Monday, November 10, 2025

હર ઘર તિંરગા અભિયાન : મ્યુ કોર્પોરેટર તિરંગા ખરીદવા માટે બજેટની ફાળવણી કરી શકશે

spot_img
Share

અમદાવાદ : “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી અન્વ્યે રાષ્ટ્રવ્યાપી અભિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત દરેક ઘર સુધી તિરંગો પહોંચે તેના માટે ખુદ પ્રજાને તેમના જ પૈસાથી જ તિરંગા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપશે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં દરેક કોર્પોરેટરને જે બજેટ વર્ષ દરમિયાન ફાળવવામાં આવે છે. તેમાં રૂ.50 હજારથી લઈને એક લાખ સુધીની મર્યાદામાં કોર્પોરેશન પાસેથી તિરંગા લેવાના રહેશે. માત્ર ભાજપના જ નહીં પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરોએ પણ તિરંગા માટે પોતાનું બજેટ ફાળવ્યું છે. તેથી કોંગ્રેસના કોર્પોરેટરો પણ ઘર ઘર તિરંગા પહોંચે તેના માટે લોકોને તિરંગા આપશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કોર્પોરેટરો કૂલ 3.20 લાખ જેટલા તિરંગાની વહેચણી કરશે.

AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઇ બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુ કોર્પોરેશનના ભાજપ, કોંગ્રેસ, AIMIM સહિત તમામ કોર્પોરેટરો પોતાના મ્યુ કોર્પોરેટર બજેટમાથી તિરંગા ખરીદી કરી શકશે. સ્થાનિક કોર્પોરેટરો પોતાના બજેટમાંથી મળેલા તિરંગા પ્રજાજનો આપી શકશે. કોર્પોરેટરો તેમના વર્ષ 2022-23ના બજેટમાંથી લઘુત્તમ રૂપિયા 50 હજાર અને મહત્તમ 1 લાખની મર્યાદામાં તિરંગા ખરીદી શકશે. સત્તા પક્ષ અને વિપક્ષના તમામ કોર્પોરેટરો પોતાના બજેટમાંથી તિરંગાની ખરીદી માટે ફાળવણી કરી શકશે. અત્યાર સુધી 7 લાખ તિંરગાનું વેચાણ AMC દ્વારા કરવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...