Wednesday, January 21, 2026

અમદાવાદમાં અલગ અલગ સ્થળે મોકડ્રિલ યોજાઈ, પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓ જોડાઈ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આજે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રિલ યોજાઈ રહી છે.. ત્યારે અમદાવાદમાં પણ બે જગ્યાએ પેલેડિયમ મોલ, વટવા GIDCમાં હાલ મોકડ્રિલ ચાલી રહી છે. બંને સ્થળો પર પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓના કર્મચારીઓ પહોંચ્યા છે અને મોકડ્રિલ યોજી રહ્યા છે. સાંજે 8.30થી 9.00 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ પણ કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠ ખાતે સિવિલ ડિફેન્સની હાજરીમાં મોકડ્રિલ યોજાઈ હતી. મોકડ્રિલ સંદર્ભે સાયરન વાગે ત્યારે કેવી રીતે બચવું જોઈએ વગેરે અંગેની તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના પેલેડિયમ મોલમાં મોકડ્રિલ યોજાઈ હતી, જેમાં મોકડ્રિલ દરમિયાન ફાયર જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.પેલેડિયમ મોલમાં સાયરન વગાડી લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.પેલેડિયમ મોલ પર યોજાઈ રહેલી મોકડ્રિલમાં અલગ અલગ 13 એજન્સીઓ જોડાઈ

અમદાવાદની વટવા GIDCમાં મોકડ્રિલ યોજાઈ. યુદ્ધની સ્થિતિમાં સાયરન વાગે ત્યારે શું કરવું જોઈએ તેના માટેની વટવા GIDCમાં મોકડ્રિલ કરવામાં આવી જેમાં સિવિલ ડિફેન્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી મોઢામાં રૂમાલ અથવા કોઈપણ કાપડ દબાવી દેવાનું અને કાન બંધ કરી દેવાના જેના કારણે વધારે પડતાં આજના કારણે કોઈ ઈજા થાય નહીં.

ઔદ્યોગિક વિસ્તાર એવા વટવા જીઆઇડીસી ખાતે સાયરન વગાડી મોડ ડ્રીલ કરવામાં આવી છે. ઘાયલ લોકોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.યુદ્ધ દરમિયાન આગ લાગે ત્યારે લોકોને કેવી રીતે બચાવવા અને આગ બુજાવવાને લઈને મોકલી કરવામાં આવી હતી. વટવા જીઆઇડીસી ખાતે ફાયર બ્રિગેડની ટીમ આગ બુજાવવા માટે પહોંચી હતી.

આ ઉપરાંત અમદાવાદના સિંધુભવન રોડ પર મોકડ્રિલ યોજવામાં આવી હતી.સિવિલ ડિફેન્સના સ્ટાફે લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગૃત કર્યા હતા. અમદાવાદ કલેકટર કચેરીમાં સાયરન ગુંજી ઉઠ્યું.અમદાવાદ કલેકટર કચેરીમાં કલેકટરની હાજરીમાં સાયરનના અવાજથી લોકોને સચેત કરાયા છે.

ગુજરાતના 18 જિલ્લામાં સાયરન વગાડીને મોકડ્રીલ શરૂ કરવામાં આવી છે. જોકે આ મોકડ્રીલ અને સાયરન અંગે કેટલાક લોકો સાવચેત હતા અને તેમને પહેલેથી તેની જાણ હતી. જ્યારે કેટલાક લોકો તેનાથી અજાણ હતા. કેટલાક લોકોમાં અચાનક શરૂ થયેલી મોકડ્રીલથી અજાણ હોવાથી ડર જોવા મળ્યો હતો. જોકે બાદમાં તેમને મોકડ્રીલ હોવાની જાણ કરવામાં આવી હતી.

નાગરિકોએ શું કરવું જોઈએ:

1. તાત્કાલિક આશ્રય શોધો:
* નજીકના બોમ્બ આશ્રયસ્થાન, ભોંયરામાં અથવા નિયુક્ત સલામત રૂમમાં જાઓ.
* જો બહાર હોવ, તો નીચા વિસ્તારમાં (જેમ કે ખાડામાં) સપાટ સૂઈ જાઓ અને તમારા માથાને ઢાંકી દો.
2. સત્તાવાર સૂચનાઓનું પાલન કરો:
* રેડિયો, ટીવી અથવા સત્તાવાર એપ્લિકેશનો (દા.ત., NDMA, AIR) દ્વારા સરકારી ચેતવણીઓ સાંભળો.
* બધા ખાલી કરાવવા અથવા લોકડાઉન આદેશોનું પાલન કરો.
3. બારીઓ અને દરવાજાથી દૂર રહો:
* આંચકાના મોજાથી કાચ તૂટી શકે છે – મજબૂત દિવાલો પાછળ રહો.
4. કટોકટી કીટ તૈયાર કરો:
* પાણી, નાશ ન પામે તે ખોરાક, ફ્લેશલાઇટ, પાવર બેંક, પ્રાથમિક સારવાર કીટ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો શામેલ કરો.
5. ઘરની અંદર રહો અને શાંત રહો:
* જ્યાં સુધી અધિકારીઓ તેને સુરક્ષિત જાહેર ન કરે ત્યાં સુધી આશ્રય છોડશો નહીં.

ટાળવા માટેની સામાન્ય ભૂલો:

1. સાયરનને અવગણવી અથવા પ્રતિભાવમાં વિલંબ કરવો:
* કેટલાક તેને એક કવાયત તરીકે ફગાવી દે છે અથવા ખૂબ લાંબી રાહ જુએ છે – દરેક સેકન્ડ મહત્વપૂર્ણ છે.
2. ફોનનો વધુ પડતો ઉપયોગ:
* બિનજરૂરી કોલ્સ અથવા સોશિયલ મીડિયા પોસ્ટિંગ ટાળો, જે નેટવર્કને ગીચ બનાવી શકે છે.
3. ઘટનાઓ રેકોર્ડ કરવા અથવા જોવા માટે બહાર દોડવું:
* એક મોટું જોખમ – કાટમાળ, વિસ્ફોટ અથવા ગૌણ હડતાલ થઈ શકે છે.
4. ચેતવણીઓ દરમિયાન વાહન ચલાવવું:
* રસ્તાઓ ખતરનાક અથવા અવરોધિત હોઈ શકે છે; જગ્યાએ આશ્રય લેવો વધુ સુરક્ષિત છે.
5. નજીકના આશ્રયસ્થાનો અથવા બહાર નીકળવાની યોજનાઓ જાણતા ન હોવા:
* ઘણા લોકો તૈયારી વિના અથવા સલામત સ્થાનોથી અજાણ હોય છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...