અમદાવાદ : આવતીકાલે અડધા અમદાવાદમાં પાણીકાપ રહેશે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતીકાલે મંગળવારે સવારે પાણી કાપ રહેશે. શહેરના પશ્ચિમના ચાંદખેડા, મોટેરા, રાણીપ, સાબરમતી, નવાવાડજ, વાડજ, કેશવનગર, સુભાષબ્રિજ, પાલડી, વાસણા, ઘાટલોડીયા, ચાંદલોડિયા, થલતેજ, બોપલ, ઘુમા, નારણપુરા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, સરખેજ, આંબાવાડી સહિતના તમામ વિસ્તારોમાં પાણીકાપની જાહેરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. આ તમામ વિસ્તારોમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોડક્શન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ પશ્ચિમ વિસ્તારમાં પાણી પૂરું પાડતા મ્યુનિસિપલ કોર્પોરેશનના જાસપુરના 400 એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટને સફાઈ કરવા અને પ્લાન્ટને વીજ પુરવઠો પૂરી પાડતી જેટકો કંપની દ્વારા 66 કેવી સબ સ્ટેશનમાં પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત ઇન્ટેનન્સ માટે આજે સોમવારે સવારથી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જેથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાંજ સુધી બંધ રાખવામાં આવ્યા છે જેના કારણે થઈને આવતીકાલે 10 જૂનના રોજ મંગળવારે પશ્ચિમ વિસ્તારમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે. 11 જૂન ના રોજ તમામ વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી આપવામાં આવશે.
10 જૂને આ વિસ્તારોને પાણી નહીં મળે
ચાંદખેડા, મોટેરા, રાણીપ, સાબરમતી, નવાવાડજ, વાડજ, કેશવનગર, સુભાષબ્રિજ, પાલડી
વાસણા, ઘાટલોડીયા, ચાંદલોડિયા, થલતેજ, બોપલ, ઘુમા, નારણપુરા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, સરખેજ, આંબાવાડી