Monday, September 21, 2026

અમદાવાદમાં અલગ અલગ સ્થળે મોકડ્રિલ યોજાઈ, પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓ જોડાઈ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આજે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રિલ યોજાઈ રહી છે.. ત્યારે અમદાવાદમાં પણ બે જગ્યાએ પેલેડિયમ મોલ, વટવા GIDCમાં હાલ મોકડ્રિલ ચાલી રહી છે. બંને સ્થળો પર પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓના કર્મચારીઓ પહોંચ્યા છે અને મોકડ્રિલ યોજી રહ્યા છે. સાંજે 8.30થી 9.00 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ પણ કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠ ખાતે સિવિલ ડિફેન્સની હાજરીમાં મોકડ્રિલ યોજાઈ હતી. મોકડ્રિલ સંદર્ભે સાયરન વાગે ત્યારે કેવી રીતે બચવું જોઈએ વગેરે અંગેની તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના પેલેડિયમ મોલમાં મોકડ્રિલ યોજાઈ હતી, જેમાં મોકડ્રિલ દરમિયાન ફાયર જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.પેલેડિયમ મોલમાં સાયરન વગાડી લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.પેલેડિયમ મોલ પર યોજાઈ રહેલી મોકડ્રિલમાં અલગ અલગ 13 એજન્સીઓ જોડાઈ

અમદાવાદની વટવા GIDCમાં મોકડ્રિલ યોજાઈ. યુદ્ધની સ્થિતિમાં સાયરન વાગે ત્યારે શું કરવું જોઈએ તેના માટેની વટવા GIDCમાં મોકડ્રિલ કરવામાં આવી જેમાં સિવિલ ડિફેન્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી મોઢામાં રૂમાલ અથવા કોઈપણ કાપડ દબાવી દેવાનું અને કાન બંધ કરી દેવાના જેના કારણે વધારે પડતાં આજના કારણે કોઈ ઈજા થાય નહીં.

ઔદ્યોગિક વિસ્તાર એવા વટવા જીઆઇડીસી ખાતે સાયરન વગાડી મોડ ડ્રીલ કરવામાં આવી છે. ઘાયલ લોકોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.યુદ્ધ દરમિયાન આગ લાગે ત્યારે લોકોને કેવી રીતે બચાવવા અને આગ બુજાવવાને લઈને મોકલી કરવામાં આવી હતી. વટવા જીઆઇડીસી ખાતે ફાયર બ્રિગેડની ટીમ આગ બુજાવવા માટે પહોંચી હતી.

આ ઉપરાંત અમદાવાદના સિંધુભવન રોડ પર મોકડ્રિલ યોજવામાં આવી હતી.સિવિલ ડિફેન્સના સ્ટાફે લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગૃત કર્યા હતા. અમદાવાદ કલેકટર કચેરીમાં સાયરન ગુંજી ઉઠ્યું.અમદાવાદ કલેકટર કચેરીમાં કલેકટરની હાજરીમાં સાયરનના અવાજથી લોકોને સચેત કરાયા છે.

ગુજરાતના 18 જિલ્લામાં સાયરન વગાડીને મોકડ્રીલ શરૂ કરવામાં આવી છે. જોકે આ મોકડ્રીલ અને સાયરન અંગે કેટલાક લોકો સાવચેત હતા અને તેમને પહેલેથી તેની જાણ હતી. જ્યારે કેટલાક લોકો તેનાથી અજાણ હતા. કેટલાક લોકોમાં અચાનક શરૂ થયેલી મોકડ્રીલથી અજાણ હોવાથી ડર જોવા મળ્યો હતો. જોકે બાદમાં તેમને મોકડ્રીલ હોવાની જાણ કરવામાં આવી હતી.

નાગરિકોએ શું કરવું જોઈએ:

1. તાત્કાલિક આશ્રય શોધો:
* નજીકના બોમ્બ આશ્રયસ્થાન, ભોંયરામાં અથવા નિયુક્ત સલામત રૂમમાં જાઓ.
* જો બહાર હોવ, તો નીચા વિસ્તારમાં (જેમ કે ખાડામાં) સપાટ સૂઈ જાઓ અને તમારા માથાને ઢાંકી દો.
2. સત્તાવાર સૂચનાઓનું પાલન કરો:
* રેડિયો, ટીવી અથવા સત્તાવાર એપ્લિકેશનો (દા.ત., NDMA, AIR) દ્વારા સરકારી ચેતવણીઓ સાંભળો.
* બધા ખાલી કરાવવા અથવા લોકડાઉન આદેશોનું પાલન કરો.
3. બારીઓ અને દરવાજાથી દૂર રહો:
* આંચકાના મોજાથી કાચ તૂટી શકે છે – મજબૂત દિવાલો પાછળ રહો.
4. કટોકટી કીટ તૈયાર કરો:
* પાણી, નાશ ન પામે તે ખોરાક, ફ્લેશલાઇટ, પાવર બેંક, પ્રાથમિક સારવાર કીટ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો શામેલ કરો.
5. ઘરની અંદર રહો અને શાંત રહો:
* જ્યાં સુધી અધિકારીઓ તેને સુરક્ષિત જાહેર ન કરે ત્યાં સુધી આશ્રય છોડશો નહીં.

ટાળવા માટેની સામાન્ય ભૂલો:

1. સાયરનને અવગણવી અથવા પ્રતિભાવમાં વિલંબ કરવો:
* કેટલાક તેને એક કવાયત તરીકે ફગાવી દે છે અથવા ખૂબ લાંબી રાહ જુએ છે – દરેક સેકન્ડ મહત્વપૂર્ણ છે.
2. ફોનનો વધુ પડતો ઉપયોગ:
* બિનજરૂરી કોલ્સ અથવા સોશિયલ મીડિયા પોસ્ટિંગ ટાળો, જે નેટવર્કને ગીચ બનાવી શકે છે.
3. ઘટનાઓ રેકોર્ડ કરવા અથવા જોવા માટે બહાર દોડવું:
* એક મોટું જોખમ – કાટમાળ, વિસ્ફોટ અથવા ગૌણ હડતાલ થઈ શકે છે.
4. ચેતવણીઓ દરમિયાન વાહન ચલાવવું:
* રસ્તાઓ ખતરનાક અથવા અવરોધિત હોઈ શકે છે; જગ્યાએ આશ્રય લેવો વધુ સુરક્ષિત છે.
5. નજીકના આશ્રયસ્થાનો અથવા બહાર નીકળવાની યોજનાઓ જાણતા ન હોવા:
* ઘણા લોકો તૈયારી વિના અથવા સલામત સ્થાનોથી અજાણ હોય છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...