Sunday, March 1, 2026

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ પેઢીને સુરક્ષિત કરવા માટે હવે ગુજરાતમાં 14 થી 15 વર્ષની કિશોરીઓને સર્વાઈકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) થી બચાવતી મોંઘી રસી તદ્દન વિનામૂલ્યે આપવામાં આવશે.

સરકારના આ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત ગુજરાતમાં રસીકરણનો શુભારંભ થઈ ચૂક્યો છે, જેનો લાભ રાજ્યની 14 થી 15 વર્ષની વય ધરાવતી આશરે 5.5 લાખ કિશોરીઓને મળવાનો છે. આ મહત્વપૂર્ણ રસીકરણ ઝુંબેશ વિવિધ શાળાઓ અને સરકારી આરોગ્ય કેન્દ્રોના માધ્યમથી ચલાવવામાં આવશે. આ અભિયાન પાછળ સરકારનો ઉદ્દેશ્ય ગંભીર બીમારીઓ સામે પૂર્વ-તૈયારી કરવાનો તેમજ મહિલા સશક્તિકરણને વેગ આપીને એક સ્વસ્થ અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાનો છે.

ગુજરાત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ હેઠળ દર વર્ષે બાળકોના રસીકરણ પાછળ રૂ. 240 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવે છે અને હવે આ કડીમાં HPV રસીનો પણ સમાવેશ કરાયો છે. બજારમાં આ વેક્સિનના એક ડોઝની કિંમત અંદાજે 3000 રૂપિયા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા 150 કરોડ રૂ. રસીકરણ માટે ફાળવીને આ રસી તદ્દન વિનામૂલ્યે આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

માત્ર રસીકરણ જ નહીં, પરંતુ ગ્રામીણ કક્ષાએ પણ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ એક મહત્વની જાહેરાત કરી છે. આ નવી યોજના અંતર્ગત સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC) માં અત્યાર સુધી જે 27 કર્મચારીઓનું મહેકમ હતું, તે વધારીને હવે 40 નું કરવામાં આવ્યું છે. ધાનેરા CHC ના ઉદાહરણ મુજબ, હવે દરેક કેન્દ્ર પર બાળરોગ નિષ્ણાત, સ્ત્રી-રોગ નિષ્ણાત, ફિઝિશિયન, સર્જન અને એનેસ્થેશિઓલૉજીસ્ટ જેવા 5 સ્પેશિયાલિસ્ટ તબીબો પોતાની ફરજ બજાવશે.

આ ઉપરાંત, લેબોરેટરી ટેકનિશિયન, એક્સ-રે ટેકનિશિયન અને નર્સિંગ સ્ટાફ જેવા પેરામેડિકલ સ્ટાફની પણ મોટા પાયે ભરતી કરવામાં આવશે, જેથી ગ્રામીણ જનતાને ઘર આંગણે જ તમામ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે.

સર્વાઈકલ કેન્સર એ મહિલાઓના સ્વાસ્થ્ય માટે એક અત્યંત ગંભીર ખતરો સાબિત થઈ રહ્યું છે. આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ, ગત વર્ષે જ સમગ્ર દેશમાં સર્વાઈકલ કેન્સરના 79,000 થી વધુ નવા કેસો નોંધાયા હતા. અત્યંત કમનસીબ બાબત એ છે કે, યોગ્ય સારવાર અને જાગૃતિના અભાવે તેમાંથી ૩૪,૦૦૦ જેટલી મહિલાઓએ પોતાનો કિંમતી જીવ ગુમાવ્યો હતો. આ ચોંકાવનારા આંકડાઓ સ્પષ્ટપણે સાબિત કરે છે કે આવી જીવલેણ બીમારી સામે સુરક્ષા મેળવવા માટે સમયસર રસીકરણ કરાવવું કેટલું અનિવાર્ય અને જીવનરક્ષક છે.

મહિલાઓમાં થતું આ કેન્સર મુખ્યત્વે હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) ના કારણે થાય છે. જો 14-15 વર્ષની ઉંમરે જ દીકરીઓને આ રસી આપી દેવામાં આવે, તો ભવિષ્યમાં આ જીવલેણ કેન્સર થવાનો ખતરો નહિવત થઈ જાય છે. જે રસી અત્યાર સુધી મોંઘી હોવાથી સામાન્ય પરિવારની પહોંચ બહાર હતી, તે હવે સરકારી પહેલથી દરેક દીકરીને મફતમાં મળશે.

સરકાર દ્વારા “સર્વાઇકલ કેન્સરથી દીકરીને બચાવીએ, સમયસર HPV રસી મુકાવીએ”ના મંત્ર સાથે તમામ વાલીઓને તેઓ પોતાની 14 વર્ષની દીકરીઓને આ રસી અપાવી તેમના કેન્સરમુક્ત ભવિષ્યની ગેરંટી સુનિશ્ચિત કરે તેવી ભાવભરી અપીલ કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...