Saturday, February 28, 2026

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ દ્વારા સોસાયટીઓમાં રીડેવલપમેન્ટમાં ઓછામાં ઓછું 50 ચોરસ મીટરની માંગ..!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા તેજીથી ચાલી રહી છે, જેમાં અલગ અલગ પ્રકારની સોસાયટીઓ આવેલ છે, જેમાં EWS, LIG, LMIG, MIG અને HIG ટાઈપના નાના-મોટા ફલેટ પ્રકારની સોસાયટીઓ આવેલ છે.હાલમાં MIG અને HIG ટાઈપની સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે. જેમાં સૌથી નાના અને જર્જરિત એવા EWS, LIG, LMIG ટાઈપની સોસાયટીઓ બહુ ઓછી જાેડાઈ છે. કારણ કે રીડેવલપેન્ટ પોલીસી મુજબ 3 :1 બ-3 પ્રમાણે 140 ટકા અથવા 30 ચોરસ મીટર કાર્પેટ બે માંથી જે વધારે હોય તે એરિયા રીડેવલપમેન્ટમાં મળે છે એટલે જુના EWS, LIG, LMIG નો જૂનો કાર્પેટ એરિયા બહુજ ઓછો હોવાને કારણે રીડેવલપમેન્ટમાં બહુજ નહિવત કાર્પેટ એરિયા મળે છે એટલે આવી સોસાયટીઓ રીડેવલપેમેન્ટમાં જાેડાતી નથી.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશભાઈ બારડ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજુઆત કરી છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલ રીડેવલપમેન્ટ પોલીસીમાં 3 :1 બ-3 માં જાે હયાત કાર્પેટ વિસ્તારના 140 ટકા અથવા 50 ચોરસ મીટર બે માંથી જે વધારે હોય તે પ્રમાણે આપવામાં આવે તે પ્રમાણે સુધારો કરવામાં આવે તો રીડેવલપમેન્ટમાં બધી જ વસાહતોને નવું બાંધકામ ઓછામાં ઓછું 50 ચોરસ મીટર મળે એટલે બધીજ વસાહતો જાેડાય અને સરકારનો હેતુ સફળતાપૂર્વક પાર પડે અને જર્જરિત મકાનોની ભવિષ્યની જાનહાની ટાળી શકાય.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મોટાભાગની જૂની વસાહતો EWS, LIG, LMIG અને MIG છે જે વર્ષો જૂના નિયમ અનુસાર જૂનો કાર્પેટ એરિયા 20 ચોરસ મીટર થી 30 ચોરસ મીટર કાર્પેટ એરિયા મળતો હતો.જે હાલ કેટેગરી મૂજબ નવા પ્રમાણે અન્યની સરખામણીમાં ગણો ઓછો મળે છે.. અને અગાઉ 1982 ની ગુ હા બોર્ડ ની રજીસ્ટ્રેશન સ્કીમ હેઠળ MIG મા મકાન મેળવવા રજીસ્ટ્રેશન કરાવેલ, પરંતુ તે વખતે મકાનોની અછતને કારણે MIG માં ફોર્મ ભરવા વાળાને પણ LMIG કેટેગરીના મકાનો 1988 સુધીમાં ફાળવી દેવામાં આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...