Thursday, March 5, 2026

અમદાવાદીઓ આનંદો ! હવે ટેક્સની કોઈપણ અરજી કે ફરિયાદ ઓનલાઇન કરી શકાશે

spot_img
Share

અમદાવાદ : AMC નો ટેક્સ વિભાગ ડિજિટલ ઇન્ડિયાનો સહભાગી થવા જઈ રહ્યો છે.આગામી દિવસોમાં એએમસીને ટેક્સને લગતી ફરિયાદો ઓન લાઇન કરવામાં આવશે. ફરિયાદીએ અરજી સાથે જરૂરી પુરાવા પણ ઓનલાઇન એટેચ કરવાના રહેશે. નાગરિકની ફરિયાદ બાદ જેતે અઘિકારી તેનું ઓનલાઇન ચેકીંગ કરી નિકાલ કરશે.

ફરિયાદી ફરિયાદનું સ્ટેટ્સ પણ જાણી શકશે, ઓનલાઇન સાથે ઓફ લાઈનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. ટેક્ષની આકારણી પણ આધુનિક પદ્ધતિથી કરવામાં આવશે. હાલની પદ્ધતિમાં ટેક્સની નવી આકારણી કરવા માટે ઝોનના ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ પર ક્ષેત્રફળનું રૂબરૂ મેજર- ટેપથી માપણી કરવામાં આવે છે. તેમજ ચોપડામાં નોંધ કરવામાં આવે છે અને ત્યાર પછી ઓફિસમાં જઈ તેની ડેટા એન્ટ્રી કરવામાં આવે છે.

આ પ્રશ્નોના નિવારણ માટે હવે પછી મોબાઈલ એપ્લિકેશન બેઝ કરવાની યોજના છે. જે યોજના હેઠળ હવે પછી ટેક્ષ તથા વેલ્યુએશન ખાતાના તમામ ઇન્સ્પેકટરો તેમના મોબાઈલ પર મોબાઈલ એપ ડાઉનલોડ કરશે, તેમજ મિલ્કતનું ક્ષેત્રફળ પણ GIS આધારિત સિસ્ટમ સાથે જોડીને મોબાઈલ એપ મારફતે સિસ્ટમમાં બારોબાર ક્ષેત્રફળ તથા અન્ય પરિબળ અપલોડ થશે અને અલગથી મેન્યુઅલ ડેટા એન્ટ્રીની કોઈ જરૂરીયાત રહેશે નહીં.

મોબાઇલ એપમાં સ્થળના ફોટોગ્રાફ પણ અપલોડ થશે અને દસ્તાવેજી પુરાવા પણ ઓનલાઈન અપલોડ થઈ શકશે. આમ, ટેકસ ખાતાની કામગીરી ફેસલેસ અને પેપરલેસ થઇ શકશે અને આ અંગે કરદાતાઓ સાથે થતા પ્રશ્નો નો પણ નિકાલ થઇ શકશે. આ પ્રમાણે નવા સિસ્ટમનું અમલીકરણ હવે પછી કરવા નક્કી કરવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...