Saturday, November 15, 2025

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ દ્વારા સોસાયટીઓમાં રીડેવલપમેન્ટમાં ઓછામાં ઓછું 50 ચોરસ મીટરની માંગ..!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા તેજીથી ચાલી રહી છે, જેમાં અલગ અલગ પ્રકારની સોસાયટીઓ આવેલ છે, જેમાં EWS, LIG, LMIG, MIG અને HIG ટાઈપના નાના-મોટા ફલેટ પ્રકારની સોસાયટીઓ આવેલ છે.હાલમાં MIG અને HIG ટાઈપની સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે. જેમાં સૌથી નાના અને જર્જરિત એવા EWS, LIG, LMIG ટાઈપની સોસાયટીઓ બહુ ઓછી જાેડાઈ છે. કારણ કે રીડેવલપેન્ટ પોલીસી મુજબ 3 :1 બ-3 પ્રમાણે 140 ટકા અથવા 30 ચોરસ મીટર કાર્પેટ બે માંથી જે વધારે હોય તે એરિયા રીડેવલપમેન્ટમાં મળે છે એટલે જુના EWS, LIG, LMIG નો જૂનો કાર્પેટ એરિયા બહુજ ઓછો હોવાને કારણે રીડેવલપમેન્ટમાં બહુજ નહિવત કાર્પેટ એરિયા મળે છે એટલે આવી સોસાયટીઓ રીડેવલપેમેન્ટમાં જાેડાતી નથી.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશભાઈ બારડ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજુઆત કરી છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલ રીડેવલપમેન્ટ પોલીસીમાં 3 :1 બ-3 માં જાે હયાત કાર્પેટ વિસ્તારના 140 ટકા અથવા 50 ચોરસ મીટર બે માંથી જે વધારે હોય તે પ્રમાણે આપવામાં આવે તે પ્રમાણે સુધારો કરવામાં આવે તો રીડેવલપમેન્ટમાં બધી જ વસાહતોને નવું બાંધકામ ઓછામાં ઓછું 50 ચોરસ મીટર મળે એટલે બધીજ વસાહતો જાેડાય અને સરકારનો હેતુ સફળતાપૂર્વક પાર પડે અને જર્જરિત મકાનોની ભવિષ્યની જાનહાની ટાળી શકાય.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મોટાભાગની જૂની વસાહતો EWS, LIG, LMIG અને MIG છે જે વર્ષો જૂના નિયમ અનુસાર જૂનો કાર્પેટ એરિયા 20 ચોરસ મીટર થી 30 ચોરસ મીટર કાર્પેટ એરિયા મળતો હતો.જે હાલ કેટેગરી મૂજબ નવા પ્રમાણે અન્યની સરખામણીમાં ગણો ઓછો મળે છે.. અને અગાઉ 1982 ની ગુ હા બોર્ડ ની રજીસ્ટ્રેશન સ્કીમ હેઠળ MIG મા મકાન મેળવવા રજીસ્ટ્રેશન કરાવેલ, પરંતુ તે વખતે મકાનોની અછતને કારણે MIG માં ફોર્મ ભરવા વાળાને પણ LMIG કેટેગરીના મકાનો 1988 સુધીમાં ફાળવી દેવામાં આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...