Sunday, March 15, 2026

અમદાવાદમાં અલગ અલગ સ્થળે મોકડ્રિલ યોજાઈ, પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓ જોડાઈ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આજે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રિલ યોજાઈ રહી છે.. ત્યારે અમદાવાદમાં પણ બે જગ્યાએ પેલેડિયમ મોલ, વટવા GIDCમાં હાલ મોકડ્રિલ ચાલી રહી છે. બંને સ્થળો પર પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓના કર્મચારીઓ પહોંચ્યા છે અને મોકડ્રિલ યોજી રહ્યા છે. સાંજે 8.30થી 9.00 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ પણ કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠ ખાતે સિવિલ ડિફેન્સની હાજરીમાં મોકડ્રિલ યોજાઈ હતી. મોકડ્રિલ સંદર્ભે સાયરન વાગે ત્યારે કેવી રીતે બચવું જોઈએ વગેરે અંગેની તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના પેલેડિયમ મોલમાં મોકડ્રિલ યોજાઈ હતી, જેમાં મોકડ્રિલ દરમિયાન ફાયર જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.પેલેડિયમ મોલમાં સાયરન વગાડી લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.પેલેડિયમ મોલ પર યોજાઈ રહેલી મોકડ્રિલમાં અલગ અલગ 13 એજન્સીઓ જોડાઈ

અમદાવાદની વટવા GIDCમાં મોકડ્રિલ યોજાઈ. યુદ્ધની સ્થિતિમાં સાયરન વાગે ત્યારે શું કરવું જોઈએ તેના માટેની વટવા GIDCમાં મોકડ્રિલ કરવામાં આવી જેમાં સિવિલ ડિફેન્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી મોઢામાં રૂમાલ અથવા કોઈપણ કાપડ દબાવી દેવાનું અને કાન બંધ કરી દેવાના જેના કારણે વધારે પડતાં આજના કારણે કોઈ ઈજા થાય નહીં.

ઔદ્યોગિક વિસ્તાર એવા વટવા જીઆઇડીસી ખાતે સાયરન વગાડી મોડ ડ્રીલ કરવામાં આવી છે. ઘાયલ લોકોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.યુદ્ધ દરમિયાન આગ લાગે ત્યારે લોકોને કેવી રીતે બચાવવા અને આગ બુજાવવાને લઈને મોકલી કરવામાં આવી હતી. વટવા જીઆઇડીસી ખાતે ફાયર બ્રિગેડની ટીમ આગ બુજાવવા માટે પહોંચી હતી.

આ ઉપરાંત અમદાવાદના સિંધુભવન રોડ પર મોકડ્રિલ યોજવામાં આવી હતી.સિવિલ ડિફેન્સના સ્ટાફે લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગૃત કર્યા હતા. અમદાવાદ કલેકટર કચેરીમાં સાયરન ગુંજી ઉઠ્યું.અમદાવાદ કલેકટર કચેરીમાં કલેકટરની હાજરીમાં સાયરનના અવાજથી લોકોને સચેત કરાયા છે.

ગુજરાતના 18 જિલ્લામાં સાયરન વગાડીને મોકડ્રીલ શરૂ કરવામાં આવી છે. જોકે આ મોકડ્રીલ અને સાયરન અંગે કેટલાક લોકો સાવચેત હતા અને તેમને પહેલેથી તેની જાણ હતી. જ્યારે કેટલાક લોકો તેનાથી અજાણ હતા. કેટલાક લોકોમાં અચાનક શરૂ થયેલી મોકડ્રીલથી અજાણ હોવાથી ડર જોવા મળ્યો હતો. જોકે બાદમાં તેમને મોકડ્રીલ હોવાની જાણ કરવામાં આવી હતી.

નાગરિકોએ શું કરવું જોઈએ:

1. તાત્કાલિક આશ્રય શોધો:
* નજીકના બોમ્બ આશ્રયસ્થાન, ભોંયરામાં અથવા નિયુક્ત સલામત રૂમમાં જાઓ.
* જો બહાર હોવ, તો નીચા વિસ્તારમાં (જેમ કે ખાડામાં) સપાટ સૂઈ જાઓ અને તમારા માથાને ઢાંકી દો.
2. સત્તાવાર સૂચનાઓનું પાલન કરો:
* રેડિયો, ટીવી અથવા સત્તાવાર એપ્લિકેશનો (દા.ત., NDMA, AIR) દ્વારા સરકારી ચેતવણીઓ સાંભળો.
* બધા ખાલી કરાવવા અથવા લોકડાઉન આદેશોનું પાલન કરો.
3. બારીઓ અને દરવાજાથી દૂર રહો:
* આંચકાના મોજાથી કાચ તૂટી શકે છે – મજબૂત દિવાલો પાછળ રહો.
4. કટોકટી કીટ તૈયાર કરો:
* પાણી, નાશ ન પામે તે ખોરાક, ફ્લેશલાઇટ, પાવર બેંક, પ્રાથમિક સારવાર કીટ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો શામેલ કરો.
5. ઘરની અંદર રહો અને શાંત રહો:
* જ્યાં સુધી અધિકારીઓ તેને સુરક્ષિત જાહેર ન કરે ત્યાં સુધી આશ્રય છોડશો નહીં.

ટાળવા માટેની સામાન્ય ભૂલો:

1. સાયરનને અવગણવી અથવા પ્રતિભાવમાં વિલંબ કરવો:
* કેટલાક તેને એક કવાયત તરીકે ફગાવી દે છે અથવા ખૂબ લાંબી રાહ જુએ છે – દરેક સેકન્ડ મહત્વપૂર્ણ છે.
2. ફોનનો વધુ પડતો ઉપયોગ:
* બિનજરૂરી કોલ્સ અથવા સોશિયલ મીડિયા પોસ્ટિંગ ટાળો, જે નેટવર્કને ગીચ બનાવી શકે છે.
3. ઘટનાઓ રેકોર્ડ કરવા અથવા જોવા માટે બહાર દોડવું:
* એક મોટું જોખમ – કાટમાળ, વિસ્ફોટ અથવા ગૌણ હડતાલ થઈ શકે છે.
4. ચેતવણીઓ દરમિયાન વાહન ચલાવવું:
* રસ્તાઓ ખતરનાક અથવા અવરોધિત હોઈ શકે છે; જગ્યાએ આશ્રય લેવો વધુ સુરક્ષિત છે.
5. નજીકના આશ્રયસ્થાનો અથવા બહાર નીકળવાની યોજનાઓ જાણતા ન હોવા:
* ઘણા લોકો તૈયારી વિના અથવા સલામત સ્થાનોથી અજાણ હોય છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...