Friday, March 20, 2026

AMCની મહત્વપૂર્ણ જાહેરાત, આજથી CRS પોર્ટલ પર જન્મ-મરણ નોંધણીનો પ્રારંભ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી જન્મ-મરણ નોંધણી અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. 1 સપ્ટેમ્બર, 2025થી એટલે કે આજથી આ નોંધણી પ્રક્રિયામાં મોટો ફેરફાર થયો છે. રાજ્ય સરકારના ઈ-ઓળખ પોર્ટલ પર થતી કામગીરી હવે ભારત સરકારના CRS પોર્ટલ પર શરૂ થઈ ગઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દેશમાં જન્મ મરણ નોંધણી હવે CRS પોર્ટલ પર થશે તેવી કેન્દ્ર સરકારની જાહેરાત બાદ આજથી AMC પણ જન્મ મરણ નોંધણીની કામગીરી CRS પોર્ટલ પર કરી રહી છે. વર્ષ 2019 અને તે અગાઉ નોંધાયેલા જન્મ મરણ પ્રમાણપત્ર સુધારાની કામગીરી ઇ ઓળખ પોર્ટલ પર જ રાબેતા મુજબ થશે. 24 થી વધુ રાજ્યોમાં આ પોર્ટલ પર કામગીરી થઇ રહી છે. આ નોંધણીની પ્રક્રિયા આ પોર્ટલ પર સરળ થઇ શકશે, જેથી સરકારી કચેરીના થતા ધક્કાથી નાગરિકોને રાહત મળશે

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હવે જન્મ અને મરણની નોંધણી ભારત સરકારના CRS પોર્ટલ પર શરૂ થઈ ગઈ છે. અગાઉ આ કામગીરી રાજ્ય સરકારના ઈ-ઓળખ પોર્ટલ પર થતી હતી. AMCએ જણાવ્યું છે કે 1 જાન્યુઆરી, 2020 થી 31 ઓગસ્ટ, 2025 સુધીના સમયગાળા દરમિયાન જે જન્મ-મરણની નોંધણી ઈ-ઓળખ પોર્ટલ પર થઈ છે, તેની વિગતોને CRS પોર્ટલ પર ટ્રાન્સફર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી ટૂંક સમયમાં પૂરી થઈ જશે.

આ માઈગ્રેશન પ્રોસેસને કારણે, હાલમાં આ સમયગાળાના જન્મ-મરણના પ્રમાણપત્રોમાં કોઈ પણ સુધારા-વધારાની કાર્યવાહી થઈ શકશે નહીં. નાગરિકોને આ બાબતની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. જોકે, જે પ્રમાણપત્રો વર્ષ 2019 અથવા તે પહેલાં નોંધાયેલા છે, તેમાં સુધારાની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. આ જાણકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...