Wednesday, January 14, 2026

ટેન્ડરની સમયમર્યાદામાં કામગીરી ન કરનાર ડેવલપરો વિરુદ્ધ કાર્યવાહી કયારે..!? GHBની કામગીરી શંકાના દાયરામાં…!!

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં હાલ રાજ્ય સરકારની રિડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત કામગીરી ચાલી રહી છે, પણ 30 થી વધુ હાઉસિંગ કોલોનીઓના રિડેવલપમેન્ટ માટે બહાર પડાયેલા ટેન્ડરમાં બોર્ડે રિડેવલપમેન્ટ પોલિસીનો કોઈ અમલ કર્યો જ ન હોવાનો અને અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ કામગીરીમાં કોઈપણ મુવમેન્ટ કે હિલચાલ ન હોવા છતાં બિલ્ડરોના લાભાર્થે ટેન્ડરની સમય મર્યાદા પુરી થઈ ગઈ હોવા છતાં ટેન્ડરો ચાલું રાખતા હોવાની ફરિયાદો ઊઠી છે.

એક આગેવાનના મત મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બિલ્ડરોની મનમાની પ્રમાણે ચાલે છે. અને બિલ્ડરો માટે લાલ જાજમ બીછાવવામાં આવે છે. જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તાજેતરમાં બિલ્ડરના લાભાર્થે પ્રોજેકટ લોનની મંજુરી આપવામાં આવી છે, છતાં એક વાર ટેન્ડર બાદ ધીમી ગતિની કામગીરીમાં કોન્ટ્રાક્ટરોને કોઈ નોટીસ આપવામાં આવતી નથી.બિલ્ડર દ્વારા સમય મર્યાદામાં કામ નહીં કરતા હોવાને કારણે સોસાયટીના સભ્યો હેરાનગતિ ભોગવી રહ્યા છે.

એક ચર્ચા મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં 135 થી વધુ કોલોનીઓ (સોસાયટીઓ)ના ટેન્ડરો બહાર પાડયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં હાલ અમદાવાદની 12 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી છે. 20 જેટલી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ માટે ટેન્ડરો પાડવામાં આવ્યા છે.

એની સામે અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં કોઈપણ મુવમેન્ટ કે હિલચાલ ન હોવા છતાં અને ટેન્ડરની સમય મર્યાદા પુરી થઈ ગયા હોવા છતાં સરકારની રિડેવલપમેન્ટ પોલિસી વિરુદ્ધ ટેન્ડરો ચાલુ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.એક હાઉસિંગ આગેવાનના જણાવ્યા મુજબ દરેક ટેન્ડરની શરત મુજબ સમય મર્યાદા પૂર્ણ થતા હાઉસિંગ બોર્ડે ટેન્ડર કેન્સલ કરી તેની ઈએમડી જપ્ત કરી દાખલો બેસાડવો જાેઈએ, જેથી બિલ્ડરોની શાન પણ ઠેકાણે આવી જાય, અને સાથે સાથે લોકોમાં એક મેસેજ જાય ટેન્ડર કેન્સલ થશે તો રિડેવલપમેન્ટ અટકી જશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જાે સોસાયટીઓમાં એમઓયું કરવામાં સમય જાેઈતો હોય તો હાઉસિંગ બોર્ડ ટેન્ડરની સમય મર્યાદા વધારી શકે છે.પરંતુ સોસાયટીઓમાં લોકો રિડેવલપમેન્ટમાં બિલ્ડરની પ્રપોઝલ સ્વીકારતા ન હોઈ એવા સંજાેગોમાં ટેન્ડર કેન્સલ કરવા જાેઈએ.નારણપુરા, નવા વાડજ સહિત અનેક સોસાયટીઓ એવી છે કે જયાં ટેન્ડર બહાર પાડયા બાદ એક પણ એમઓયું થયા નથી, અથવા તો થવાના કોઈ સંજાેગો પણ નથી, એમઓયું કરવામાં પ્રજામાં કોઈને રસ નથી કે બિલ્ડરને રસ નથી એવા સંજાેગોમાં ટેન્ડર કેન્સલ કરવા જાેઈએ.આવી તો અનેક સોસાયટીઓ છે કે જયાં બિલ્ડર રહીશો છેલ્લાં કેટલાંય સમયથી મિટીંગ પણ થઈ નથી, અનેક સોસાયટીઓમાં બિલ્ડરે એક આંટો પણ માર્યા નથી.

ઉદાહરણ તરીકે જાેઈએ…તો નવા વાડજમાં વિશ્રામ પાર્ક, હરિઓમ એપાર્ટમેન્ટ, ગગનવિહાર એપાર્ટમેન્ટ, નારણપુરામાં શ્રધ્ધાદીપ એપાર્ટમેન્ટ, ગણેશ, શ્રીનગર કે શિવાલય એપાર્ટમેન્ટની વાત કરીએ તો…આમાંથી કોઈ પણ સોસાયટીમાં રિડેવલપમેન્ટની કામગીરીમાં કોઈ ડેવલપમેન્ટ નથી, જેથી આવી સોસાયટીઓમાં ટેન્ડર કેન્સલ કરીને બિલ્ડરો માટે દ્રષ્ટાંત બેસાડવું જાેઈએ.

આમ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કોઈ પણ કાર્ય માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી. ટેન્ડર હોય કે ટેન્ડર સિવાયનું કામ હોય, કોઈ સમય મર્યાદા નહી, ન કોઈ કામગીરીની ચોક્કસ ટાઈમ લિમીટ, હા કોઈ ને ડરાવવા હોય તો તેઓ મર્યાદા બતાવી શકે છે. દરેક કાર્યને લઈ સમય વ્યય કરવો.

આ અગાઉ હાઉસિંગ બોર્ડે અનેક સોસાયટીઓમાં સભ્યોની સંમતિ લીધા વિના જ ટેન્ડર બહાર પાડી દીધા હતા.જાે કે નિયમ મુજબ ૭૫ ટકા લોકોની સંમતિ હોવી જરૂરી છે તેમ છતાંય હાઉસિંગ બોર્ડે અનેક સોસાયટીઓના સભ્યોની સંમતિ લીધા વિના જ ટેન્ડર બહાર પાડી દીધા હતા.ત્યારે પણ ભારે ઉહાપોંહ મચી ગયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...