અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે મોટો નિર્ણય લીધો છે. પોલીસ કમિશનર દ્વારા શહેરના 31 પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઇ)ની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ આંતરિક બદલીમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પીઆઇની નિમણૂક કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 31 પોલીસ ઇન્સ્પેકટરની પોલીસ કમિશનર દ્વારા બદલી કરવામાં આવી છે. જેમાં લોકલ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW એસસીએસટી સેલ, ટ્રાફિક,કંટ્રોલરૂમ,સાઈબર ક્રાઇમ સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે.