Saturday, November 8, 2025

SG હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બંધ આઇસર પાછળ કાર ઘૂસી જતાં 1નું મોત, 2 ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના SG હાઇવે પર આજે (આઠમી નવેમ્બર) વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. થલતેજ અન્ડરપાસ નજીક હાઇવે પર ઊભેલા એક ટ્રક સાથે પાછળથી આવતી કાર ધડાકાભેર અથડાતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. એસજી 1 ટ્રાફિક પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 8 નવેમ્બરે સવારે 5 વાગ્યે એસ. જી. હાઈવે પરના ગુરુદ્વારા પાસેના અંડરબ્રિજમાં એક આઈસર ટ્રક પસાર થતા સમયે બંધ પડી ગઈ હતી. આ દરમિયાન થલતેજથી ઈસ્કોન તરફ કાળા કલરની કિયા સેલ્ટોસ કાર પૂરઝડપે જઈ રહી હતી. કારની સ્પીડ એટલી હતી કે અંડરબ્રિજમાં બંધ પડેલી આઈસર ટ્રક કારચાલકને દેખાઈ નહીં અને પાછળથી ટક્કર મારી દીધી હતી. ધડાકાભેર કાર ટ્રકમાં અથડાવતાં કારચાલક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે તેની સાથે બેઠેલી બે યુવતી પણ ઈજાગ્રસ્ત થઈ હતી.આ અકસ્માત થતાંની સાથે જ આઈસર ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે ઈજાગ્રસ્ત યુવક અને યુવતીઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયાં હતાં. ઘટનાની જાણ એસજી 1 ટ્રાફિક પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, કારચાલકનું નામ આર્યન બત્રા છે અને તે આંબલી પાસે આવેલા આર્યન ઓપ્યુલ્સન ફ્લેટમાં રહે છે. અકસ્માતના કારણે આર્યનને શરીર પણ ગંભીર ઈજાઓ પહોચતા તેનું સારવાર દરમિયાન મોત થયુ છે. આર્યનની સાથે તેની બે મહિલા મિત્ર પણ હતી, જેમને શરીર પર ઈજા પહોચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બન્ને યુવતી નવરંગપુરાના પીજી હોસ્ટેલમાં રહે છે. એસજી 1 ટ્રાફિક પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...