Thursday, March 5, 2026

નારણપુરામાં રહીશોના કલ્યાણાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરામાં કર્ણાવતી એપાર્ટમેન્ટ ખાતે કોમન પ્લોટમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. નારણપુરામાં સામાજીક આગેવાન અને મુખ્ય યજમાન એવા સંદિપ ત્રિવેદીએ જણાવ્યું છે કે વિસ્તારના સૌ રહીશો તથા સૌ ભકત મંડળના તથા દાતાઓ, યજમાનો અને ભાવિક ભકતોના સાથ સહકાર, સહયોગ દ્વારા કર્ણાવતી એપાર્ટમેન્ટના કોમન પ્લોટમાં તા.17-07-22 રવિવાર થી તા. 23-07-22 શનિવાર સુધી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

વ્યાસપીઠ પર કથાકાર અને વૃંદાવનવાસી ધર્મપથિક પૂ. કથાકાર શ્રી શૈલેન્દ્ર કૃષ્ણજી બિરાજમાન થઈ સંગીતમય શૈલીમાં અનોખું, અલૌકિક, અલભ્ય કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. ભાગવત કથા દરમ્યાન આગામી દિવસોમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ, શ્રી વામન અવતાર, શ્રી ગોવર્ધન પૂજા, શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગો ઉજવવામાં આવશે. સ્થાનિક આગેવાન ગોવર્ધનભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે પ્રથમ દિવસે રહીશોના કલ્યાણાર્થે આજે શરૂ થયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં દરમિયાન 5 હજાર જેટલા સત્સંગી ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી કથા શ્રવણ કરી હતી.

શ્રીમદ્ ભાગવત કથાની શોભાયાત્રા સામાજીક આગેવાન અને યજમાન સંદિપ ત્રિવેદીના નિવાસસ્થાનેથી શરૂ થઈ હતી. વૈશાલીબેન સંદિપ ત્રિવેદી દ્વારા પોથી લઈ શોભાયાત્રામાં શોભાયમાન થયા હતા. પોથી યાત્રામાં રામેશ્વર એપાર્ટમેન્ટથી કર્ણાવતી એપાર્ટમેન્ટ સુધી અનેક ભાવિક ભકતોની ઉપસ્થિત રહી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...