Tuesday, October 14, 2025

આસો નવરાત્રીને લઈને અંબાજી, પાવાગઢ અને ચોટીલા મંદિરના સમયમાં ફેરફાર: જાણો દર્શનનો નવો સમય

Share

અમદાવાદ : આવતીકાલ એટલે 22 મીથી આસો નવરાત્રી એટલે કે શારદિય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં શારદિય નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે અને આ સમય દરમિયાન શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટે છે. શારદિય નવરાત્રી પર દર્શનાર્થીઓની ભીડને ધ્યાને લઈને પાવાગઢ, અંબાજી અને ચોટીલા સહિતના મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, આસો સુદ-1 (એકમ) સોમવાર તા.22/09/2025ના રોજ માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આરતી સવારે 7:30 થી 8:00, દર્શન સવારે 8:00 થી 11:30, રાજભોગ 12 કલાકે, દર્શન બપોરે 12:30 થી 16:15, આરતી સાંજે 18:30 થી 19:00, દર્શન સાંજે 19:00 થી 21:00 વાગ્યા સુધીનો સમય રહેશે.

મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીના કાર્યક્રમની વિગતો પણ આપવામાં આવી છે, જે અનુસાર આસો સુદ એકમના દિવસે ઘટ સ્થાપનની વિધિ સવારે 9 વાગ્યે, આસો સુદ આઠમના દિવસે દુર્ગાષ્ટમી તા.30/09/2025 ના રોજ આરતી સવારે 6-00 કલાકે થશે. જ્યારે ઉત્થાપન આસો સુદ-8 મંગળવારને તા.30/09/2025 ના સવારે 12:00 કલાકે, વિજયાદશમી આસો સુદ-10 ગુરુવારને તા.02/10/2025 ના સાંજે 5:00 કલાકે, દૂધ પૌઆનો ભોગ (પૂનમ) તા.06/09/2025 સોમવારના રોજ રાત્રે 12:00 કલાકે કપુર આરતી, આ ઉપરાંત આસો સુદ પૂનમ મંગળવાર તા.07/10/2025 ના રોજ આરતી સવારે 6-00 કલાકે કરવામાં આવશે અને તા.08/10/2025ના રોજથી આરતી-દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

યાત્રાધામ પાવાગઢના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ, પાવાગઢ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર આસો સુદ એકમથી પૂનમ સુધી માતાજીના દર્શનના સમયમાં વધારો કરાયો છે. આસો સુદ એકમ (પહેલું નોરતું), પાંચમ, સાતમ, આઠમ, તેરસ, અને પૂનમના દિવસે મંદિરના દ્વાર વહેલી સવારે 5 વાગ્યે ખુલશે અને રાત્રે 8 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. જ્યારે છઠ્ઠા નોરતાના દિવસે દર્શનનો સમય વહેલો શરૂ થશે. આ દિવસે મંદિર સવારે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તે ઉપરાંત આ ખાસ દિવસો સિવાયના અન્ય દિવસો દરમિયાન મંદિરના દ્વાર સવારે 6 વાગ્યે ખુલશે અને રાત્રે 8 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે પણ નવરાત્રીને ધ્યાને લઈને મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ, ચોટીલા દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, ચોટીલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનાં મંદિરે તા.22/09/2025 ના રોજ પ્રથમ નોરતા અને તા.30/09/2025 ના આઠમા નોરતા ની સવારની આરતીનો સમય 04:00 વાગ્યાનો રહેશે. જ્યારે નવરાત્રીના બાકીના સાત દિવસ સવારની આરતીનો સમય 05:00 વાગ્યાનો રહેશે.

પગથીયાનો દ્વાર ખુલવાનો સમય સવારની આરતીના સમયથી 30 મિનિટ પહેલાનો રહેશે. નવરાત્રી દરમિયાન દરરોજ સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયનો રહેશે. તા.30/09/2025ના રોજ ડુંગર ઉપર હવન થશે અને બપોરે 02:30 વાગ્યે બીડું હોમાશે. નવરાત્રી દરમિયાન હવનાષ્ઠમી સિવાયના આઠ નોરતાના દિવસે મંદિર ભોજનાલયમાં ભોજન-પ્રસાદનો સમય બપોરે 11:00 થી 02:00 વાગ્યાનો રહેશે. જ્યારે હવનાષ્ઠમીના દિવસે ભોજન-પ્રસાદનો સમય બીડું હોમાયા પછી બપોરે 02:45 વાગ્યાનો રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...