Sunday, February 8, 2026

અમદાવાદમાં હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની રફ્તાર ધીમી પડી…!?

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB)ની જર્જરિત વસાહતોને નવો ઓપ આપવા માટે ‘પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ‘ (PPP) મોડેલ હેઠળ શરૂ કરવામાં આવેલી રીડેવલપમેન્ટ યોજના હાલમાં અધિકારીઓની ઉદાસીનતા, ભ્રષ્ટાચાર અને નિયમોની આંટીઘૂંટીમાં ફસાઈ ગઈ છે. હાલમાં ૫૦થી વધુ સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ પ્રક્રિયા ચાલુ હોવા છતાં, છેલ્લા કેટલાય મહિનાઓથી કામગીરીમાં આવેલી મંદી અને જટિલતાને કારણે છેલ્લાં કેટલાક સમયથી રીડેવલપમેન્ટની રફ્તાર ધીમી પડી હોય તેવું જાણકારો માની રહ્યા છે.

અધિકારીઓની ‘આપખુદશાહી‘ અને ટેન્ડર પ્રક્રિયામાં ‘રમત‘ રહીશોનો સીધો આક્ષેપ છે કે હાઉસિંગ બોર્ડના અધિકારીઓ રીડેવલપમેન્ટ જેવી સંવેદનશીલ બાબતમાં આપખુદશાહી ચલાવી રહ્યા છે. દરેક સોસાયટીના ટેન્ડર વખતે નિયમો બદલી નાખવામાં આવે છે, જેના કારણે પ્રક્રિયામાં એકસૂત્રતા જળવાતી નથી. આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે અધિકારીઓ પોતાના માનીતા મળતિયાઓને (ડેવલપર્સને) ફાયદો થાય તેવા જ ટેન્ડર બનાવે છે, જેના કારણે તંદુરસ્ત સ્પર્ધા થતી નથી અને યોગ્ય ડેવલપર મળતા નથી. બોર્ડ માત્ર ટેન્ડર બહાર પાડીને હાથ ખંખેરી લે છે, અને બાકીનું તમામ કામ ડેવલપર અને સોસાયટીના માથે ઢોળી દેવામાં આવે છે.

140 % ફાયદો માત્ર કાગળ પર? કાર્પેટ એરિયા અને મેન્ટેનન્સનો ડર પોલિસી મુજબ મૂળ મકાન કરતા 140 % વધુ બાંધકામ મળતું હોવા છતાં, વાસ્તવિકતા અલગ હોવાની ફરિયાદ ઉઠી છે. જૂના મકાનોનો સુપર બિલ્ટ-અપ એરિયા અને નવા RERA મુજબના કાર્પેટ એરિયામાં તફાવત હોવાથી લોકોને મળતું નવું મકાન નાનું હોવાનો અહેસાસ થાય છે. વળી, નવા હાઈ-રાઈઝ બિલ્ડિંગમાં લિફ્ટ અને ફાયર સેફ્ટી જેવી સુવિધાઓને કારણે મેન્ટેનન્સ ખર્ચ એટલો વધી જાય છે કે જે LIG અને MIG કેટેગરીના સામાન્ય રહીશોને પરવડતો નથી.

સંમતિનો પેચ અને કોર્ટ કેસનું ગ્રહણ રીડેવલપમેન્ટ માટે 75% સભ્યોની સંમતિનો નિયમ હોવા છતાં, બિલ્ડરો 100% ખાલી કબજાનો આગ્રહ રાખે છે, જેને કારણે પ્રોજેક્ટ્સ વિલંબિત થાય છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો પોતાનું વર્ષો જૂનું ઘર છોડવા તૈયાર હોતા નથી. જે 25% અસંતુષ્ટ સભ્યો છે તેઓ કોર્ટના દ્વારે પહોંચે છે. હાલમાં 30થી વધુ સોસાયટીઓના કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. જાેકે, મોટાભાગના ચુકાદા બોર્ડની તરફેણમાં આવ્યા છે, પરંતુ આ કાનૂની લડાઈમાં પ્રોજેક્ટ વર્ષો સુધી અટકી જાય છે.

ઈવિકશનમાં આળસ અને સમયમર્યાદાનો ભંગ નિયમ મુજબ ઈવિકશન (મકાન ખાલી કરાવવાની) પ્રક્રિયા 60 દિવસમાં અને અપીલ પણ ચોક્કસ દિવસોમાં પૂર્ણ થવી જાેઈએ. પરંતુ બોર્ડના અધિકારીઓની આળસ અને સંકલનના અભાવે આ પ્રક્રિયા મહિનાઓ સુધી ચાલે છે. બોર્ડના અલગ-અલગ વિભાગો વચ્ચે સંકલન ન હોવાથી ઈમ્પ્લીમેન્ટેશન અત્યંત ધીમું છે.

નવો આર્થિક બોજ: સ્ટેમ્પ ડ્યુટીનો વિરોધ પડ્યા પર પાટા જેવી સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે હાઉસિંગ બોર્ડે નવો નિયમ લાગુ કર્યો. રીડેવલપમેન્ટમાં મળતા વધારાના 40 % બાંધકામ પર હવે સભાસદોએ નવી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે. આ નિયમનો સભાસદો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે આર્થિક રીતે નબળા વર્ગ માટે આ વધારાનો ખર્ચ અસહ્ય છે.

ભાડું, વિલંબ અને માનસિક ત્રાસ ટેન્ડરની શરતો મુજબ પ્રોજેક્ટ 2-3 વર્ષમાં પૂરો થવો જાેઈએ, પરંતુ વર્તમાનમાં અનેક દાખલાઓ છે જેમાં 5-7 વર્ષનો સમય લાગી રહ્યો છે. આ દરમિયાન બિલ્ડર દ્વારા અપાતું ભાડું અનિયમિત થવું અને પોતાના ઘરનું સ્વપ્ન ધૂંધળું થવું, તે સભ્યો માટે પારાવાર માનસિક ત્રાસ સમાન બન્યું છે.

લોકોની માંગ શું છે? હાઉસિંગ બોર્ડની વસાહતોના રહીશો માંગ કરી રહ્યા છે કે ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા અને એકસૂત્રતા લાવવામાં આવે. પ્રક્રિયા સરળ બને, અધિકારીઓની જવાબદારી નક્કી થાય અને કોર્ટ કેસોનો ઝડપી નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો જ ‘રીડેવલપમેન્ટ‘ સાચા અર્થમાં સફળ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...