Tuesday, October 14, 2025

ટેન્ડરની સમયમર્યાદામાં કામગીરી ન કરનાર ડેવલપરો વિરુદ્ધ કાર્યવાહી કયારે..!? GHBની કામગીરી શંકાના દાયરામાં…!!

Share

અમદાવાદ : શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં હાલ રાજ્ય સરકારની રિડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત કામગીરી ચાલી રહી છે, પણ 30 થી વધુ હાઉસિંગ કોલોનીઓના રિડેવલપમેન્ટ માટે બહાર પડાયેલા ટેન્ડરમાં બોર્ડે રિડેવલપમેન્ટ પોલિસીનો કોઈ અમલ કર્યો જ ન હોવાનો અને અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ કામગીરીમાં કોઈપણ મુવમેન્ટ કે હિલચાલ ન હોવા છતાં બિલ્ડરોના લાભાર્થે ટેન્ડરની સમય મર્યાદા પુરી થઈ ગઈ હોવા છતાં ટેન્ડરો ચાલું રાખતા હોવાની ફરિયાદો ઊઠી છે.

એક આગેવાનના મત મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બિલ્ડરોની મનમાની પ્રમાણે ચાલે છે. અને બિલ્ડરો માટે લાલ જાજમ બીછાવવામાં આવે છે. જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તાજેતરમાં બિલ્ડરના લાભાર્થે પ્રોજેકટ લોનની મંજુરી આપવામાં આવી છે, છતાં એક વાર ટેન્ડર બાદ ધીમી ગતિની કામગીરીમાં કોન્ટ્રાક્ટરોને કોઈ નોટીસ આપવામાં આવતી નથી.બિલ્ડર દ્વારા સમય મર્યાદામાં કામ નહીં કરતા હોવાને કારણે સોસાયટીના સભ્યો હેરાનગતિ ભોગવી રહ્યા છે.

એક ચર્ચા મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં 135 થી વધુ કોલોનીઓ (સોસાયટીઓ)ના ટેન્ડરો બહાર પાડયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં હાલ અમદાવાદની 12 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી છે. 20 જેટલી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ માટે ટેન્ડરો પાડવામાં આવ્યા છે.

એની સામે અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં કોઈપણ મુવમેન્ટ કે હિલચાલ ન હોવા છતાં અને ટેન્ડરની સમય મર્યાદા પુરી થઈ ગયા હોવા છતાં સરકારની રિડેવલપમેન્ટ પોલિસી વિરુદ્ધ ટેન્ડરો ચાલુ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.એક હાઉસિંગ આગેવાનના જણાવ્યા મુજબ દરેક ટેન્ડરની શરત મુજબ સમય મર્યાદા પૂર્ણ થતા હાઉસિંગ બોર્ડે ટેન્ડર કેન્સલ કરી તેની ઈએમડી જપ્ત કરી દાખલો બેસાડવો જાેઈએ, જેથી બિલ્ડરોની શાન પણ ઠેકાણે આવી જાય, અને સાથે સાથે લોકોમાં એક મેસેજ જાય ટેન્ડર કેન્સલ થશે તો રિડેવલપમેન્ટ અટકી જશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જાે સોસાયટીઓમાં એમઓયું કરવામાં સમય જાેઈતો હોય તો હાઉસિંગ બોર્ડ ટેન્ડરની સમય મર્યાદા વધારી શકે છે.પરંતુ સોસાયટીઓમાં લોકો રિડેવલપમેન્ટમાં બિલ્ડરની પ્રપોઝલ સ્વીકારતા ન હોઈ એવા સંજાેગોમાં ટેન્ડર કેન્સલ કરવા જાેઈએ.નારણપુરા, નવા વાડજ સહિત અનેક સોસાયટીઓ એવી છે કે જયાં ટેન્ડર બહાર પાડયા બાદ એક પણ એમઓયું થયા નથી, અથવા તો થવાના કોઈ સંજાેગો પણ નથી, એમઓયું કરવામાં પ્રજામાં કોઈને રસ નથી કે બિલ્ડરને રસ નથી એવા સંજાેગોમાં ટેન્ડર કેન્સલ કરવા જાેઈએ.આવી તો અનેક સોસાયટીઓ છે કે જયાં બિલ્ડર રહીશો છેલ્લાં કેટલાંય સમયથી મિટીંગ પણ થઈ નથી, અનેક સોસાયટીઓમાં બિલ્ડરે એક આંટો પણ માર્યા નથી.

ઉદાહરણ તરીકે જાેઈએ…તો નવા વાડજમાં વિશ્રામ પાર્ક, હરિઓમ એપાર્ટમેન્ટ, ગગનવિહાર એપાર્ટમેન્ટ, નારણપુરામાં શ્રધ્ધાદીપ એપાર્ટમેન્ટ, ગણેશ, શ્રીનગર કે શિવાલય એપાર્ટમેન્ટની વાત કરીએ તો…આમાંથી કોઈ પણ સોસાયટીમાં રિડેવલપમેન્ટની કામગીરીમાં કોઈ ડેવલપમેન્ટ નથી, જેથી આવી સોસાયટીઓમાં ટેન્ડર કેન્સલ કરીને બિલ્ડરો માટે દ્રષ્ટાંત બેસાડવું જાેઈએ.

આમ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કોઈ પણ કાર્ય માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી. ટેન્ડર હોય કે ટેન્ડર સિવાયનું કામ હોય, કોઈ સમય મર્યાદા નહી, ન કોઈ કામગીરીની ચોક્કસ ટાઈમ લિમીટ, હા કોઈ ને ડરાવવા હોય તો તેઓ મર્યાદા બતાવી શકે છે. દરેક કાર્યને લઈ સમય વ્યય કરવો.

આ અગાઉ હાઉસિંગ બોર્ડે અનેક સોસાયટીઓમાં સભ્યોની સંમતિ લીધા વિના જ ટેન્ડર બહાર પાડી દીધા હતા.જાે કે નિયમ મુજબ ૭૫ ટકા લોકોની સંમતિ હોવી જરૂરી છે તેમ છતાંય હાઉસિંગ બોર્ડે અનેક સોસાયટીઓના સભ્યોની સંમતિ લીધા વિના જ ટેન્ડર બહાર પાડી દીધા હતા.ત્યારે પણ ભારે ઉહાપોંહ મચી ગયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...