Thursday, September 18, 2025

નારણપુરામાં રહીશોના કલ્યાણાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

Share

Share

અમદાવાદ : શહેરના નારણપુરામાં કર્ણાવતી એપાર્ટમેન્ટ ખાતે કોમન પ્લોટમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. નારણપુરામાં સામાજીક આગેવાન અને મુખ્ય યજમાન એવા સંદિપ ત્રિવેદીએ જણાવ્યું છે કે વિસ્તારના સૌ રહીશો તથા સૌ ભકત મંડળના તથા દાતાઓ, યજમાનો અને ભાવિક ભકતોના સાથ સહકાર, સહયોગ દ્વારા કર્ણાવતી એપાર્ટમેન્ટના કોમન પ્લોટમાં તા.17-07-22 રવિવાર થી તા. 23-07-22 શનિવાર સુધી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

વ્યાસપીઠ પર કથાકાર અને વૃંદાવનવાસી ધર્મપથિક પૂ. કથાકાર શ્રી શૈલેન્દ્ર કૃષ્ણજી બિરાજમાન થઈ સંગીતમય શૈલીમાં અનોખું, અલૌકિક, અલભ્ય કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. ભાગવત કથા દરમ્યાન આગામી દિવસોમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ, શ્રી વામન અવતાર, શ્રી ગોવર્ધન પૂજા, શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગો ઉજવવામાં આવશે. સ્થાનિક આગેવાન ગોવર્ધનભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે પ્રથમ દિવસે રહીશોના કલ્યાણાર્થે આજે શરૂ થયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં દરમિયાન 5 હજાર જેટલા સત્સંગી ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી કથા શ્રવણ કરી હતી.

શ્રીમદ્ ભાગવત કથાની શોભાયાત્રા સામાજીક આગેવાન અને યજમાન સંદિપ ત્રિવેદીના નિવાસસ્થાનેથી શરૂ થઈ હતી. વૈશાલીબેન સંદિપ ત્રિવેદી દ્વારા પોથી લઈ શોભાયાત્રામાં શોભાયમાન થયા હતા. પોથી યાત્રામાં રામેશ્વર એપાર્ટમેન્ટથી કર્ણાવતી એપાર્ટમેન્ટ સુધી અનેક ભાવિક ભકતોની ઉપસ્થિત રહી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...