Thursday, January 22, 2026

ગુજરાત એલર્ટ : તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓની રજાઓ રદ, રજા પરના અધિકારીઓને હાજર થવા હુકમ

spot_img
Share

ગાંધીનગર: રાજ્યમાં તાજેતરમાં હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાત પોલીસ મહાનિર્દેશક (DGP) ની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મંજૂર થયેલી તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત પોલીસ મહાનિર્દેશક (DGP) કચેરી દ્વારા તમામ શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓને આ અંગે સૂચના આપવામાં આવી છે. આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જે પોલીસકર્મીઓ હાલમાં રજા પર છે, તેઓએ તાત્કાલિક પોતાની ફરજ પર હાજર થવાનું રહેશે અને હાજર થયા બાદ પોતાની કચેરીને તેની જાણ કરવાની રહેશે.

જો કે, આ તાત્કાલિક નિર્ણય પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ઓપરેશન સિંદૂર બાદ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને એલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...