Friday, March 13, 2026

અમદાવાદમાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં IPS સફીન હસનનો મંત્ર : સફળતા માટે વટ, વતન અને વ્યસનનો ત્યાગ જરૂરી

spot_img
Share

અમદાવાદ : સુરેન્દ્રનગર જીલ્લા વણકર સમાજ, અમદાવાદ શહેર દ્વારા ધોરણ 10 અને 12 પછી માટે કારકિર્દી માર્ગદર્શન પ્રોગ્રામ નું આયોજન તા.27-04-2025 રવિવાર સવારે 9.00 થી 12.00 કલાકે વીર ભગતસિંહ કોમ્યુનિટી હોલ, ગોમતીપુર, અમદાવાદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમંમાં સર્વપ્રથમ ડો. બાબાસાહેબ આંબેડકરની છબી ને દીપ પ્રાગટ્ય કરીને ફૂલહાર પહેરાવીને શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સર્વ સમાજના વિશાળ સંખ્યામાં વિધાર્થીઑ હાજરી આપેલ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમના અતિથિ વિશેષ, ઉતશાહી, ડાયનેમિક અને વિદ્યાર્થીઓના તેમજ તમામના ચાહિતા એવા મોટીવેશનલ સ્પીકર સફીન હસન (IPS) જેમના પધારવાથી હોલમાં બેઠેલા વિધાર્થીઓમાં ઉર્જા અને ઉત્સાહ આવી ગયો. તેમણે પ્રવચનની શરૂઆત માંજ બાળકોને હળવીશૈલીમાં કસરત કરાવી તેમનો થાક ઉતારી દીધો હતો અને વિધાર્થીમાં એક તાજગીપણું લાવી દીધું હતું. તેમણે પ્રવચન દરમ્યાન તેમના જીવનમાં જે સંઘર્ષ કરેલ હતો તે વિષે વાત કરી તેમજ જીવનમાં આગળ વધવા માટે ત્રણ વ નો સિદ્ઘાંત આપેલ હતો જેમ વટ, વતન અને વ્યસન નો ત્યાગ કરવો પડે. તેમને વિધાર્થી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપેલા તેમજ IPS/IAS માટે કેવી રીતે તૈયારી કરવી તેની માહિતી આપી હતી.

આ કાયર્ક્રમમાં અમદાવાદ એજ્યુકેસન સોસાયટીના પ્રેસિડેન્ટ અને કેળવણીકાર સતીશ શાહ દ્વારા વિધાર્થીઓને ધોરણ 10 અને 12 પછી કયા કોર્સિસ કરવા તેમજ તેમાં શું તકો રહેલી છે તેમજ બાળકોએ પરસેન્ટેજના આધારે સાયન્સ, કોમર્સ કે આર્ટસ ન પસંદ કરતાં પોતાને શેમાં રુચિ છે તે અંગે વિસ્તારવાર માહિતી આપેલ હતી.

સતીશ પટેલ, પૂર્વ ડાઇરેક્ટર SPIPA તેમજ રોડ સેફટી કમિશનર, ગુજરાત રાજ્ય દ્વારા વિધાર્થીને સરકારી નોકરી મેળવવા કેવી રીતે તૈયારી કરવી, કેટલો સમય અભ્યાસ માટે આપવો તેમજ પોતે જીવનમાં આ પદ ઉપર પહોંચવા માટે કેવા ચડાવ ઉતાર નો સામનો કરેલ હતો તેની માહિતી આપેલ હતી સાથે તેમણે UPSC અને GPSC કેવી રીતે તૈયારી કરવી તેની વિગતવાર માહિતી આપેલ હતી અને વિધાર્થી ઉત્સાહ વધારેલ.

શહેરના જાણીતા ચાર્ટર્ડ એકોઉન્ટન્ટ એવા કરીમ લાખાણી દ્વારા કોમર્સના અભ્યાસ કરવામાં કઈ કઈ ફેકલ્ટિમાં જઈ શકાય તેમજ ચાર્ટર્ડ એકોઉન્ટન્ટનું સમાજમાં કેટલું મહત્વ છે અને તેના અભ્યાસ માટે શું તૈયારી કરવી તેનું વિગતવાર માહિતી વિધાર્થીઓને આપેલ હતી.

આ કાર્યક્રમ ઉપસ્થિત તમામ વિધ્યાર્થીને સંસ્થા દ્વારા કારકિર્દી માર્ગદર્શનની બુક અને ફાઇલ ફોલ્ડર આપવામાં આવેલ હતું તેમજ પ્રોગ્રામમાં સમાજના ઘણા આમંત્રિત અગ્રીણો હાજરી આપેલ હતી. આ પ્રોગ્રામને સફળ બનાવા માટે શુભેચ્છક શૈલેશ રાઠોડ (એડવોકેટ) તથા સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ અલગોતર, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ મકવાણા, મંત્રી મુકેશભાઇ લખતર, કન્વિનર વિનોદ પટેલ, ખજાનચી જેઠાભાઇ મકવાણા તેમજ તમામ કારોબારી સભ્યો દ્વારા અથાગ પ્રયત્ન અને મહેનત કર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...