Saturday, September 13, 2025

હર ઘર તિંરગા અભિયાન : મ્યુ કોર્પોરેટર તિરંગા ખરીદવા માટે બજેટની ફાળવણી કરી શકશે

Share

Share

અમદાવાદ : “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી અન્વ્યે રાષ્ટ્રવ્યાપી અભિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત દરેક ઘર સુધી તિરંગો પહોંચે તેના માટે ખુદ પ્રજાને તેમના જ પૈસાથી જ તિરંગા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપશે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં દરેક કોર્પોરેટરને જે બજેટ વર્ષ દરમિયાન ફાળવવામાં આવે છે. તેમાં રૂ.50 હજારથી લઈને એક લાખ સુધીની મર્યાદામાં કોર્પોરેશન પાસેથી તિરંગા લેવાના રહેશે. માત્ર ભાજપના જ નહીં પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરોએ પણ તિરંગા માટે પોતાનું બજેટ ફાળવ્યું છે. તેથી કોંગ્રેસના કોર્પોરેટરો પણ ઘર ઘર તિરંગા પહોંચે તેના માટે લોકોને તિરંગા આપશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કોર્પોરેટરો કૂલ 3.20 લાખ જેટલા તિરંગાની વહેચણી કરશે.

AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઇ બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુ કોર્પોરેશનના ભાજપ, કોંગ્રેસ, AIMIM સહિત તમામ કોર્પોરેટરો પોતાના મ્યુ કોર્પોરેટર બજેટમાથી તિરંગા ખરીદી કરી શકશે. સ્થાનિક કોર્પોરેટરો પોતાના બજેટમાંથી મળેલા તિરંગા પ્રજાજનો આપી શકશે. કોર્પોરેટરો તેમના વર્ષ 2022-23ના બજેટમાંથી લઘુત્તમ રૂપિયા 50 હજાર અને મહત્તમ 1 લાખની મર્યાદામાં તિરંગા ખરીદી શકશે. સત્તા પક્ષ અને વિપક્ષના તમામ કોર્પોરેટરો પોતાના બજેટમાંથી તિરંગાની ખરીદી માટે ફાળવણી કરી શકશે. અત્યાર સુધી 7 લાખ તિંરગાનું વેચાણ AMC દ્વારા કરવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...