Wednesday, March 11, 2026

આસો નવરાત્રીને લઈને અંબાજી, પાવાગઢ અને ચોટીલા મંદિરના સમયમાં ફેરફાર: જાણો દર્શનનો નવો સમય

spot_img
Share

અમદાવાદ : આવતીકાલ એટલે 22 મીથી આસો નવરાત્રી એટલે કે શારદિય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં શારદિય નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે અને આ સમય દરમિયાન શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટે છે. શારદિય નવરાત્રી પર દર્શનાર્થીઓની ભીડને ધ્યાને લઈને પાવાગઢ, અંબાજી અને ચોટીલા સહિતના મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, આસો સુદ-1 (એકમ) સોમવાર તા.22/09/2025ના રોજ માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આરતી સવારે 7:30 થી 8:00, દર્શન સવારે 8:00 થી 11:30, રાજભોગ 12 કલાકે, દર્શન બપોરે 12:30 થી 16:15, આરતી સાંજે 18:30 થી 19:00, દર્શન સાંજે 19:00 થી 21:00 વાગ્યા સુધીનો સમય રહેશે.

મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીના કાર્યક્રમની વિગતો પણ આપવામાં આવી છે, જે અનુસાર આસો સુદ એકમના દિવસે ઘટ સ્થાપનની વિધિ સવારે 9 વાગ્યે, આસો સુદ આઠમના દિવસે દુર્ગાષ્ટમી તા.30/09/2025 ના રોજ આરતી સવારે 6-00 કલાકે થશે. જ્યારે ઉત્થાપન આસો સુદ-8 મંગળવારને તા.30/09/2025 ના સવારે 12:00 કલાકે, વિજયાદશમી આસો સુદ-10 ગુરુવારને તા.02/10/2025 ના સાંજે 5:00 કલાકે, દૂધ પૌઆનો ભોગ (પૂનમ) તા.06/09/2025 સોમવારના રોજ રાત્રે 12:00 કલાકે કપુર આરતી, આ ઉપરાંત આસો સુદ પૂનમ મંગળવાર તા.07/10/2025 ના રોજ આરતી સવારે 6-00 કલાકે કરવામાં આવશે અને તા.08/10/2025ના રોજથી આરતી-દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

યાત્રાધામ પાવાગઢના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ, પાવાગઢ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર આસો સુદ એકમથી પૂનમ સુધી માતાજીના દર્શનના સમયમાં વધારો કરાયો છે. આસો સુદ એકમ (પહેલું નોરતું), પાંચમ, સાતમ, આઠમ, તેરસ, અને પૂનમના દિવસે મંદિરના દ્વાર વહેલી સવારે 5 વાગ્યે ખુલશે અને રાત્રે 8 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. જ્યારે છઠ્ઠા નોરતાના દિવસે દર્શનનો સમય વહેલો શરૂ થશે. આ દિવસે મંદિર સવારે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તે ઉપરાંત આ ખાસ દિવસો સિવાયના અન્ય દિવસો દરમિયાન મંદિરના દ્વાર સવારે 6 વાગ્યે ખુલશે અને રાત્રે 8 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે પણ નવરાત્રીને ધ્યાને લઈને મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ, ચોટીલા દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, ચોટીલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનાં મંદિરે તા.22/09/2025 ના રોજ પ્રથમ નોરતા અને તા.30/09/2025 ના આઠમા નોરતા ની સવારની આરતીનો સમય 04:00 વાગ્યાનો રહેશે. જ્યારે નવરાત્રીના બાકીના સાત દિવસ સવારની આરતીનો સમય 05:00 વાગ્યાનો રહેશે.

પગથીયાનો દ્વાર ખુલવાનો સમય સવારની આરતીના સમયથી 30 મિનિટ પહેલાનો રહેશે. નવરાત્રી દરમિયાન દરરોજ સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયનો રહેશે. તા.30/09/2025ના રોજ ડુંગર ઉપર હવન થશે અને બપોરે 02:30 વાગ્યે બીડું હોમાશે. નવરાત્રી દરમિયાન હવનાષ્ઠમી સિવાયના આઠ નોરતાના દિવસે મંદિર ભોજનાલયમાં ભોજન-પ્રસાદનો સમય બપોરે 11:00 થી 02:00 વાગ્યાનો રહેશે. જ્યારે હવનાષ્ઠમીના દિવસે ભોજન-પ્રસાદનો સમય બીડું હોમાયા પછી બપોરે 02:45 વાગ્યાનો રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...