અમદાવાદ : આપણા સમાજ સામે સૌથી મોટી સમસ્યા હોઈ તો તે છે આપઘાતના વધી રહેલા બનાવોની. આપઘાતના વધતા જતા પ્રમાણે સમાજની સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા સરદાર પટેલ આવાસ યોજનાના 14મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. યુવતીના આપઘાતનું કારણ અકબંધ છે. ઘટના અંગેની જાણ થતા ઘાટલોડિયા પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવતી અન્ય સ્થળેથી આવીને આપઘાત કર્યાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના શાસ્ત્રીનગરમાં સ્થિત સરદાર પટેલ આવાસના ટેરેસ પરથી અજાણી યુવતીએ આવીને અચાનક નીચે પડતું મૂકી દેતા તેનું કમકમાટીભર્યું મોત નિપયું હતું. જેને લઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ કરી હતી. યુવતી અંગે સૌને પૂછપરછ કરી હતી. યુવતીનું મોત કે આપઘાત તે અંગે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જો કે. યુવતીના પર્સમાંથી મોબાઈલ અને આધાર કાર્ડ કે અન્ય વસ્તુઓને લઈ પોલીસે તપાસ કરી છે.
પોલીસે યુવતીની ઓળખ કરીને તેના પરિવારને જાણ કરી હતી. પોલીસ તપાસમાં યુવતી સરદાર પટેલ આવાસ યોજનાની રહેવાસી ન હોવાનું સામે આવ્યું હતું. યુવતીના મૃતદેહને પીએમ માટે મોકલીને પોલીસે સુસાઇડ નોટ છે કે નહીં? તેની તપાસ કરી છે. યુવતીના મોત અંગેનું કોઈ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘાટલોડીયા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જો કે, આ માટે પોલીસ તંત્ર, અન્ય વિભાગ પણ ચિંતિત છે. આપઘાત પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. પરંતુ સતત વધારો થવો એ ખરાબ પરિબળ ગણાય છે.


