Friday, March 13, 2026

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

spot_img
Share

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટથી હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાવભીનું અને ગરિમાપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

સૌ પ્રથમ પીએમ મોદી VIP ગેસ્ટહાઉસમાં સોમનાથ ટ્રસ્ટથી બેઠક પૂર્ણ કરીને હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિરે આવ્યાં હતાં. દિગ્વિજય દ્વાર પાસે સાધુ સંતોએ પીએમ મોદીનું અભિવાદન પણ કર્યું હતું. ત્યાર બાદ પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિર પરિસર ‘મોદી મોદી’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું. પીએમ મોદીએ અહીં ભગવાન સોમનાથ દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.

સોમનાથ ખાતે પીએમ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે ડ્રોન શૉ યોજાયો, આ ડ્રોન શોની અદ્ભૂત તસવીર સોશિયલ મીડિયામાં શેર પણ થઈ છે. એટલું જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં પણ જોડાયા હતાં. અત્રે નોંધનીય છે કે, સોમનાથ મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યો હતો અને બાદમાં મંદરી પરિસરમાં ડભવ્ય ડ્રોન શો નિહાળ્યો હતો.

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો. આ ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોનના સહારે અરબી સમુદ્ર ઉપર આકાશમાં પ્રકાશના સુમેળભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુચિત્રો સર્જવામાં આવ્યા હતા. આ દરમિયાન પીએ મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ જોવા મળ્યાં હતાં.

આજે રાત્રે સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં વિશ્રામ કર્યા બાદ, આવતીકાલે વહેલી સવારે વડાપ્રધાન સોમનાથ દાદાના વિશેષ પૂજન-અર્ચન કરશે. ત્યારબાદ તેઓ અનેક લોકકલ્યાણના પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમોમાં હાજરી આપશે.સોમનાથ નગરીમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે. ઠેર-ઠેર નગરજનો દ્વારા પુષ્પવર્ષા સાથે વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. ભક્તિ અને આધુનિક ટેકનોલોજીના સંગમ સાથે આ ‘સ્વાભિમાન પર્વ’ સુવર્ણ અક્ષરે લખાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...