Wednesday, January 14, 2026

ઘાટલોડીયામાં ગાયત્રી એપાર્ટમેન્ટમાં ટેરેસનો સ્લેબ તૂટ્યો, એક મહિલા ઈજાગ્રસ્ત, GHBએ શરૂ કર્યો સર્વે

spot_img
Share

અમદાવાદ: શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ગાયત્રી એપાર્ટમેન્ટના બ્લોક નંબર 16નો ધાબાનો સ્લેબ તૂટી પડતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાવ્યો છે અને હાઉસિંગ બોર્ડની જર્જરિત ઇમારતોની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે. ઘટના બાદ AMC એ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી, અને રહેવાસીઓને નોટિસ પાઠવી સલામતી માટે મકાનો ખાલી કરવા સૂચના આપી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઘાટલોડીયામાં પોલીસ સ્ટેશન સામે આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટના બ્લોક નંબર 16નો ધાબાનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેની સારવાર ચાલુ છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો.

ફાયર બ્રિગેડ અને પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે બ્લોકમાં મોટી તિરાડો પડી હતી. આ જ કારણએ આખો બ્લોક તૂટી પડવાનું જોખમ રહેલું છે. સાવચેતીના ભાગરૂપે, રહેવાસીઓને તાત્કાલિક મકાનો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) ના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે સૂત્રો મુજબ તૂટેલ બ્લોક સિવાયના મકાનોના બાંધકામની સ્થિતિની તપાસ શરૂ કરી છે.

ફાયર બ્રિગેડ અને પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે બ્લોકમાં મોટી તિરાડો જોવા મળી, જેના કારણે આખો બ્લોક તૂટી પડવાનું જોખમ રહેલું છે. સાવચેતીના ભાગરૂપે, રહેવાસીઓને તાત્કાલિક મકાનો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો. ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને બાંધકામની સ્થિતિની તપાસ શરૂ કરી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...