

આ કાર્યક્રમ ઉપસ્થિત તમામ વિધ્યાર્થીને સંસ્થા દ્વારા કારકિર્દી માર્ગદર્શનની બુક અને ફાઇલ ફોલ્ડર આપવામાં આવેલ હતું તેમજ પ્રોગ્રામમાં સમાજના ઘણા આમંત્રિત અગ્રીણો હાજરી આપેલ હતી. આ પ્રોગ્રામને સફળ બનાવા માટે શુભેચ્છક શૈલેશ રાઠોડ (એડવોકેટ) તથા સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ અલગોતર, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ મકવાણા, મંત્રી મુકેશભાઇ લખતર, કન્વિનર વિનોદ પટેલ, ખજાનચી જેઠાભાઇ મકવાણા તેમજ તમામ કારોબારી સભ્યો દ્વારા અથાગ પ્રયત્ન અને મહેનત કર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...