Friday, March 13, 2026

બી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને બેફામ ઈમેમા ઈસ્યુ કરવાની ઉઠી ફરિયાદો…!!

spot_img
Share

અમદાવાદ : ટ્રાફિક પોલીસને પણ ન ગાંઠતા અમદાવાદીઓ જ્યારથી ઈ-મેમો સિસ્ટમ શરુ થઈ છે ત્યારથી ટ્રાફિક મેનર શીખી ગયા છે. જાેકે, ટ્રાફિક પોલીસ જે રીતે રોજના હજારો ઈ-મેમો ઈશ્યૂ કરી રહી છે, તેમાં ક્યારેક કરે કોઈક અને ભોગવે કોઈક જેવો ઘાટ પણ સર્જાય છે. એવામાં શહેર બી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી રીતે ઈ-મેમા ઈસ્યુ કરવાની ફરિયાદો ઉઠી છે.

એક વાહનચાલકના જણાવ્યા મુજબ, જયાં જયાં સીસીટીવી નથી, એવા સ્થળોએ ટ્રાફિક પોલીસ દ્વારા બેફામ રીતે ઈ-મેમા ઈસ્યુ કરતા હોવાની ફરિયાદ કરી છે, જેમ કે સિગન્લ બંધ હોય તો વાહન ઉભુ હોય ત્યારે ચુપચાપ દુરથી ફોટો પાડીને ગુમ થઈ જાય છે અથવા તો દુરથી ફોટો પાડી દેવામાં આવે છે અને પછી થોડી વારમાં મોબાઈલ પર ઈ-મેમોનો મેસેજ આવી જાય છે, તેઓ જણાવે છે કે મને કોઈ ટ્રાફિક પોલીસે ઉભો રાખ્યો નથી, મારી પાસે કોઈ લાઈસન્સ સહિતના કોઈ ડોક્યુમેન્ટની જાેવા માટે માગણી કરી નથી, તો મારા મોબાઈલ પર હેલ્મેટ નથી પહેર્યુ એવો ઈ-મેમોનો મેસેજ આવી ગયો.તેઓ વધુમાં જણાવે છે કે મારી આસપાસ અનેક લોકો હેલ્મેટ વગરના હતા, છતાં મને ઈ-મેમો કેમ…? આ રીતે ઈ-મેમો આપવો કેટલો યોગ્ય..?

બીજા એક વાહનચાલકના જણાવ્યા મુજબ,૧૩૨ ફુટ રીગ રોડની સમાંતર એવા વ્યાસવાડી ચાર રસ્તાથી કૃષ્ણનગર તરફ જવાના રોડ વનવે જાહેર કરાયો મારી જાણમાં નથી, તેમ છતાં અનેક વાર ટ્રાફિક પોલીસ ચાર રસ્તા પાસે ટોળેટોળા વળીને કૃષ્ણનગરથી વ્યાસવાડી તરફ આવવાના રોડ પર ઉભા થઈને અટકાવે છે, તો કેટલાંકને દુર થી ફોટો પાડીને ઈ-મેમો ઈસ્યુ કરવામાં આવે છે, તેઓના જણાવ્યા મુજબ, ઘરે પહોંચ્યા પછી ખબર પડે છે, ટ્રાફિક પોલીસ અટકાવ્યો નહી, પરંતુ ફોટો પાડીને ઈ-મેમો જનરેટ કરી દીધો છે.

તો બીજી તરફ ૧૩૨ ફુટ રીંગ રોડ એક તરફ કોમર્શિયલ દુકાનો આવેલ છે, વેપારીઓના જણાવ્યા મુજબ, એક લાઈન પાર્ક કરવાની છુટ હોય છે છતાં ઘણી વખત ટ્રાફિક પોલીસ બાઈક પર આવીને ચુપચાપ આવીને ફોટો પાડીને જતા રહે છે, બે પાંચ મિનીટમાં રોડ પર પાર્ક કરેલ અનેક વાહનોના ફોટા પાડીને જતા રહે છે, ટ્રાફિક પોલીસની આવી રીતની કામગીરી યોગ્ય છે ? શું ટાર્ગેટ પુરા કરવા માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે..?
તો બીજી તરફ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા અખબારનગર બીટમાં અનેક કટિંગ (ભ્રષ્ટાચાર) વાળી જગ્યાઓ ઉપર જેવી કે.. અનેક ટુ વ્હીલરનાં શોરૂમો… મોટા મોલ આગળ..અનેક ચાની કીટલીઓ આગળ..અનેક ખાણી પીણીની દુકાનો આગળ કે અનેક પાન પાર્લર.. આગળ છેક રોડ ઉપર સુધી જે વાહનો આખો દિવસ સતત પાર્ક કરવામાં આવે છે ત્યાં ટ્રાફિક પોલીસને નિયમો દેખાતા નથી, શું અહીં નિયમ ભંગ નથી રહ્યો…? શું અહીં ઈ-મેમો જનરેટ થતો નથી..?

બીજી ખાસ મહત્વની બાબત એ કે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા અનેક વખત ઓર્ડર આદેશો અને જાહેરનામા બહાર પાડવા છતાં અખબારનગર સર્કલ ઉપર ટ્રાફિક બુથ આગળ ટોળામાં ઉભા રહીને ઇન્ચાર્જની હાજરીમાં ટીઆરબી જવાનો દ્વારા મરજી મુજબ વાહનો રોકીને વાહન ચાલકોને બુથમાં લઈ જઈને શું કામગીરી કરતા હશે એનો જવાબ શું છે..? અને અખબારનગર સર્કલ ઉપર એક એક રસ્તા ગણીએ તો ટોટલ ૧૦ રસ્તા પડે છે ત્યાં ટ્રાફિકની સમસ્યા વધારે હોવાથી ટ્રાફિક નિયમનનું યોગ્ય ધ્યાન આપવામાં પણ આવતું નહી હોવાની ચર્ચા પણ લોકમુખે થઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...