Tuesday, October 14, 2025

ગુજરાત એલર્ટ : તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓની રજાઓ રદ, રજા પરના અધિકારીઓને હાજર થવા હુકમ

Share

ગાંધીનગર: રાજ્યમાં તાજેતરમાં હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાત પોલીસ મહાનિર્દેશક (DGP) ની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મંજૂર થયેલી તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત પોલીસ મહાનિર્દેશક (DGP) કચેરી દ્વારા તમામ શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓને આ અંગે સૂચના આપવામાં આવી છે. આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જે પોલીસકર્મીઓ હાલમાં રજા પર છે, તેઓએ તાત્કાલિક પોતાની ફરજ પર હાજર થવાનું રહેશે અને હાજર થયા બાદ પોતાની કચેરીને તેની જાણ કરવાની રહેશે.

જો કે, આ તાત્કાલિક નિર્ણય પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ઓપરેશન સિંદૂર બાદ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને એલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...