Thursday, March 5, 2026

નારણપુરામાં આ તારીખે પલ્લવ બ્રિજનું લોકાર્પણ, 117 કરોડનો બ્રિજ તૈયાર થતા 1.5 લાખ લોકોને ફાયદો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓને ઓછી કરવા અને સમગ્ર વિસ્તારોના વિકાસ માટે એક મોટું પગલું ભરાયું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 18 મે, 2025ના રોજ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે અને તે સમયે અનેક મહત્વના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સૌથી મોટું આકર્ષણ રહેશે રૂ.117 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો 925 મીટર લાંબો પલ્લવ ઓવરબ્રિજ તૈયાર થઈ જવાને પરિણામે અંદાજે દોઢ લાખથી વધુ નાગરિકો, વાહનચાલકોને લાભ થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના હાર્દ સમા 132 ફૂટના રિંગ રોડ પર આવેલો પલ્લવ બ્રિજનું લોકાર્પણ 18 મે, 2025ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ હસ્તે કરવામાં આવશે, એવું અહેવાલો જણાવી રહ્યા છે. આ બ્રિજ નારણપુરા, વાડજ, અખબારનગર અને AEC રોડને સીધા જોડે છે. બ્રિજની પહોળાઈ 8.40 મીટર છે અને વાહનચાલકો માટે બંને તરફ કુલ 99 લાઈટ પોલ લગાવવામાં આવ્યા છે. ટ્રાફિક ઘસારો ઘટાડવા અને અવરજવર સરળ બનાવવા માટે તૈયાર કરાયેલો આ બ્રિજ હવે દૈનિક દોઢ લાખથી વધુ નાગરિકો માટે મોટી રાહત લાવશે.

આ લોકાર્પણ પ્રસંગે માત્ર પલ્લવ બ્રિજ નહિ, પરંતુ ચીમનભાઈ ઓવરબ્રિજમાં નવું પાક પણ બનાવવામાં આવશે. જેના ખાતમુહૂર્તનો પણ કાર્યક્રમ છે. સાથે સાથે હાઉસિંગ પ્રોજેક્ટ્સનો ડ્રો યોજાશે અને કેટલાય લાભાર્થીઓને મકાનો ફાળવવામાં આવશે.આ વિકાસકામો સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં પરિવહન સુવિધાઓની વ્યવસ્થા સુધરશે, અને નાગરિકો માટે જીવન વધારે સુલભ બનશે. સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા શહેરના માળખાકીય વિકાસ માટે આ પ્રકારના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...