Thursday, January 22, 2026

આસો નવરાત્રીને લઈને અંબાજી, પાવાગઢ અને ચોટીલા મંદિરના સમયમાં ફેરફાર: જાણો દર્શનનો નવો સમય

spot_img
Share

અમદાવાદ : આવતીકાલ એટલે 22 મીથી આસો નવરાત્રી એટલે કે શારદિય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં શારદિય નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે અને આ સમય દરમિયાન શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટે છે. શારદિય નવરાત્રી પર દર્શનાર્થીઓની ભીડને ધ્યાને લઈને પાવાગઢ, અંબાજી અને ચોટીલા સહિતના મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, આસો સુદ-1 (એકમ) સોમવાર તા.22/09/2025ના રોજ માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આરતી સવારે 7:30 થી 8:00, દર્શન સવારે 8:00 થી 11:30, રાજભોગ 12 કલાકે, દર્શન બપોરે 12:30 થી 16:15, આરતી સાંજે 18:30 થી 19:00, દર્શન સાંજે 19:00 થી 21:00 વાગ્યા સુધીનો સમય રહેશે.

મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીના કાર્યક્રમની વિગતો પણ આપવામાં આવી છે, જે અનુસાર આસો સુદ એકમના દિવસે ઘટ સ્થાપનની વિધિ સવારે 9 વાગ્યે, આસો સુદ આઠમના દિવસે દુર્ગાષ્ટમી તા.30/09/2025 ના રોજ આરતી સવારે 6-00 કલાકે થશે. જ્યારે ઉત્થાપન આસો સુદ-8 મંગળવારને તા.30/09/2025 ના સવારે 12:00 કલાકે, વિજયાદશમી આસો સુદ-10 ગુરુવારને તા.02/10/2025 ના સાંજે 5:00 કલાકે, દૂધ પૌઆનો ભોગ (પૂનમ) તા.06/09/2025 સોમવારના રોજ રાત્રે 12:00 કલાકે કપુર આરતી, આ ઉપરાંત આસો સુદ પૂનમ મંગળવાર તા.07/10/2025 ના રોજ આરતી સવારે 6-00 કલાકે કરવામાં આવશે અને તા.08/10/2025ના રોજથી આરતી-દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

યાત્રાધામ પાવાગઢના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ, પાવાગઢ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર આસો સુદ એકમથી પૂનમ સુધી માતાજીના દર્શનના સમયમાં વધારો કરાયો છે. આસો સુદ એકમ (પહેલું નોરતું), પાંચમ, સાતમ, આઠમ, તેરસ, અને પૂનમના દિવસે મંદિરના દ્વાર વહેલી સવારે 5 વાગ્યે ખુલશે અને રાત્રે 8 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. જ્યારે છઠ્ઠા નોરતાના દિવસે દર્શનનો સમય વહેલો શરૂ થશે. આ દિવસે મંદિર સવારે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તે ઉપરાંત આ ખાસ દિવસો સિવાયના અન્ય દિવસો દરમિયાન મંદિરના દ્વાર સવારે 6 વાગ્યે ખુલશે અને રાત્રે 8 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે પણ નવરાત્રીને ધ્યાને લઈને મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ, ચોટીલા દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, ચોટીલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનાં મંદિરે તા.22/09/2025 ના રોજ પ્રથમ નોરતા અને તા.30/09/2025 ના આઠમા નોરતા ની સવારની આરતીનો સમય 04:00 વાગ્યાનો રહેશે. જ્યારે નવરાત્રીના બાકીના સાત દિવસ સવારની આરતીનો સમય 05:00 વાગ્યાનો રહેશે.

પગથીયાનો દ્વાર ખુલવાનો સમય સવારની આરતીના સમયથી 30 મિનિટ પહેલાનો રહેશે. નવરાત્રી દરમિયાન દરરોજ સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયનો રહેશે. તા.30/09/2025ના રોજ ડુંગર ઉપર હવન થશે અને બપોરે 02:30 વાગ્યે બીડું હોમાશે. નવરાત્રી દરમિયાન હવનાષ્ઠમી સિવાયના આઠ નોરતાના દિવસે મંદિર ભોજનાલયમાં ભોજન-પ્રસાદનો સમય બપોરે 11:00 થી 02:00 વાગ્યાનો રહેશે. જ્યારે હવનાષ્ઠમીના દિવસે ભોજન-પ્રસાદનો સમય બીડું હોમાયા પછી બપોરે 02:45 વાગ્યાનો રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...