અમદાવાદ : આજે ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પરંતું પરિણામ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પક્ષને રાજીનામું આપ્યાનો મોટો ધડાકો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, મેં થોડા દિવસ પહેલા AICC ને મારું રાજીનામુ આપી દીધું છે. આજે મારો આ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે. નવા પ્રમુખનું નામ જાહેર ન થાય ત્યાં સુધી શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સ્વાદ ચાંખવાનો વારો આવ્યો છે. કડી-વિસાવદર પેટાચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પક્ષને રાજીનામું આપ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું હતું કે, હાઈકમાન્ડને મારું રાજીનામું મોકલ્યું છે. પેટાચૂંટણીના પરિણામો નિરાશાજનક છે.જિલ્લા પ્રમુખ માટે નામ વિચારણા માટે મને બોલાવવામાં આવ્યો હતો, મે હાઇકમાન્ડ નિણર્ય આખરી ગણ્યો હતો.
શક્તિસિંહ ગોહિલે વધુમાં કહ્યું હતું કે, સંગઠન બદલવા માટે શરૂઆત ગુજરાતમાં કરવામાં આવી છે.7 દિવસ કામગીરી અને સમીક્ષા કરી નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે.આ નવા પ્રમુખની નિમણૂકથી નવી ખુશી ઉભી થઈ છે. કોંગ્રેસ પાર્ટી સર્જન સંગઠન અભિયાન શરૂઆત કરવામાં આવી છે. દર 3 મહિના પ્રમુખ કામગીરી સમીક્ષા કરવામાં આવશે.જે જૂના પ્રમુખ પણ આ નવા પ્રમુખને આવકાર્યા છે.જિલ્લા પ્રમુખ માટે નામ વિચારણા માટે મને બોલાવવામાં આવ્યો હતો. મે હાઇકમાન્ડ નિણર્ય આખરી ગણ્યો હતો. પક્ષની અનુકૂળતા મુજબ ચાલવું જોઈએ. દર 3 મહિને રીવ્યુ કરવામાં આવશે. દિલ્હી તેમજ અમદાવાદથી રીવ્યુ કરવામાં આવશે.