અમદાવાદ : અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે કાર્નિવલ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવાર હોવાના કારણે અમદાવાદ શહેરમાં યોજાઈ રહેલા કાંકરિયા કાર્નિવલમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો અને મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. દર વર્ષે જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલ દરમિયાન સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ તથા ક્રાઉડ મેનેજમેન્ટ માટે વ્યાપક અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કાંકરિયા કાર્નિવલના ત્રીજા દિવસે જાહેરમાં ભારે ઘસારો અને ભીડનો દબાણ વધતાં, નાગરિકોની સલામતી અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર કાંકરિયા તળાવ ખાતે યોજાતા કાંકરિયા કાર્નિવલમાં 1 લાખથી વધુ લોકો એકત્ર હોવા હોવાથીતમામ સાતેય પ્રવેશદ્વારો (ગેટ) એન્ટ્રી માટે અસ્થાયી રીતે બંધ કરવાની ફરજ પડી હતી.કાર્નિવલના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમથી ભીડ નિયંત્રણ કરવાની તૈયારી કરવામાં આવી છે. ભીડને કાબુમાં કરવા માટે કાંકરિયા કાર્નિવલના તમામ સાત ગેટ એન્ટ્રી માટે બંધ કરવામાં આવ્યા છે
25 ડિસેમ્બરે શરૂ થયેલ કાર્નિવલ કાર્નિવલ આગામી 31 ડિસેમ્બર સુધી યથાવત રહેશે. આજે ત્રીજા દિવસે કાંકરિયામાં 1 લાખથી વધારે લોકો આવી પહોચ્યાં છે. રાતે 9.15 વાગ્યાની આસપાસ કાંકરિયા કાર્નિવલમાં 80 થી 1 લાખ જેટલા લોકો કાંકરિયામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભીડ વધી ગઈ છે અને આ દરમિયાન કોઈ અઘટિત ઘટના ના બને તે માટે કાંકરિયાના સાતેય દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં છે.
આયોજનની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં આ વખતે, AMC એ ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી રૂપિયા 5,000 કરોડનું સુરક્ષા કવચ લીધું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને આ કવર માટે આશરે રૂપિયા 4 લાખનું પ્રીમિયમ પણ ચૂકવ્યું છે, પરંતુ વીમા કંપનીના નિયમો અને શરતોએ આ સમગ્ર વીમા કવરેજને વિવાદમા મૂકી દીધું છે. નિયમ પ્રમાણે કાર્નિવલ દરમિયાન કોઈ અકસ્માત થાય છે, તો ફક્ત તે મુલાકાતીઓ જ વીમા દાવા માટે પાત્ર બનશે જેમની પાસે સત્તાવાર પ્રવેશ ટિકિટ છે.
જ્યારે બીજી બાજુ હકીકત એવી છે કે કાંકરિયા કાર્નિવલ નાગરિકો માટે સંપૂર્ણપણે મફતમાં યોજવામાં આવે છે, અને કોઈ પ્રવેશ ટિકિટ આપવામાં આવતી નથી.


