Wednesday, February 11, 2026

12 ફેબ્રુઆરીએ ફરીથી બેંકોની હડતાળ, જાણો બેંકો ખુલ્લી રહેશે કે બંધ, કરોડોના વ્યવહારો ખોરવાય તેવી શક્યતા

spot_img
Share

અમદાવાદ : 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. તેથી જો તમારે બેંક અથવા સરકારી ઓફિસમાં કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો તેને પહેલા જ પુરું કરી લેવું વધુ યોગ્ય રહેશે. આ હડતાળ લગભગ 10 મોટા ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં AITUC, CITU, HMS અને સંયુક્ત કિસાન મોરચા (SKM)નો સમાવેશ થાય છે.12મીએ હડતાળ પહેલા 11 ફેબ્રુઆરીએ આશ્રમ રોડ પર બેન્ક એમ્પ્લોયી અને ટ્રેડ યુનિયનનો રેલી યોજી વિરોધ પ્રદર્શન કરશે.

10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો – INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC એ 12 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા હાલના 29 શ્રમ કાયદાઓને બદલે 4 નવા લેબર કોડ અંગેની તાજેતરની સૂચના અને શ્રમજીવી વર્ગ પર વધતા હુમલાઓના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે.આ હડતાળ પાછળ ઘણા કારણો છે. ટ્રેડ યુનિયનો સરકારના નવા મજૂર કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે

ચાર નવા મજૂર કાયદાઓ રદ કરવાની માંગ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનો કેટલાક વેપાર કરારોને ખેડૂત હિતોના વિરુદ્ધ ગણાવી રહ્યા છે. ઉપરાંત, વધતી મોંઘવારી, બેરોજગારી, મનરેગા બજેટમાં ઘટાડો અને જૂની પેન્શન યોજના (OPS) ફરી શરૂ કરવાની માંગ પણ આ હડતાળના મુખ્ય મુદ્દાઓ છે. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણના વિરોધ અને બેંકોમાં 5 દિવસના સપ્તાહની માંગ પણ કરવામાં આવી રહી છે.

AIBEA, AIBOA અને BEFI જેવા ઘણા મોટા બેંક કર્મચારી સંગઠનોએ હડતાળને ટેકો આપ્યો છે. જોકે 12 ફેબ્રુઆરીએ બેંકો સંપૂર્ણ રીતે બંધ નહીં રહે, પરંતુ કેટલીક સેવાઓ પર અસર પડી શકે છે. કેટલીક જગ્યાએ રોકડ ઉપાડ, ચેક ક્લિયરિંગ અને કાઉન્ટર સર્વિસમાં વિલંબ થઈ શકે છે, જ્યારે ઓનલાઈન અને નેટ બેંકિંગ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે.

હડતાળને કારણે કેટલાક રાજ્યોમાં બસ અને ટ્રક સેવાઓ પણ પ્રભાવિત થઈ શકે છે, જેના કારણે મુસાફરીમાં વિલંબ થઈ શકે છે. મોટાભાગના બજારો અને દુકાનો ખુલ્લા રહેવાની શક્યતા છે અને હોસ્પિટલો, એમ્બ્યુલન્સ અને ફાર્મસીઓ જેવી કટોકટી સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે. તેથી, જો કોઈ તાત્કાલિક બેંકિંગ કામ હોય, તો તેને એક દિવસ પહેલા પૂર્ણ કરવું વધુ યોગ્ય રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...